સુરત : અલથાણના રામેશ્વર કેશવ હાઈટ ફ્લેટમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ, ફાયર ફાઇટરો દોડ્યા

સુરત શહેરના અલથાણ વિસ્તારમાં આવેલ રામેશ્વર કેશવ હાઈટ ફ્લેટમાં ભીષણ આગ ફાટી નીકળતા લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

New Update
સુરત : અલથાણના રામેશ્વર કેશવ હાઈટ ફ્લેટમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ, ફાયર ફાઇટરો દોડ્યા

સુરત શહેરના અલથાણ વિસ્તારમાં આવેલ રામેશ્વર કેશવ હાઈટ ફ્લેટમાં ભીષણ આગ ફાટી નીકળતા લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ થતાં જ દોડી આવેલા ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

સુરત શહેરના અલથાણ વિસ્તારમાં આવેલ રામેશ્વર કેશવ હાઈટના ફ્લેટ નંબર 202માં રહેતા સંજય કેવલરામ નારણ બહારથી દરવાજો બંધ કરી બહાર ગયા હતા. ત્યાર બાદ અચાનક ઘરમાં આગ ફાટી નીકળી હતી. ઘટનાને લઇ આજુબાજુના લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. લોકો પોતાના જીવ બચાવી બિલ્ડીંગના ધાબા પર દોડી ગયા હતા. આગની ચપેટમાં આજુબાજુના 201, 203 અને 204 નંબરના ફ્લેટ પણ આવી ગયા હતા. તો બીજી તરફ બનાવની જાણ થવાની સાથે જ ફાયર વિભાગની 15થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી, જ્યાં આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેડવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, 30થી વધુ લોકોના રેસક્યુ કરીને બચાવ કરવામાં આવ્યો હતો. લગભગ એક કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ધાબા પર રોકાયેલા તમામ લોકોને સહી સલામત નીચે ઉતારવામાં આવ્યા હતા. તો આગની ઘટનામાં 202, 203 અને 204 નંબરના ફ્લેટમાં રહેલ ઘર સામગ્રી બળીને ખાક થઈ ગઈ હતી, જ્યારે અન્ય ફ્લેટોમાં પણ ભારે નુકસાન થયું હતું.

મહત્વની વાત એ છે કે, એક વર્ષ પહેલા લોકો આ ફ્લેટમાં રહેવા આવ્યા હતા અને બિલ્ડરે લોકોને પ્રાથમિક સુવિધા આપ્યા વગર જ ફ્લેટોનો કબજો શોપી દીધો છે, ત્યારે સ્થાનિકો બિલ્ડર ઉપર આક્ષેપ કરી રહ્યા છે કે, બિલ્ડરે હજુ સુધી પાણીની લાઇન આપી નથી. ફાયર સેફટી માટે NOCની જરૂરત હોય છે, ત્યારે બિલ્ડર દ્વારા કોઈપણ પ્રકારની NOC લેવામાં આવી નથી. તેમજ સુડા પાસેથી BUC પરમિશન પણ લીધી નથી.

Read the Next Article

સુરત : રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાના યોગ દિવસની ઉજવણી કરાય...

21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

New Update
  • સરસાણા ડોમ ખાતે 11મા વિશ્વ યોગ દિવસની ઉજવણી

  • રાજ્યના વન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિ

  • જિલ્લાકક્ષાની ઉજવણીમાં મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા

  • સાંસદધારાસભ્યો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા

  • આજરોજ અંદાજે 4.50 લાખથી નાગરિકો યોગમય બન્યા 

સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત 11મા વિશ્વ યોગ દિવસની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આજે તા. 21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સુરત જિલ્લાકક્ષાની ઉજવણીમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાતની થીમ પર કેન્દ્રિત રહી હતીજેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો હતો.

આ ઉજવણીમાં શહેરની સામાજિક સંસ્થાઓશાળા-કોલેજના વિદ્યાર્થીઓઅને પાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. સુરત જિલ્લામાં યોગ દિવસની ઉજવણીમાં 3200થી વધુ સ્થળોએ અંદાજે 4.50 લાખથી વધુ નાગરિકો યોગમય બન્યા હતા. આ વિશાળ જનભાગીદારી યોગ પ્રત્યે લોકોમાં વધતી જાગૃતિ અને તેને દૈનિક જીવનનો ભાગ બનાવવાની ઈચ્છા દર્શાવે છે.

સામૂહિક યોગાભ્યાસ દ્વારા સમાજમાં સ્વાસ્થ્ય અને સુખાકારીનો સંદેશ ફેલાવવામાં આવ્યોજે એક પૃથ્વી એક શ્વાસના વૈશ્વિક સંદેશને મૂર્તિમંત કરે છે. સામૂહિક યોગાભ્યાસ કાર્યક્રમ સુરતના નાગરિકોની એકતા અને સ્વાસ્થ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બન્યો હતો. આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલધારાસભ્યોકલેકટરપાલિકા કમિશ્નરપોલીસ કમિશનર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories