સુરત: પુણાગામ વિસ્તરમાં રાંધણ ગેસનો સિલિન્ડર બ્લાસ્ટ થતા છ લોકો દાઝ્યા,સ્થાનિકોમાં ફફડાટ

એક મકાનમાં વહેલી સવારે 6 કલાકે અચાનક રાંધણ ગેસના સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો,સર્જાયેલી ઘટનામાં છ લોકો દાઝી ગયા હતા,જયારે સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ

New Update
  • પૂણાગામમાં ગેસ સિલિન્ડરમાં થયો બ્લાસ્ટ

  • વહેલી સવારે સર્જાયો અકસ્માત

  • રાજસ્થાની પરિવારની રૂમમાં સર્જાયો અકસ્માત

  • પરિવારના સભ્યો સહિત છ લોકો થયા ઇજાગ્રસ્ત

  • ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા 

સુરતના પુણાગામ વિસ્તારમાં રાધાકૃષ્ણ સોસાયટીમાં એક મકાનમાં વહેલી સવારે 6 કલાકે અચાનક રાંધણ ગેસના સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો,સર્જાયેલી ઘટનામાં છ લોકો દાઝી ગયા હતા,જયારે સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી.

સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલ રાધાકૃષ્ણ સોસાયટીમાં ગ્રાઉન્ડ ફ્લોર પરની રૂમમાં મૂળ રાજસ્થાનના 42 વર્ષિય પપ્પુ ગજેન્દ્ર ભદોરીયા પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની બે દીકરી અને એક દીકરો છે. ગજેન્દ્ર રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.

રાત્રે પરિવાર સાથે તમામ સભ્યો રૂમમાં સુઈ ગયા હતા. દરમિયાન વહેલી સવારે છ વાગ્યા આસપાસ અચાનક ધડાકાનો અવાજ આવ્યો હતો અને આગ ફાટી નીકળી હતી. જેના પગલે રૂમમાં સુઈ રહેલા તમામ સભ્યોમાં નાસભાગ મચી હતી.

ત્યારબાદ સ્થાનિક લોકો દોડીને આવ્યા હતા અને તમામ લોકોને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરિવારના બે સભ્યો સહિત ત્રણની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે તમામને ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર ખસેડવામાં આવ્યા છે.

Read the Next Article

સુરત : ભાઠા ગામમાં ગૂંગળામણથી ત્રણ સિનિયર સીટીઝનના નિપજ્યા કરૂણ મોત, FSLની મદદથી પોલીસે શરૂ કરી તપાસ

જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા. રાત્રી દરમિયાન ત્રણે રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય ઘરે આવતા ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા

New Update
  • ભાઠામાં સર્જાય ગંભીર ઘટના

  • ત્રણ સિનિયર સીટીઝનના નિપજ્યા મોત

  • ગૂંગળામણથી મોત થયા હોવાનું અનુમાન

  • જનરેટરનો ધુમાડો બન્યો મોતનું કારણ

  • પોલીસેFSLની મદદથી શરૂ કરી તપાસ  

સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતાં ત્રણ લોકોનાં મોત થયા હતા. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. એક પુરુષ અને બે મહિલા સહિત ત્રણનાં મોત થયાં હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.

સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતાં એકજ પરિવારના ત્રણ લોકો બાલુ પટેલ ઉં.વ. 77,સીતાબેન પટેલ ઉં.વ.56,વેદાબેન પટેલ ઉં.વ.60ના મોત થયા હતા. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા. રાત્રી દરમિયાન ત્રણે રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય ઘરે આવતા ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. 

પ્રાથમિક દ્રષ્ટિએ જનરેટરના કારણે મોત થયું હોય તેવું અનુમાન છે. હાલ પોલીસે ત્રણેય સભ્યના મોત જનરેટરના ધુમાડાના કારણે થયા છે,કે પછી અન્ય કારણોસર તેની તપાસ માટેFSLની મદદ લીધી છે. ત્રણેય મૃતદેહનો કબજો મેળવી પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે.

Latest Stories