સુરત : વેલંજામાં યુવકની હત્યામાં બુટલેગર સહિત 10 હુમલાખોરોની ધરપકડ,પોલીસે ઘટનાનું કર્યું રિકંસ્ટ્રક્શન

સુરતના વેલંજામાં યુવકની હત્યામાં બુટલેગર સહિત 10 હુમલાખોરોની પોલીસે ધરપકડ કરી હતી.અને પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકંસ્ટ્રક્શન પણ કર્યું હતું.

New Update
  • વેલંજામાં નિર્દોષ યુવકની હત્યાનો મામલો

  • બુટલેગર સહિત 10 આરોપી ઝડપાયા

  • પોલીસે ઘટનાનું કર્યું રિકંસ્ટ્રક્શન

  • પ્રેમિકા સાથે બેઠેલા બુટલેગરને સ્થાનિકોએ આપ્યો હતો ઠપકો

  • ઠપકાની રીસ રાખીને બુટલેગરે કરી યુવાનની હત્યા 

સુરતના વેલંજામાં યુવકની હત્યામાં બુટલેગર સહિત 10 હુમલાખોરોની પોલીસે ધરપકડ કરી હતી.અને પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકંસ્ટ્રક્શન પણ કર્યું હતું.

સુરતના વેલંજાની અંબાવિલા સોસાયટીમાં બેસેલા સ્થાનિકો ઉપર 23 ફેબ્રુઆરીની રાત્રે બુટલેગર અને તેના નવ સાગરીતે હથિયાર વડે આડેધડ હુમલો કરતા નિર્દોષ રત્નકલાકાર યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ચારને ગંભીર ઈજા થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. હત્યાનો ગુનો નોંધી ઉત્રાણ પોલીસે ગણતરીના કલાકમાં બુટલેગર અને તેના નવ સાગરીતોને ઝડપી પાડ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કેપ્રેમિકા સાથે બેસેલા મહિલા બુટલેગરના પુત્રને સ્થાનિકોએ ઠપકો આપ્યો હતો.જે બાદ બુટલેગર ટોળકી લઈને આવ્યો હતો અને જેને આ ઝઘડા અંગે કોઈ જાણ ન હોય તેવા નિર્દોષ રત્નકલાકારની હત્યા કરી નાખી હતી.

પોલીસે હાલ 10 આરોપીઓની ધરપકડ કરી છે,તેમજ આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકંસ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.

 

Read the Next Article

સુરત: ફરી એક મોડલનું ગ્લેમર વર્લ્ડને અલવિદા, ફાંસો ખાઇ આયખું ટૂંકાવ્યું

23 વર્ષીય અંજલિ વરમોરાએ પંખા સાથે દુપટ્ટો બાંધીને જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બાદ પોલીસે તપાસ શરુ કરી છે. અગાઉ પણ સુરતમાં એક મોડેલે આપઘાત કર્યો હતો

New Update
model suicide

સુરતમાં વધુ એક મોડેલે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યુ છે. આ ઘટનામાં માનસિક તણાવ હોવાનું પ્રકાશમાં આવ્યુ છે. 23 વર્ષીય અંજલિ વરમોરાએ પંખા સાથે દુપટ્ટો બાંધીને જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બાદ પોલીસે તપાસ શરુ કરી છે. અગાઉ પણ સુરતમાં એક મોડેલે આપઘાત કર્યો હતો. જે સમગ્ર મામલે પોલીસે તપાસ માટે પોતાના ચક્રો ગતિમાન કર્યા હતા. આપઘાતના વધી રહેલા કેસ પોલીસ માટે પડકાર બની રહ્યા છે. 

model suicide  Case

23 વર્ષીય યુવતીએ પોતાના મોત માટે માનસિક તણાવનું કારણ જવાબદાર ઠેરવ્યુ છે. ત્યારે તેના મોત માટે માનસિક તણાવ જ કારણભૂત છે. કે પછી અન્ય કોઇ દિશામાં સંકેત કરવામાં આવી રહ્યો છે. આ યુવતીએ પંખે દુપટ્ટે લટકાવી ફાંસો ખાધો છે. ત્યારે હાલ પોલીસે પ્રાથમિક તપાસ શરુ કરી છે.