સુરત : પુત્રી સમાન સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આધેડની પુણા પોલીસે કરી ધરપકડ

પુત્રી સમાન સગીરાની આધેડે લાજ લૂંટી લેતા સગીરાએ હતાશ થઇ શાળાએ જવાનું પણ બંધ કરી દીધું હતું. આ દરમ્યાન માતાએ પૂછતાં સમગ્ર હકીકત બહાર આવી હતી...

New Update

પુણા વિસ્તારમાં દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર

પુત્રી સમાન સગીરા સાથે આધેડે આચર્યું હતું દુષ્કર્મ

સગીરાએ શાળાએ જવાનું બંધ કરતાં મામલો સામે આવ્યો

સગીરાની માતાએ નરાધમ વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ

પુણા પોલીસ દ્વારા દુષ્કર્મ આચરનારની ધરપકડ કરાય

સુરત શહેરના પુણા વિસ્તારમાં પુત્રી સમાન સગીરા સાથે દુષ્કર્મ આચરતા આધેડની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાંથી શર્મશાર કરતી ઘટના સામે આવી છે. જેમાં મિત્રના પિતાએ પોતાના પુત્રની ઉમરની સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.

પુત્રી સમાન સગીરાની આધેડે લાજ લૂંટી લેતા સગીરાએ હતાશ થઇ શાળાએ જવાનું પણ બંધ કરી દીધું હતું. આ દરમ્યાન માતાએ પૂછતાં સમગ્ર હકીકત બહાર આવી હતી. બનાવના પગલે માતાએ તાત્કાલિક પોલીસ મથકે નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતીત્યારે હાલ તો પુણા પોલીસે 45 વર્ષીય નરાધમ સંજય ફળદુની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

સુરત : ખાડીપૂરની સમસ્યા કાયમી હલ કરવા નાણાંમંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરિય બેઠક મળી...

ખાડીપુરની સમસ્યા કાયમી ધોરણે દૂર કરવા નાણાંમંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં અધિકારીઓ, સાંસદ સભ્યો અને ધારાસભ્યો સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી

New Update
  • કેન્દ્ર સરકાર દ્વારા ટકોર કરાતા તંત્ર કામે લાગ્યું

  • ખાડીપૂરની સમસ્યા કાયમી હલ કરવા આયોજન

  • નિરાકરણ માટે રાજ્ય સરકાર મેદાનમાં આવી

  • નાણાંમંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં બેઠક મળી

  • ઝીંગા તળાવ સહિતના દબાણો દૂર કરવા નિર્દેશ

સુરત શહેરમાં દર વર્ષે સર્જાતી ખાડીપૂરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા રાજ્યના નાણાં અને ઊર્જા મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરિય બેઠક યોજાય હતી. જેમાં ખાડીપૂર અને જર્જરિત બ્રિજ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા બાદ અધિકારીઓને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.

સુરત શહેરમાં ખાડીપૂરની વારંવારની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે રાજ્ય સરકાર હવે સક્રિય થઈ છે. સુરત ખાતે રાજ્યના નાણાં અને ઊર્જા મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં આ સમસ્યાના નિરાકરણ માટે ઉચ્ચ સ્તરીય 3 બેઠક યોજાય હતી. આ બેઠકમાં ખાડીપુરની સમસ્યા કાયમી ધોરણે દૂર કરવા અધિકારીઓસાંસદ સભ્યો અને ધારાસભ્યો સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સુરત મહાનગરપાલિકાસુરત અને ગ્રામ્ય પોલીસસિંચાઈ વિભાગમેટ્રો અને રેલવે સહિતના અલગ અલગ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠક દરમિયાન ખાડીપૂર સંબંધિત એક વિસ્તૃત પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું. નાણાં મંત્રી કનુ દેસાઈએ આ પ્રેઝન્ટેશનને ધ્યાનપૂર્વક જોયા બાદ મહત્વપૂર્ણ નિર્ણયો અને સૂચનાઓ આપી હતી. ખાડીપૂર ઉપરાંતકનુ દેસાઈએ રોડ અને બ્રિજની સ્થિતિ અંગે પણ અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી. જેમાં કયા બ્રિજ કેરોડ જર્જરિત છે. તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવી તેના સમારકામ અથવા પુન:નિર્માણ માટે જરૂરી સૂચનાઓ આપી હતી.

નાણાં મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કેસુરતમાં હાલ જે રીતે ખાડી નજીક દબાણ સહિત રહેઠાણ અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર વધ્યા છેતેના કારણે પાણીનું સ્તર વધ્યું છે. જે ખાડીપૂરનું એક મુખ્ય કારણ છે. આ સમસ્યાના કાયમી નિકાલ માટે રાજ્ય સરકારમાં એક વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે. વધુ વરસાદ પડે તો કેવી રીતે નદીના પાણીને અટકાવી શકાયઅને શહેરને બચાવી શકાયતે માટેનું લાંબા ગાળાનું આયોજન અધિકારીઓને સાથે રાખીને કરાશે.