સુરત: પાંડેસરા સ્થિત ખાડી નજીક ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી આવતા ચકચાર,ફુલ સામાન બાળાનું મોત

સુરતના પાંડેસરા વિસ્તારમાં ખાડી પાસે કચરામાંથી એક નવજાત બાળકી સ્થાનિક મહિલાઓને મળી આવી હતી,અને આ બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવતા તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી.

New Update
  • પાંડેસરામાં નવજાત બાળકી ત્યજી દેવાઈ

  • ખાડી નજીક કચરામાંથી મળી બાળકી

  • સ્થાનિક મહિલાઓએ  બાળકીને સિવિલ હોસ્પિટલ ખસેડી

  • તબીબે બાળકીને મૃત જાહેર કરી

  • પોલીસે શરૂ કરી તપાસ  

સુરતના પાંડેસરા વિસ્તારમાં ખાડી પાસે કચરામાંથી એક નવજાત બાળકી સ્થાનિક મહિલાઓને મળી આવી હતી,અને આ બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવતા તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી.

સુરતના પાંડેસરા વિસ્તારમાં ખાડી પાસેના કચરાના ઢગલામાંથી બાળક રડવાનો અવાજ આવતો હતો ,તેમજ પક્ષીઓનો જમાવડો પણ જોવા મળ્યો હતો.જે ઘટના સ્થાનિક મહિલાઓના ધ્યાનમાં આવતા કચરાના ઢગલા પાસે જઈને તપાસ કરતા ચોંકી ઉઠ્યા હતા,કોઈ નિષ્ઠુર માતા કે કુંવારી માતા દ્વારા આ નવજાત બાળકીને જન્મ આપીને ત્યજી દેવામાં આવી હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે,અને નિષ્ઠુર માતા પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. સ્થાનિક મહિલાઓ દ્વારા બાળકીને સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લઇ જવામાં આવી હતી.જોકે હાજર તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી.ઘટના અંગે પોલીસ દ્વારા જરૂરી તપાસ શરૂ કરવામાં આવી હતી.

Read the Next Article

સુરત : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્વની કરાઈ ઉજવણી

સુરત શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શ્રી કૃષ્ણકુમાર સિંહ શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી..

New Update
  • શ્રી કૃષ્ણકુમાર સિંહ શાળામાં યોજાયો કાર્યક્રમ   

  • કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્વની ઉજવણી

  • ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ

  • બાળકોનો કુમકુમ પગલે શાળામાં પ્રવેશ

  • તેજસ્વી વિદ્યાર્થીઓનું કરાયું સન્માન

સુરત શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી કૃષ્ણકુમાર સિંહ શાળામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતા હેઠળ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

સુરત શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શ્રી કૃષ્ણકુમાર સિંહ શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતા હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિ ચેરમેનજિલ્લા શિક્ષણ અધિકારી ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા,જયારે શાળાનું પ્રથમ પગથિયું ચઢતા નાના ભુલકાઓને કુમકુમ તિલક કરી અને કુમકુમ પગલા સાથે શાળામાં આવકારવામાં આવ્યા હતા.આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સૌ બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.