સુરત: પાલ વિસ્તારમાં કાર ચાલકે મોપેડ સવાર દંપત્તિને લીધુ અડફેટે,પતિનું મોત પત્ની ગંભીર

પાલ વિસ્તારમાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.લગ્ન પ્રસંગે જઈ રહેલા મોપેડ સવાર દંપતિને કાર ચાલકે અડફેટે લેતા મોપેડ ચાલકનું મોત નીપજ્યું હતું

New Update
સુરત: પાલ વિસ્તારમાં કાર ચાલકે મોપેડ સવાર દંપત્તિને લીધુ અડફેટે,પતિનું મોત પત્ની ગંભીર

સુરત શહેરના પાલ વિસ્તારમાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.લગ્ન પ્રસંગે જઈ રહેલા મોપેડ સવાર દંપતિને કાર ચાલકે અડફેટે લેતા મોપેડ ચાલકનું મોત નીપજ્યું હતું જ્યારે મહિલાને ગંભીર ઇજા પહોંચી હતી.

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં વેડ રોડ શિવ છાયા સોસાયટીમાં રહેતા 44 વર્ષીય રત્નકલાકાર મહેશ રાજા ઘોઘારી તેઓના ભાઈના પુત્રના લગ્ન પ્રસંગમાં મોપેડ પર પત્ની સાથે વેસુ ખાતે જઈ રહ્યા હતા દરમિયાન પાલ બ્રિજ પર પૂર ઝડપે આવી રહેલ કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો કાર ચાલકે ડિવાઈડર કૂદીને મોપેડ સવાર દંપતિને અડફેટે લીધા હતા. ઘટનામાં દંપતીને ગંભીરી ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થ હોસ્પિટલે ખસેડાયા હતા.જ્યાં ટૂંકી સારવાર બાદ મહેશ ઘોઘારીનું મોત નીપજ્યું હતું. પત્ની શોભા ઘોઘારીને ગંભીર ઇજાઓ થતા હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.મહેશભાઈ ઘોઘારી કતારગામ ખાતે હીરાના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરિવારમાં પત્ની અને બે પુત્ર છે પુત્રો હાલ અભ્યાસ કરી રહ્યા છે.અચાનક અકસ્માત સર્જાતા પરિવારના મુખ્યા મહેશભાઈ ઘોઘારીનું મોત નીપજતા પરિવારમાં શોક ફેલાઈ ગયો છે

Read the Next Article

સુરત : કર્મનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણી ઉપાકર્મ વિધિ અંતર્ગત શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ભૂદેવોએ યજ્ઞોપવિત કરી ધારણ

સુરતમાં શ્રાવણી પૂનમ એટલે કે બળેવના પાવન પ્રસંગે કર્મનાથ મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં બ્રાહ્મણો એકત્ર થયા હતા.અને શ્રાવણી ઉપાકર્મ વિધિ થકી નવી યજ્ઞોપવિત ધારણ કરી હતી.

New Update
  • રક્ષાબંધન ધાર્મિક અને આત્મિક શુદ્ધિનો પણ પર્વ

  • કર્મનાથ મહાદેવ ખાતે શ્રાવણી ઉપાકર્મ વિધિ

  • શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી વિધિ

  • બ્રાહ્મણોએ નવી યજ્ઞોપવિત કરી ધારણ

  • ભાઈ બહેનના અતૂટ પ્રેમના પર્વની ઉજવણી

સુરતમાં શ્રાવણી પૂનમ એટલે કે બળેવના પાવન પ્રસંગે કર્મનાથ મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં બ્રાહ્મણો એકત્ર થયા હતા.અને શ્રાવણી ઉપાકર્મ વિધિ થકી નવી યજ્ઞોપવિત ધારણ કરી હતી.

શ્રાવણ માસની પૂનમના પવિત્ર દિવસે દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમ અને રક્ષાના અતૂટ બંધનના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. રક્ષાબંધનનો પર્વ બ્રાહ્મણ સમાજ માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ દિવસે બ્રાહ્મણો દ્વારા'શ્રાવણી ઉપાકર્મવિધિનું આયોજન કરવામાં આવે છેજેમાં તેઓ જૂની જનોઈ બદલીને નવી ધારણ કરે છે. આ વિધિને શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે સંપન્ન કરવામાં આવે છે. આ પ્રક્રિયાને શુદ્ધિપ્રાયશ્ચિત અને નવા સંકલ્પનું પ્રતીક માનવામાં આવે છે.

સુરતમાં આ પવિત્ર અવસરે કર્મનાથ મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં બ્રાહ્મણો એકત્ર થયા હતા. ત્યાં શ્રાવણી ઉપાકર્મ વિધિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બ્રાહ્મણોએ વેદોક્ત મંત્રોના પાઠ સાથે જૂની જનોઈનો ત્યાગ કરી નવી જનોઈ ધારણ કરી હતી.આ પ્રસંગે વાતાવરણમાં એક અનોખી આધ્યાત્મિકતા અને પવિત્રતાનો અનુભવ થયો હતો.

આ ઉપરાંત રક્ષાબંધનના પર્વ પર બહેનો તેમના ભાઈઓના કલાઈ પર રાખડી બાંધીને તેમના લાંબા આયુષ્યસુખ-સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરે છેજ્યારે ભાઈઓ તેમની રક્ષા કરવાનું વચન આપે છે. આ તહેવાર માત્ર ભાઈ-બહેનના સંબંધને જ નહીંપરંતુ સામાજિક અને ધાર્મિક મહત્વને પણ ઉજાગર કરે છે.