/connect-gujarat/media/post_banners/efb9ebfd5d090c2cb29121502a394192429e50edb6f6e8a3b702d554fe4a4e14.jpg)
સુરતના ઓલપાડ તાલુકાનાં દેલાડ ગામે નજીવી બાબતે એક વ્યક્તિની ચપ્પુના ઘાર મારી હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.
સોમવારની મોડી રાત્રીએ સુરતના ઓલપાડ તાલુકાના દેલાડ ગામે નજીવી બાબતે ઝઘડો થયો હતો જેમાં એક યુવકનું મોત નીપજ્યું હતું. ઘટના પર નજર કરીએ તો, સોમવારની રાત્રીએ દેલાડ ગામના ગોખલે કોલોની વિસ્તારમાં રહેતા દિનેશ રાઠોડ તેની બાઈક લઈને જઈ રહ્યો હતો. તે દરમિયાન એક દુકાન પાસે આવતા વિશાલ વસાવા મોટરસાઇકલ સામે આવી જતા ઝઘડો કર્યો હતો. થોડી જ ક્ષણોમાં આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લીધું અને ઉશ્કેરાઈ જઈને વિશાલે દિનેશને ચપ્પુના ઉપરાછાપરી ઘા મારી દીધા હતા.જેમાં દિનેશ રાઠોડનું મોત નીપજ્યું હતું.મૃતક દિનેશ રાઠોડને સારવાર મળે એ પહેલાં જ તેણે દમ તોડી દીધો હતો.
બીજી તરફ ઘટનાની જાણ પોલીસને કરાતા ઓલપાડ પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ દિનેશ ના મૃતદેહ ને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં વિશાલ મુકેશ વસાવાનું નામ ખુલતા પોલીસે તેને ગણતરીના કલાકોમાં જ દબોચી લઇ જેલ હવાલે કરી દીધો હતો.