સુરત : પાંડેસરામાં મસાલાની દુકાનમાં આગ ફાટી નીકળતા અફરાતફરી, ફાયર ફાઇટરો દોડ્યા...
સુરત શહેરના પાંડેસરા સ્થિત મસાલાની દુકાનમાં વહેલી સવારે આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
BY Connect Gujarat13 March 2023 7:35 AM GMT
X
Connect Gujarat13 March 2023 7:35 AM GMT
સુરત શહેરના પાંડેસરા સ્થિત મસાલાની દુકાનમાં વહેલી સવારે આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવના પગલે ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ કૈલાશનગર ચોકડી સ્થિત ગીતા નગર નજીક આર.પી.એસ. નામથી મસાલાની દુકાન આવેલી છે, જ્યાં વહેલી સવારે દુકાન બંધ હતી, તે દરમ્યાન દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. દુકાનમાં આગ લાગ્યાની જાણ ફાયર વિભાગને થતાં જ ફાયર ફાઇટરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, ત્યારે ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. પરંતુ આગના કારણે આખી દુકાન બળીને ખાખ થઇ ગયી હોવાનું જાણવા મળ્યું હતું.
Next Story