સુરત : સુરતમાં પરિણીતાનું વિધિના બહાને ભુવાએ શિયળ લૂંટ્યું,પોલીસે કરી પાખંડીની ધરપકડ

લોકોએ ભુવાને પકડીને તેનું અર્ધ મુંડન કરી મોઢામાં ચંપલ મુકાવી માફી મંગાવી હતી.અને પોલીસે પણ નરાધમની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો..

New Update
  • ભુવાએ વિધિના બહાને મહિલા સાથે આચર્યું દુષ્કર્મ

  • પતિ પત્નીને ભુવાએ કીધું તમારો ભાગ્ય યોગ પાકી ગયો છે

  • પતિ પત્નીને વશમાં કરી નિર્વસ્ત્ર કરી પતિને બહાર મોકલી આપ્યો

  • પતિની ગેરહાજરીમાં મહિલા સાથે ભુવા ભરતે આચર્યું દુષ્કર્મ

  • કાપોદ્રા પોલીસ મથકમાં ભુવા વિરૂદ્ધ બળાત્કારનો ગુનો નોંધાવ્યો

  • પોલીસે બળાત્કારી ભુવાની કરી ધરપકડ 

સુરતના કાપોદ્રામાં પિતરાઈ ભાઈના ઘરે મહેમાન બનીને આવેલા અમરેલીના ધારીના ભુવા ભરત કુંજડિયાએ વિધિના બહાને પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટનાથી રોષ ફાટી નીકળ્યો હતો.ભુવાના પાખંડ સામે જનાક્રોશ જોવા મળ્યો હતો,અને લોકોએ ભુવાને પકડીને તેનું અર્ધ મુંડન કરી મોઢામાં ચંપલ મુકાવી માફી મંગાવી હતી.અને પોલીસે પણ નરાધમની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

ગુજરાતના છોટા ઉદેપુરમાં ભુવાએ તાંત્રિક બલિના બહાને એક માસુમ બાળકીની હત્યા કરી નાખી હતી,હજી આ ચકચારી ઘટનામાં પોલીસ તપાસ ચાલી રહી છે,ત્યાંજ સુરત માંથી અન્ય એક ભુવાના પાખંડની ઘટના પ્રકાશમાં આવી છે.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતી 42 વર્ષીય પરિણીતાને ત્યાં અવારનવાર અમરેલીના ધારીના નવા ચરખા ગામે રહેતો ફઈજીનો દીકરો એવો ભૂવો ભરત કડવા કુંજડિયા આવતો જતો હતો. આ ભૂવો આ પરિવારનો સંબંધી જ થતો હોવાથી સુરતમાં કોઈ વ્યક્તિને ત્યાં વિધિ કરવા આવવાનું થાય ત્યારે અહીં પણ આવતો અને રોકાતો હતો.

ગત 19મી જાન્યુઆરીએ આ ભૂવો વિધિ માટે આવ્યો હતો.તેની સાથે તેમના સેવક તરીકે તેમનો પુત્ર ધ્રુવ અને સંબંધી અતુલ પણ આવ્યા હતા. થોડાક સમય રોકાયા બાદ યજમાનને ત્યાં વિધિમાં ગયા બાદ 21મીએ પરિણીતાના પતિને બોલાવી એક સંબંધીને ત્યાં લઈ ગયો હતો.

રાત્રે આ પરિણીતાના ઘરે જ ભૂવો રોકાઈ ગયો હતો. તે વખતે તમારું ભાગ્ય જાગી ગયું છેકહી વિધિના બહાને આ દંપતીને એક રૂમમાં લઇ ગયો હતો.અહીં બંનેને નગ્ન કરી વિધિનું નાટક કરી પતિને રૂમની બહાર મોકલી દીધો હતો.પરિણીતા એકલી રહી ત્યારે ભૂવાએ પોતાનો અસલી ચહેરો બતાવ્યો હતો.અને દુષ્કર્મ આચર્યું હતું.પરિણીતાએ પોતાની સાથે થયેલા બળાત્કારને લઈ સોમવારે 10 માર્ચ રાત્રે કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જ ભૂવો ફરાર થઈ ગયો હતો.

ભૂવાએ જે રીતે વિધિના બહાને દુષ્કર્મ આચર્યું હતુંતેનાથી ધારી અને સુરતના સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. વિધિના બહાને પરિણીતાને પીંખી નાખ્યા બાદ સુરતથી ભાગી છૂટેલા ભૂવાએ 7મી માર્ચે સીમાડા ગામે મદદ ફાઉન્ડેશનમાં મળેલી સમાજની મિટિંગમાં પોતે બળાત્કાર કર્યાનું સ્વીકાર્યું હતું. ભૂવો વતન અમરેલીના ગામ પહોંચતા લોકો એટલી હદે રોષે ભરાયા હતા કેતેને માતાજીના મઢમાં લઇ જઇ અડધો ટકો કરી મોઢામાં ચંપલ મુકાવી માફી પણ મંગાવી હતી. ભૂવાને પકડીને સખત સજાની માંગણી કરાઈ રહી છે.

પરિણીતા પર દુષ્કર્મ આચરવાનો મામલો ગંભીર હોવાથી ઇન્સ્પેક્ટર એમ.બી. ઔસુરાએ વધુ તપાસ હાથ ધરી એક ટીમ અમરેલી મોકલી હતી. કાપોદ્રા પોલીસની ટીમ આરોપી ભૂવાને પકડી સુરત લઈ આવી હતી. હાલ તો આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Read the Next Article

સુરત : 23 વર્ષીય મોડેલ યુવતીએ આપઘાત કરી લેતા પરિવાર સ્તબ્ઘ, માનસિક તણાવમાં અંતિમ પગલું ભર્યું હોવાની પોલીસને આશંકા

સુરતમાં વધુ એક 23 વર્ષની મોડેલ યુવતીના આપઘાતને લઈને ચકચાર મચી છે, ત્યારે યુવતીએ માનસિક તણાવમાં અંતિમ પગલું ભર્યું હોવાની આશંકા સાથે અઠવા પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

New Update
  • શહેરમાં વધુ એક 23 વર્ષીય મોડેલ યુવતીનો આપઘાત

  • યુવતીએ પંખે લટકી આપઘાત કરતાં પરિવાર સ્તબ્ઘ

  • માનસિક તણાવમાં અંતિમ પગલું ભર્યું હોવાની આશંકા

  • યુવતીએ કોઈ સુસાઇડ નોટ લખી નથી : સુરત પોલીસ

  • અઠવા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે વધુ તપાસ

સુરતમાં વધુ એક 23 વર્ષની મોડેલ યુવતીના આપઘાતને લઈને ચકચાર મચી છેત્યારે યુવતીએ માનસિક તણાવમાં અંતિમ પગલું ભર્યું હોવાની આશંકા સાથે અઠવા પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

સુરતમાં કારકિર્દી નાની ઉંમરે ઘડીને પૂરપાટ દોડતી અને માત્ર 23 વર્ષની વયે મોડેલ યુવતીએ પંખે લટકી આપઘાત કરી લેતાં પરિવાર સ્તબ્ઘ થઈ ગયો હતો. મળતી માહિતી અનુસારશહેરના નવસારી બજાર સ્થિત કાર્તિક એપાર્ટમેન્ટમાં રહેતી 23 વર્ષીય અંજલિ અલ્પેશભાઈ વરમોરાના પરિવારમાં તેની માતાએક ભાઈ અને એક બહેન છે. પિતા અલ્પેશભાઈ વરમોરા GEBની કોલોનીમાં કામ કરતા હતા. તેમનું અઢી વર્ષ પહેલાં એક અકસ્માતમાં મોત નીપજ્યું હતું. ત્યારબાદ પરિવારની તમામ જવાબદારી માતાએ ઉઠાવી છે. માતા પણ કામ કરીને પરિવાર ચલાવી રહ્યા છે. 2 વર્ષ પહેલાં અંજલિની સગાઈ કરવામાં આવી હતી.

અંજલિએ એક વર્ષ પહેલાં જ મોડેલિંગની દુનિયામાં પગ મુક્યો હતો. અલગ અલગ કંપનીઓ સાથે કામ કર્યા બાદ છેલ્લા થોડા મહિનાઓથી રેવન્યુ મોડેલ કાસ્ટિંગ એજન્સીમાં મોડેલિંગનું કામ કરતી હતી. સુરત અને અમદાવાદના અલગ અલગ પ્રોજેક્ટ પર તે કામ કરતી હતીજ્યારે શૂટિંગનું કામ હોય ત્યારે જ તે જતી હતીઅને બાકીનો સમય તે ઘરે રહેતી હતી. એ જે કામ કરતી હતીએમાં પરિવારનો સંપૂર્ણ સપોર્ટ હતો. જોકેઆપઘાતનું પગલું ભરનાર અંજલિ દ્વારા કોઈ સુસાઇડ નોટ પણ લખવામાં આવી નથીજેને લઈને પોલીસે હવે અંજલિના મોબાઈલ ફોન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પ્રાથમિક રીતે માનસિક તણાવમાં પગલું ભર્યું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. જોકેઆ મામલે અઠવા પોલીસ વધુ તપાસ કરી રહી છે.