સુરત : સામુહિક દુષ્કર્મ આચરીને સગીરાને પેટ્રોલ છાંટી જીવતી સળગાવી દેવાની ઘટનામાં આરોપી બે વર્ષે ઝડપાયો

સુરતની સરથાણા પોલીસે 2023ના એક ચકચારી ગેંગરેપ અને મર્ડર કેસમાં એક આરોપીને ઝડપી લીધો છે.ઉત્તરપ્રદેશથી 16 વર્ષની સગીરાને એલ્યુમિનિયમની કંપનીમાં કામ કરતો કારીગર મહાવીર અપહરણ કરીને લઈ આવ્યો હતો.

New Update
  • સામુહિક દુષ્કર્મ અને હત્યાનો મામલો

  • સગીરા સાથે આચરવામાં આવ્યું હતું સામૂહિક દુષ્કર્મ

  • આરોપીઓએ પેટ્રોલ છાંટીને યુવતીને સળગાવી હતી

  • ઉત્તર પ્રદેશમાં યુવતીનું નિપજયુ હતું મોત

  • બે વર્ષ બાદ પોલીસે આરોપીની કરી ધરપકડ 

સુરતની સરથાણા પોલીસે2023ના એક ચકચારી ગેંગરેપ અને મર્ડર કેસમાં એક આરોપીને ઝડપી લીધો છે.ઉત્તરપ્રદેશથી16વર્ષની સગીરાને એલ્યુમિનિયમની કંપનીમાં કામ કરતો કારીગર મહાવીર અપહરણ કરીને લઈ આવ્યો હતો. ત્યારબાદ ફેક્ટરીમાં જ તેના માલિક નિક્ષિત ઘરસાડિયા અને કારીગર દ્વારા બંનેએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.અને પેટ્રોલ છાંટીને યુવતીને સળગાવી દીધી હતી,જે ઘટનામાં બે વર્ષ બાદ પોલીસે નિક્ષિતને ઝડપી લીધો છે.

સુરતના સરથાણ પોલીસની હદ વિસ્તારમાં આવેલ એલ્યુમિનિયમની ફેક્ટરીમાં બે વર્ષ પહેલા જધન્ય ઘટના બની હતી,જેમાં આ કંપનીમાં કામ કરતો કારીગર મહાવીર વર્ષ2023માં ઉત્તરપ્રદેશથી16વર્ષની સગીરાનું અપહરણ કરીને લઇ આવ્યો હતો,અને ફેકટરીના માલિક નિક્ષિત ઘરસાડીયા અને કારીગર મહાવીર દ્વારા સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું,કંપનીના માલિક અને કારીગરે હેવાનિયતની હદ વટાવતા ગેંગરેપ પીડિતાને પેટ્રોલ છાંટી જીવતી સળગાવી દીધી હતી. જેથી સગીરાનું સારવાર દરમિયાન ઉત્તરપ્રદેશમાં મોત નિપજ્યું હતું.

આ કેસ ઉત્તરપ્રદેશમાં નોંધાતા છેલ્લા બે વર્ષથી આરોપીની શોધખોળ ચાલી રહી હતી. આ દરમિયાન ઉત્તરપ્રદેશ પોલીસે સરથાણા પોલીસની મદદ માંગી હતી. જેથી સરથાણા પોલીસને નિક્ષિત રોજ પાનના ગલ્લે સિગરેટ પીવા આવતો હોવાની બાતમી મળી હતી. ત્યારબાદ વોચ ગોઠવી તેને ઝડપી લેવાયો હતો.અને હાલ આરોપીની કસ્ટડી ઉત્તરપ્રદેશ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Read the Next Article

સુરતના એકમાત્ર “પ્લાસ્ટિક મુક્ત” અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું...

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update

નાગરિકો માટે પોલીસ સેવા સુલભ બને તેવું આયોજન

સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત અલથાણ પોલીસ સ્ટેશન

અલથાણ પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું

પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની વિશેષ વ્યવસ્થા

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અલથાણ પોલીસ સ્ટેશન સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત પોલીસ સ્ટેશન તેમજ સોલાર પાવર સિસ્ટમથી સંચાલિત છેત્યારે આ પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અલથાણ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યમાં શાંતિસુરક્ષા સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા તેમજ ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી તથા આમ નગારિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓફરિયાદોમાં અલથાણ પોલીસ સ્ટેશન મદદરૂપ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલસંદીપ દેસાઈધારાસભ્ય સંગીતા પાટીલસુરત શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓસામાજિક આગેવાનો  સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.