“LIVE” રેસક્યું : સુરતમાં આર્થિક તંગીથી કંટાળી યુવક બ્રિજ પરથી નીચે કૂદે તે પહેલા જ પોલીસે બચાવી લીધો..!

યુવક વરિયાવ બ્રિજ પર આત્મહત્યા કરવા ગયો હતો, જ્યાં સિંગણપોર પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવકને આત્મહત્યા કરતાં અટકાવી બચાવી લઈ પોલીસ મથકે કાઉન્સેલિંગ કર્યું

New Update
  • વરિયાવ બ્રિજ ઉપર યુવક પહોચ્યો હતો આત્મહત્યા કરવા

  • જાણ થતાં જ સિંગણપોર પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડ્યો

  • સમય સૂચકતા વાપરી પોલીસ દ્વારા યુવકને બચાવી લેવાયો

  • યુવકને પોલીસ મથકે લાવી તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું

  • આર્થિક તંગીથી કંટાળી આપઘાતનો કર્યો હતો પ્રયાસ : પોલીસ

Advertisment

સુરત શહેરમાં આર્થિક તંગીથી ત્રસ્ત અને ડિપ્રેશનનો શિકાર બનેલા યુવક વરિયાવ બ્રિજ પર આત્મહત્યા કરવા ગયો હતોજ્યાં સિંગણપોર પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવકને આત્મહત્યા કરતાં અટકાવી બચાવી લઈ પોલીસ મથકે કાઉન્સેલિંગ કર્યું હતું.

હાલના કપરા સમયમાં ધંધા-રોજગારવેપારમાં મંદી સહિત અને પ્રકારની સમસ્યાઓના કારણે સર્જાતી માનસિક તાણના કારણે આત્મહત્યા કરવાના કિસ્સાઓ દિન પ્રતદિન વધી રહ્યાં છેત્યારે સુરત શહેર તથા જીલ્લામાં આત્મહત્યાના બનાવોને રોકવા માટે પોલીસ દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે. આ બધાની વચ્ચે સિંગણપોર પોલીસને કંટ્રોલ રૂમ તરફથી માહિતી મળી હતી કેશહેરના વરિયાવ બ્રિજ પર એક યુવાન આત્મહત્યા કરવાની કોશિશ કરી રહ્યો છે.

જેના આધારે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતીજ્યાં એક યુવાન બ્રિજની રેલિંગ કૂદીને આપઘાત કરવાની કોશિશ કરી રહ્યો હોવાનું નજરે પડ્યું હતું. રોડ પરના રાહદારીઓ પણ ભેગા થઈ ગયા હતા. યુવક સતત આપઘાતનું રટણ કરી રહ્યો હતોત્યારે પોલીસ કર્મચારીઓએ આપઘાત કરવા જઈ રહેલા યુવકને વાતોમાં ભોળવ્યો હતોઆ દરમિયાન રેલિંગની નજીક આવતા જ રેલિંગની બહારથી યુવકને પકડી લીધો હતો.

સમયસૂચકતા વાપરી આ યુવાનને જકડી રાખી પોલીસ દ્વારા બ્રિજ પર બનાવેલી કાંટાળી તાર ફેન્સિંગ ટપીને આ યુવાનને બચાવી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ યુવાનને પોલીસ મથકે લાવી તેની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં યુવકે આર્થિક તંગીથી કંટાળી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યુ હતુંત્યારબાદ પોલીસે યુવક સમજાવી તેના પરિવારને સોંપ્યો હતો.

Advertisment
Read the Next Article

સુરત : 22 વર્ષીય ચિત્ત ગાબાણીના આપઘાત માટે જવાબદાર અજય શિરોયાની ધરપકડ,પોલીસે દબાણો પર ચલાવ્યું બુલડોઝર

લસકાણા વિસ્તારમાં 22 વર્ષીય ચિત્ત ગાબાણીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આ આપઘાત કેસમાં બેડ નીચેથી મળેલી સ્યુસાઇડ નોટમાં ચોંકાવનારા ખુલાસા થયા

New Update
  • લસકાણામાં યુવકના આપઘાતનો મામલો

  • પોલીસે સ્યુસાઇટ નોટથી કરી કાર્યવાહી

  • વ્યાજખોર અજય શિરોયાની કરી ધરપકડ

  • રૂ.80 હજાર સામે રૂ.2 લાખની કરતો હતો ઉઘરાણી

  • પોલીસે વ્યાજખોરના દબાણ પર ચલાવ્યું બુલડોઝર  

Advertisment

સુરતના લસકાણાના 22 વર્ષીય યુવકે આપઘાત કેસમાં સ્યુસાઈડ નોટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.અને વ્યાજખોર દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતા તેને અંતિમ પગલું ભર્યું હતું.પોલીસે અજય શિરોયાની ધરપકડ કરીને તેને ઉભા કરેલા દબાણને બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યા હતા.

સુરતના લસકાણા વિસ્તારમાં 22 વર્ષીય ચિત્ત ગાબાણીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આ આપઘાત કેસમાં બેડ નીચેથી મળેલી સ્યુસાઇડ નોટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. તેની સ્યુસાઈડ નોટમાં જર્મની જવાના 10 લાખ હારવા સાથે વધુ 10 લાખનું દેવું થયું હોવાનો ઉલ્લેખ કરાયો છે. તેમજ જુગાર રમવા માટે લીધેલા 80 હજાર સામે અજય શિરોયા 2 લાખની પઠાણી ઉઘરાણી કરતા હોવાનો આરોપ મૂક્યો છે. તેથી ચિત્ત ગાબાણી ફાંસો ખાવા મજબૂર થયો હતો.આ ઘટનામાં પોલીસે આરોપી અજય શિરોયાની ધરપકડ કરી છે.

જાણવા મળ્યા મુજબ ચિત્ત ગાબાણી જર્મની જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ આ વચ્ચે તેને બે દિવસ પહેલા પોતાના રૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ થતા જ પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. તો પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા જાણવા મળ્યું કેજર્મની જવાના 10 લાખ હારવા સાથે વધુ 10 લાખનું દેવું અને જુગાર રમવા માટે લીધેલા 80 હજાર સામે અજય શિરોયાએ 2 લાખની પઠાણી ઉઘરાણી કરતા ચિત્ત ગાબાણી ફાંસો ખાવા મજબૂર થયો હતો.

પોલીસે આરોપી અજય શિરોયાની ધરપકડ બાદ તેને દુકાન બાનવીને ઉભા કરેલા દબાણ પર બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવ્યું હતું.ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથેની કડક કાર્યવાહીને પગલે વ્યાજખોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Advertisment