સુરત : હજીરા પાસે ડમ્પર અને બસ વચ્ચે જોરદાર ટક્કર સર્જાતા પલટી મારી,અકસ્માતમાં એકનું મોત,15થી વધુ લોકો ઈજાગ્રસ્ત

સુરતના હજીરા પાસે ડમ્પર અને ખાનગી ટ્રાવેલ્સની બસ વચ્ચે જોરદાર ટક્કર સર્જાઈ હતી.સર્જાયેલા અકસ્માતમાં બંને કદાવર વાહનો પલટી મારી ગયા હતા,

author-image
By Connect Gujarat Desk
New Update
  • હજીરા માર્ગ પર ડમ્પર બસ વચ્ચે જોરદાર ટક્કર

  • અકસ્માતમાં બંને વાહનોએ મારી પલટી

  • ડમ્પર ચાલક સાઇકલ અને કારને બચાવવા જતા સર્જાયો અકસ્માત

  • બસમાં સવાર એક વ્યક્તિનું મોત,15થી વધુ ઘાયલ

  • અકસ્માતના સીસીટીવી ફૂટેજ આવ્યા બહાર

સુરતના હજીરા પાસે ડમ્પર અને ખાનગી ટ્રાવેલ્સની બસ વચ્ચે જોરદાર ટક્કર સર્જાઈ હતી.સર્જાયેલા અકસ્માતમાં બંને કદાવર વાહનો પલટી મારી ગયા હતા,જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું,જ્યારે 15થી વધુ ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.

સુરતના હજીરા પાસે ડમ્પર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે.અને ઘટનાનાCCTV સામે આવ્યા છે.એક સાઈકલ ચાલક રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે રસ્તા પરથી એક કાર પસાર થઈ રહી હતી અને પાછળથી એક ડમ્પર પૂરઝડપે આવી રહ્યું હતું. આ સમયે ડમ્પરનો ચાલક બંનેને બચાવવા જતા સામેથી આવી રહેલી બસ સાથે અથડાયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કેબસનો કાચ તૂટી જતા ત્રણ લોકો બહાર પટકાયા હતા. બસ અને ડમ્પર બંને પલટી ગયા હતા. અકસ્માતના કારણે રસ્તા પર લોકોમાં નાસભાગ મચી હતી.

હજીરાનીAMNS કંપનીમાં કામ કરતા કામદારોને લઈને જતી બસમાં 50 થી વધુ લોકો સવાર હતા. આ અકસ્માતમાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું,જ્યારે 15 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.અને તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે  હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ઘટના અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Read the Next Article

સુરત : બિસ્માર માર્ગ મુદ્દે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ,ભાજપના ઝંડા લગાવી કાર્યકરોએ પૂર્યા ખાડા

સુરત શહેરમાં વરસેલા મુશળધાર વરસાદને પગલે રસ્તા બિસ્માર બન્યા છે. જેના કારણે તંત્ર પર ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

New Update
  • શહેરના રસ્તા બન્યા ખાડામય

  • પ્રથમ વરસાદમાં જ રસ્તા પર પડ્યા ખાડા

  • યુથ કોંગ્રેસ દ્વારા કરાયો ઉગ્ર વિરોધ

  • ખાડામાં ભાજપના લગાવ્યા ઝંડા

  • ભાજપ સરકાર વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર

  • કોંગી કાર્યકર્તાઓએ પૂર્યા ખાડા

સુરત શહેરમાં વરસેલા મુશળધાર વરસાદને પગલે રસ્તા બિસ્માર બન્યા છે. જેના કારણે તંત્ર પર ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
સુરત શહેર વિકસિત શહેરની અગ્ર હરોળમાં આવે છે.પરંતુ લોકોને પડતી અસુવિધાઓથી શહેરની છબીને લાંછન પણ લાગી રહ્યું છે.વર્તમાન પરિસ્થિતિ જે બાબતની ચાળી ખાઈ રહી છે.જેમાં પ્રથમ વરસાદે જ શહેરના રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય છવાય જતા રસ્તા સમસ્યારૂપ બન્યા છે.
શહેરના રસ્તાઓ પર ખાડા પડવાના કારણે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરીને વાહન લઈને પસાર થઈ રહ્યા છે.ત્યારે આ મુદ્દે કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.કોંગ્રેસના કાર્યકર્તાઓએ ખાડામાં ભાજપના ઝંડા લગાવીને ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર વિરોધ કર્યો હતો.અને કોંગી કાર્યકર્તાઓએ ખાડા પુરોને ભાજપ સરકારના તંત્ર પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા.