ગૌરક્ષા બંધ કરી દે, નહિતર જીવવું ભારે પડી જશે..! : પાકિસ્તાનથી મળી સુરત કરણી સેના પ્રમુખને ધમકી...

સુરત શહેર કરણી સેનાના અધ્યક્ષને ફોન ઉપર ધમકી આપવામાં આવી છે કે, ગૌસેવા બંધ કરો. આ સાથે જ જાનથી મારી નાખવાની ધમકી બાબતે પણ માહિતગાર કરવામાં આવ્યા

author-image
By Connect Gujarat Desk
New Update
  • સુરત કરણી સેના પ્રમુખને મળી પાકિસ્તાનથી ધમકી

  • પાકિસ્તાનના નંબર પરથી આવ્યો હતો વ્હોટ્સએપ કોલ

  • જાનથી મારી નાખવાની ધમકી મળતા મચ્યો ખળભળાટ

  • કરણી સેનાએ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું

  • સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં જાણ કરાય : કરણી સેના

સુરત શહેર કરણી સેનાના પ્રમુખને પાકિસ્તાનથી ફોન ઉપર ધમકી આપવામાં આવી છે. જેમાં ગૌસેવા બંધ કરો કહેવાનું જણાવતા કરણી સેનાના હોદ્દેદારોએ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી આ મામલે પોલીસને પણ જાણ કરી હતી.

કરણી સેના સુરત શહેરના પ્રમુખ તેમજ અન્ય કાર્યકર્તાઓ ગૌરક્ષા અને સમાજ સેવાનું કામ કરતા હોય છેજેને લઈને તેઓ સતત ચર્ચામાં પણ રહે છે. કરણી સેના અનેક વિવાદો વખતે પણ સામે આવતી હોય છેઅને પોતાનો પક્ષ મુકતી હોય છેત્યારે સુરત શહેર કરણી સેનાના અધ્યક્ષને ફોન ઉપર ધમકી આપવામાં આવી છે કેગૌસેવા બંધ કરો. આ સાથે જ જાનથી મારી નાખવાની ધમકી બાબતે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.

જેને લઈને કરણી સેનાના રાષ્ટ્રીય હોદ્દેદારો તેમજ ગુજરાતના હોદ્દેદારો દ્વારા સુરત કલેક્ટર કચેરી ખાતે પાકિસ્તાન વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચાર કરી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. સમયાંતરે હિન્દુ ગૌરક્ષકો અથવા તો સનાતન ધર્મની કામગીરી કરનાર લોકોને પાકિસ્તાનથી ધમકી ભર્યા ફોન આવતા હોય છેત્યારે ફરી એક વખત કરણી સેનાના સુરતના પ્રમુખને પાકિસ્તાનના નંબર પરથી વ્હોટ્સએપ કોલ આવ્યો હતોઅને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

ગત તા. 24 ડિસેમ્બર-2024ના રોજ અજાણ્યો વ્યક્તિ સતત ફોન કરતો હતોઅને ગૌસેવા બંધ કરી દેવા માટે ધાક-ધમકી આપતો હતો. જોકેધમકી મળ્યા બાદ પોલીસ સ્ટેશનમાં પણ આ મામલે જાણ કરવામાં આવી છેઅને જે નંબર પરથી કોલ આવ્યો હતોતેની પણ માહિતી આપી દેવામાં આવી છે.

Read the Next Article

સુરતના એકમાત્ર “પ્લાસ્ટિક મુક્ત” અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું...

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update

નાગરિકો માટે પોલીસ સેવા સુલભ બને તેવું આયોજન

સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત અલથાણ પોલીસ સ્ટેશન

અલથાણ પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું

પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની વિશેષ વ્યવસ્થા

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અલથાણ પોલીસ સ્ટેશન સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત પોલીસ સ્ટેશન તેમજ સોલાર પાવર સિસ્ટમથી સંચાલિત છેત્યારે આ પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અલથાણ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યમાં શાંતિસુરક્ષા સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા તેમજ ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી તથા આમ નગારિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓફરિયાદોમાં અલથાણ પોલીસ સ્ટેશન મદદરૂપ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલસંદીપ દેસાઈધારાસભ્ય સંગીતા પાટીલસુરત શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓસામાજિક આગેવાનો  સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.