ગૌરક્ષા બંધ કરી દે, નહિતર જીવવું ભારે પડી જશે..! : પાકિસ્તાનથી મળી સુરત કરણી સેના પ્રમુખને ધમકી...

સુરત શહેર કરણી સેનાના અધ્યક્ષને ફોન ઉપર ધમકી આપવામાં આવી છે કે, ગૌસેવા બંધ કરો. આ સાથે જ જાનથી મારી નાખવાની ધમકી બાબતે પણ માહિતગાર કરવામાં આવ્યા

author-image
By Connect Gujarat Desk
New Update
  • સુરત કરણી સેના પ્રમુખને મળી પાકિસ્તાનથી ધમકી

  • પાકિસ્તાનના નંબર પરથી આવ્યો હતો વ્હોટ્સએપ કોલ

  • જાનથી મારી નાખવાની ધમકી મળતા મચ્યો ખળભળાટ

  • કરણી સેનાએ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું

  • સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં જાણ કરાય : કરણી સેના

 સુરત શહેર કરણી સેનાના પ્રમુખને પાકિસ્તાનથી ફોન ઉપર ધમકી આપવામાં આવી છે. જેમાં ગૌસેવા બંધ કરો કહેવાનું જણાવતા કરણી સેનાના હોદ્દેદારોએ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી આ મામલે પોલીસને પણ જાણ કરી હતી.

કરણી સેના સુરત શહેરના પ્રમુખ તેમજ અન્ય કાર્યકર્તાઓ ગૌરક્ષા અને સમાજ સેવાનું કામ કરતા હોય છેજેને લઈને તેઓ સતત ચર્ચામાં પણ રહે છે. કરણી સેના અનેક વિવાદો વખતે પણ સામે આવતી હોય છેઅને પોતાનો પક્ષ મુકતી હોય છેત્યારે સુરત શહેર કરણી સેનાના અધ્યક્ષને ફોન ઉપર ધમકી આપવામાં આવી છે કેગૌસેવા બંધ કરો. આ સાથે જ જાનથી મારી નાખવાની ધમકી બાબતે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.

જેને લઈને કરણી સેનાના રાષ્ટ્રીય હોદ્દેદારો તેમજ ગુજરાતના હોદ્દેદારો દ્વારા સુરત કલેક્ટર કચેરી ખાતે પાકિસ્તાન વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચાર કરી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. સમયાંતરે હિન્દુ ગૌરક્ષકો અથવા તો સનાતન ધર્મની કામગીરી કરનાર લોકોને પાકિસ્તાનથી ધમકી ભર્યા ફોન આવતા હોય છેત્યારે ફરી એક વખત કરણી સેનાના સુરતના પ્રમુખને પાકિસ્તાનના નંબર પરથી વ્હોટ્સએપ કોલ આવ્યો હતોઅને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

ગત તા. 24 ડિસેમ્બર-2024ના રોજ અજાણ્યો વ્યક્તિ સતત ફોન કરતો હતોઅને ગૌસેવા બંધ કરી દેવા માટે ધાક-ધમકી આપતો હતો. જોકેધમકી મળ્યા બાદ પોલીસ સ્ટેશનમાં પણ આ મામલે જાણ કરવામાં આવી છેઅને જે નંબર પરથી કોલ આવ્યો હતોતેની પણ માહિતી આપી દેવામાં આવી છે.

Read the Next Article

સુરત : આંગણીયા પેઢીના 2 કર્મચારી સાથે થયેલ રૂ. 40.65 લાખના માલમત્તાની ચોરી-લૂંટનો ભેદ ઉકેલાયો, 5 શખ્સોની ધરપકડ

આંગણીયા પેઢીના કર્મચારીને માર મારી 16.55 લાખની કિંમતના પાર્સલ અને એક હજારની કિંમતનો તેનો મોબાઈલ ફોન લૂંટી સરથાણા જકાતનાકા પાસે ઉતારી દેવાયો હતો

New Update
  • વરાછામાં થયેલ લાખોના મત્તાની લૂંટ અને ચોરીનો મામલો

  • આંગણીયા પેઢીના 2 કર્મચારીઓ સાથે થઈ લૂંટ અને ચોરી

  • રૂ. 40.65 લાખના માલમત્તાની ચોરી-લૂંટનો ભેદ ઉકેલાયો

  • પોલીસે CCTV ફૂટેજના આધારે ઝીણવટભરી તપાસ આદરી

  • 5 શખ્સોની ધરપકડ સાથે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી 

સુરતમાં અમદાવાદની આર. મહેન્દ્ર આંગડિયા પેઢીના 2 કર્મચારીઓ સાથે થયેલી રૂ. 40.65 લાખના માલમત્તાની ચોરી અને લૂંટનો પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે. સમગ્ર મામલે પોલીસે 5 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદના આર. મહેન્દ્ર આંગડિયામાં ડિલિવરીમેન તરીકે નોકરી કરતો નિકુલસિંહ રાજપૂત ગત તારીખ 14મીની રાત્રે પેઢીની અમદાવાદ ઓફિસમાંથી સોનુંચાંદી અને હીરા સહિત રૂ. 16.55 લાખની કિંમતના 25 પાર્સલ લઈને સુરતની હેડ ઓફિસ આવવા લક્ઝરી બસમાં નીકળ્યો હતો. જે તા. 15મીએ મળસ્કે 4:30 વાગ્યે બસ વૈશાલી ત્રણ રસ્તા પાસે ઉભી રહેતા તેમાંથી ઉતરેલા નિકુલસિંહ ડ્રાઈવર વિનોદસિંહને વારંવાર ફોન કરી રહ્યો હોવા છતાં તે ઉપાડી રહ્યો ન હતો. તે જ વખતે તેની પાસે બ્લ્યુ કલરની કાર આવીને ઉભી રહી હતી.

કારમાં આવેલા 3 શખ્સોએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી અને તે ગાંજો વેચતો હોવાનો આરોપ મુકી તેને કારમાં બેસવા દબાણ કર્યું હતું. તે વખતે પહેલેથી જ બહાર ઉભો રહેલો શખ્સ ત્યાં ધસી આવ્યો હતોઅને કારમાં અપહરણ કરી લેવાયું હતું. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ કર્મચારીને તમાચા અને ગડદાપાટુનો માર મારી રૂ. 16.55 લાખની કિંમતના પાર્સલ અને એક હજારની કિંમતનો તેનો મોબાઈલ ફોન લૂંટી સરથાણા જકાતનાકા પાસે ઉતારી દેવાયો હતો. પેઢીના ભાગીદાર રાજેશસિંહ ગુલાબજી રાજપૂતે આ ગુનાને લઈ તા. 16મીએ રાત્રે 8:15 વાગ્યે વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

લૂંટની તપાસ ચાલી રહી હતીતેની વચ્ચે આ જ પેઢીનો બીજો ડિલિવરીમેન પ્રફુલ્લ પરષોત્તમ પટેલ અમદાવાદથી રાત્રે પોણા અગિયાર વાગ્યે રૂ. 24.10 લાખના હીરા અને 90 રૂપિયાની કિંમતના સોનાના 25 પાર્સલ લઈને શિવાય ટ્રાવેલ્સની બસમાં બેઠો હતો. જે તા. 17મીની મળસ્કે 5:15 વાગ્યે બસ વૈશાલી ત્રણ રસ્તા પાસે ઉભી હતી. આંગડિયાકર્મી ડ્રાઇવિંગ સીટની પાછળ થેલો મુકી ડ્રાઈવર સાથે વ્યસ્ત હતોતે વખતે બસમાં તેને લૂંટવાના ઇરાદે સવાર 2 ગઠિયા થેલો લઈને ઉતરી જતાં ધમાચકડી મચી હતી. એક ગુનાની તપાસ ચાલી રહી હતીતેના 9 કલાકમાં જ બીજો કર્મચારી ચોરીનો ભોગ બનતા પોલીસ દોડતી થઇ હતી.

બન્ને ઘટનાઓને લઈને પોલીસે CCTV ફૂટેજના આધારે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતીત્યારે આંગડિયા પેઢીના 2 અલગ અલગ કર્મચારીઓ સાથે થયેલી રૂ. 40.65 લાખના માલમત્તાની ચોરી અને લૂંટનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. લૂંટ અને ચોરીના ગુનામાં સંડોવાયેલા શૈલેષ રાજપુરોહિતશ્રવણસિંહ રાજપૂતજોગસિંહ રાજપુરોહિતઆકાશસિંગ ગણપતસિંગભરત રાજપુરોહિતને ઝડપી પાડ્યા છે. પોલીસે શખ્સો પાસેથી અલગ અલગ કેરેટના રૂ. 4 લાખના ડાયમંડ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.