સુરત: વકીલ મંડળની ચૂંટણીમાં 26 ઉમેદવારોએ ઝંપલાવ્યુ,3800થી વધુ મતદાતા ઉમેદવારોનું ભાવિ કરશે નક્કી

સુરતમાં આજે જિલ્લા વકીલ મંડળની ચૂંટણી યોજાઈ રહી છે 26 જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાને છે. પ્રમુખ પદમાં5 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ છે

New Update
સુરત: વકીલ મંડળની ચૂંટણીમાં 26 ઉમેદવારોએ ઝંપલાવ્યુ,3800થી વધુ મતદાતા ઉમેદવારોનું ભાવિ કરશે નક્કી

સુરત જિલ્લા વકીલ મંડળની ચૂંટણીનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 26 ઉમેદવારોએ ચૂંટણીના જંગમાં ઝંપલાવ્યું છે

Advertisment

સુરતમાં આજે જિલ્લા વકીલ મંડળની ચૂંટણી યોજાઈ રહી છે 26 જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાને છે. પ્રમુખ પદમાં5 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ છેખાસ કરીને પ્રમુખ પદમાં પી ટી રાણા,હસમુખ લાલવાલા વચ્ચે ભારે રસાકસી જોવા મળી રહી છે.ઉપપ્રમુખની ચૂંટણીમાં 5 ઉમેદવારો મેદાને છે.ઉપપ્રમુખમાં અમર પટેલ, વિરાટ સુર્વ વચ્ચે રસાકસી ભર્યો જંગ છે.જનરલ,જોઈન્ટ સેક્રેટરીપદમાં 9 ઉમેદવારો મેદાને છે જનરલ સેક્રેટરીપદમાં ચંદ્રેશ પીપળીયા,એચ આઈ પટેલ વચ્ચે જંગ જામ્યો છે.ખજાનચીપદમાં 4 ઉમેદવારો ચૂંટણી મેદાને છે.કુલ 3887 મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરી રહ્યા છે.સિનીયર વકીલો અને જુનિયર વકીલોમાં મતદાન કરવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.

Advertisment