સુરત: કલકત્તા દુષ્કર્મ અને હત્યાની ઘટનાને વખોડી કાઢતું ABVP,મમતા સરકાર હાય હાયના લગાવ્યા નારા

પશ્ચિમ બંગાળમાં કલકત્તાની ચકચારી રેપ વિથ મર્ડરની ઘટનાના દેશભરમાં પડઘા પડ્યા છે.અને તબીબો બાદ હવે વિદ્યાર્થી સંગઠન દ્વારા પણ પીડિત યુવતીને ન્યાય મળે તે માટે દેખાવો યોજવામાં આવ્યા

New Update

કલકત્તા દુષ્કર્મ અને હત્યાનોમામલો

સુરત તબીબો બાદ હવે એબીવીપી આવ્યું મેદાનમાં

વીર નર્મદ યુનિવર્સિટી ખાતેABVP દ્વારા દેખાવ

મમતા સરકાર હાય હાયના નારા લગાવ્યા

આરોપીને કડકમાં કડક સજા કરવા માંગકરાઇ

પશ્ચિમ બંગાળના કલકત્તા ખાતે આશાસ્પદ તબીબ યુવતી સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટનાનાપડઘા દેશભરમાં પડયા છેત્યારે પીડિત યુવતીને ન્યાય અપાવવા માટે સુરત વિદ્યાર્થી સંગઠનABVP દ્વારા પણ મમતાસરકારનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

પશ્ચિમ બંગાળમાં કલકત્તાની ચકચારી રેપ વિથ મર્ડરની ઘટનાનાદેશભરમાં પડઘા પડ્યા છે.અને તબીબો બાદ હવે વિદ્યાર્થી સંગઠન દ્વારા પણ પીડિત યુવતીને ન્યાય મળે તે માટે દેખાવો યોજવામાં આવ્યા છે.

જે અંતર્ગત સુરતની વીર નર્મદ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થી સંગઠનABVP દ્વારા મમતા સરકાર સામે દેખાવો કર્યા હતા,અને મમતા સરકાર હાય હાય ના નારા લગાવ્યા હતા,પીડિત યુવતીને ન્યાય મળે અને નરાધમ આરોપીઓને કડકમાંકડક સજા કરવામાં આવે તેવી માંગ વિદ્યાર્થી સંગઠનABVP દ્વારા કરવામાં આવી હતી.

Read the Next Article

સુરત : ભાઠા ગામમાં ગૂંગળામણથી ત્રણ સિનિયર સીટીઝનના નિપજ્યા કરૂણ મોત, FSLની મદદથી પોલીસે શરૂ કરી તપાસ

જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા. રાત્રી દરમિયાન ત્રણે રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય ઘરે આવતા ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા

New Update
  • ભાઠામાં સર્જાય ગંભીર ઘટના

  • ત્રણ સિનિયર સીટીઝનના નિપજ્યા મોત

  • ગૂંગળામણથી મોત થયા હોવાનું અનુમાન

  • જનરેટરનો ધુમાડો બન્યો મોતનું કારણ

  • પોલીસેFSLની મદદથી શરૂ કરી તપાસ  

સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતાં ત્રણ લોકોનાં મોત થયા હતા. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. એક પુરુષ અને બે મહિલા સહિત ત્રણનાં મોત થયાં હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.

સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતાં એકજ પરિવારના ત્રણ લોકો બાલુ પટેલ ઉં.વ. 77,સીતાબેન પટેલ ઉં.વ.56,વેદાબેન પટેલ ઉં.વ.60ના મોત થયા હતા. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા. રાત્રી દરમિયાન ત્રણે રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય ઘરે આવતા ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. 

પ્રાથમિક દ્રષ્ટિએ જનરેટરના કારણે મોત થયું હોય તેવું અનુમાન છે. હાલ પોલીસે ત્રણેય સભ્યના મોત જનરેટરના ધુમાડાના કારણે થયા છે,કે પછી અન્ય કારણોસર તેની તપાસ માટેFSLની મદદ લીધી છે. ત્રણેય મૃતદેહનો કબજો મેળવી પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે.