સુરત : વેલંજામાં યુવકની હત્યામાં બુટલેગર સહિત 10 હુમલાખોરોની ધરપકડ,પોલીસે ઘટનાનું કર્યું રિકંસ્ટ્રક્શન

સુરતના વેલંજામાં યુવકની હત્યામાં બુટલેગર સહિત 10 હુમલાખોરોની પોલીસે ધરપકડ કરી હતી.અને પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકંસ્ટ્રક્શન પણ કર્યું હતું.

New Update
  • વેલંજામાં નિર્દોષ યુવકની હત્યાનો મામલો

  • બુટલેગર સહિત 10 આરોપી ઝડપાયા

  • પોલીસે ઘટનાનું કર્યું રિકંસ્ટ્રક્શન

  • પ્રેમિકા સાથે બેઠેલા બુટલેગરને સ્થાનિકોએ આપ્યો હતો ઠપકો

  • ઠપકાની રીસ રાખીને બુટલેગરે કરી યુવાનની હત્યા 

સુરતના વેલંજામાં યુવકની હત્યામાં બુટલેગર સહિત 10 હુમલાખોરોની પોલીસે ધરપકડ કરી હતી.અને પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકંસ્ટ્રક્શન પણ કર્યું હતું.

સુરતના વેલંજાની અંબાવિલા સોસાયટીમાં બેસેલા સ્થાનિકો ઉપર 23 ફેબ્રુઆરીની રાત્રે બુટલેગર અને તેના નવ સાગરીતે હથિયાર વડે આડેધડ હુમલો કરતા નિર્દોષ રત્નકલાકાર યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ચારને ગંભીર ઈજા થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. હત્યાનો ગુનો નોંધી ઉત્રાણ પોલીસે ગણતરીના કલાકમાં બુટલેગર અને તેના નવ સાગરીતોને ઝડપી પાડ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કેપ્રેમિકા સાથે બેસેલા મહિલા બુટલેગરના પુત્રને સ્થાનિકોએ ઠપકો આપ્યો હતો.જે બાદ બુટલેગર ટોળકી લઈને આવ્યો હતો અને જેને આ ઝઘડા અંગે કોઈ જાણ ન હોય તેવા નિર્દોષ રત્નકલાકારની હત્યા કરી નાખી હતી.

પોલીસે હાલ 10 આરોપીઓની ધરપકડ કરી છે,તેમજ આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકંસ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.

Read the Next Article

સુરત : ભાઠા ગામમાં ગૂંગળામણથી ત્રણ સિનિયર સીટીઝનના નિપજ્યા કરૂણ મોત, FSLની મદદથી પોલીસે શરૂ કરી તપાસ

જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા. રાત્રી દરમિયાન ત્રણે રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય ઘરે આવતા ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા

New Update
  • ભાઠામાં સર્જાય ગંભીર ઘટના

  • ત્રણ સિનિયર સીટીઝનના નિપજ્યા મોત

  • ગૂંગળામણથી મોત થયા હોવાનું અનુમાન

  • જનરેટરનો ધુમાડો બન્યો મોતનું કારણ

  • પોલીસેFSLની મદદથી શરૂ કરી તપાસ  

સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતાં ત્રણ લોકોનાં મોત થયા હતા. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. એક પુરુષ અને બે મહિલા સહિત ત્રણનાં મોત થયાં હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.

સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતાં એકજ પરિવારના ત્રણ લોકો બાલુ પટેલ ઉં.વ. 77,સીતાબેન પટેલ ઉં.વ.56,વેદાબેન પટેલ ઉં.વ.60ના મોત થયા હતા. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા. રાત્રી દરમિયાન ત્રણે રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય ઘરે આવતા ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. 

પ્રાથમિક દ્રષ્ટિએ જનરેટરના કારણે મોત થયું હોય તેવું અનુમાન છે. હાલ પોલીસે ત્રણેય સભ્યના મોત જનરેટરના ધુમાડાના કારણે થયા છે,કે પછી અન્ય કારણોસર તેની તપાસ માટેFSLની મદદ લીધી છે. ત્રણેય મૃતદેહનો કબજો મેળવી પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે.