સુરત : કતારગામમાં જામીન પર છૂટેલા આરોપીએ બેગ બાબતે યુવાનની કરી હત્યા,પોલીસે હત્યારાની કરી ધરપકડ

સુરત કતારગામમાં જામીન પર છૂટેલા રીઢા વાહનચોરે બેગ મામલે પોતાના ભાડૂતની ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી.પોલીસે હત્યારાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી

New Update
  • કતારગામમાં થયેલ હત્યાનો મામલો

  • 21 વર્ષીય નેપાળી યુવાનની હત્યા થઇ હતી

  • ગળું કાપી યુવકની હત્યા કરવામાં આવી હતી

  • પોલીસે આરોપીની ધરપકડ કરી

  • સામાન ભરવાની બેગ પરત માંગતા કરી હતી હત્યા

  • પકડાયેલ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે

  • આરોપી 4 દિવસ પહેલા જ  જામીન પર મુક્ત થયો હતો 

સુરતના કતારગામમાં ચાર દિવસ પૂર્વે જ જામીન પર છૂટેલા રીઢા વાહનચોરે બેગ મામલે પોતાના ભાડૂતની ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી.પોલીસે હત્યારાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.

સુરતના કતારગામ ગોતાલાવાડી રેલરાહત કોલોનીમાં રહેતો 40 વર્ષીય પ્રકાશ મૂળજી સોસા 4 દિવસ પૂર્વે જ વાહનચોરીના કેસમાં જામીન પર લાજપોર જેલથી બહાર આવ્યો હતો.7મી માર્ચે બનેલા બનાવમાં પ્રકાશ સોસા તેના 20 વર્ષીય નેપાળી ભાડૂત સરોજ દીપક બોહરાના રૂમમાંથી તેની બેગ લઇ જતો રહ્યો હતો.

જેથી સરોજ પોતાની બેગ લેવા પ્રકાશના રૂમ પર ગયો હતો. જ્યાં બંને વચ્ચે માથાકૂટ થતાં પ્રકાશે સરોજના ગળે ચપ્પુના ઘા ઝીંકી તેની હત્યા કરી નાખી હતી. આ મામલે મૃતકના બનેવી આકાશ પુને ફરિયાદ નોંધાવતા કતારગામ પોલીસે રીઢા આરોપી પ્રકાશ સોસાની ધરપકડ કરી હતી.

મૃતક સરોજ મૂળ નેપાળનો હતો અને તે હીરાના કારખાનામાં મજૂરી કરતો હતો.પોલીસે જણાવ્યું કે રીઢો પ્રકાશ સોસા અગાઉ કતારગામ પોલીસમાં વાહનચોરીજુગારમારામારી જેવા ગંભીર 5 ગુનામાં પકડાયો હતો. એટલું જ નહિ થોડા દિવસ પહેલા વાહનચોરીમાં કતારગામ પોલીસે તેને પકડી પાડી લાજપોર જેલમાં મોકલી આપ્યો છે.

Read the Next Article

સુરત : સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસના 14માંથી 4 મશીન બંધ, દર્દીઓને 5 કલાક રાહ જોવાનો વારો આવ્યો..!

સિવિલ હોસ્પિટલમાં રોજ OPD બેઝ પર ડાયાલિસિસ કરાવવા માટે 25થી 30 જેટલા દર્દીઓ આવે છે. આ ઉપરાંત દાખલ દર્દીઓનું પણ ડાયાલિસિસ અહીં જ કરાવવામાં આવે છે.

New Update
  • શહેરની સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને હાલાકી

  • ડાયાલિસિસના 14માંથી 4 મશીનો કેટલાક સમયથી બંધ

  • રોજ સરેરાશ 5 દર્દીઓ 5 કલાક સુધી રાહ જોવા મજબૂર

  • 4 મશીનોમાં R/O સહિતની સામાન્ય ખામી સર્જાય : RMO

  • વહેલી તકે તમામ મશીનો કાર્યરત થઈ જશે : કેતન નાયક 

સુરત શહેરની સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસના 14માંથી 4 મશીનો બંધ હોવાથી રોજ સરેરાશ 5 દર્દીઓ 5 કલાક સુધી રાહ જોવા મજબૂર બન્યા છે. સુરત શહેરની સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગમાં ચોથા માળે ડાયાલિસિસ વિભાગમાં 14 મશીનો મુકવામાં આવ્યા છે. જોકેતેમાંથી 2 મશીન ચેપી રોગના દર્દીઓ માટેના છેઅને તે સિવાયના 12 મશીન પૈકી 4 મશીન અલગ-અલગ ખામીઓના કારણે છેલ્લા કેટલાક સમયથી બંધ અવસ્થામાં છે. સિવિલ હોસ્પિટલમાં રોજ OPD બેઝ પર ડાયાલિસિસ કરાવવા માટે 25થી 30 જેટલા દર્દીઓ આવે છે. આ ઉપરાંત દાખલ દર્દીઓનું પણ ડાયાલિસિસ અહીં જ કરાવવામાં આવે છે. હાલ 4 મશીનો બંધ હોવાથી દર્દીઓને 5 કલાક સુધી રાહ જોવી પડી રહી છે.

સમગ્ર મામલે તબીબી અધિકારીએ જણાવ્યું હતું કે4 મશીનોમાં R/O સહિતની સામાન્ય ખામી સર્જાય છેજે બાબતે મેઈન્ટેનન્સ કરવા કહી દેવાયું છે. હાલ રિપેરિંગ કામગીરી ચાલી રહી છેઅને વહેલી તકે તમામ મશીનો કાર્યરત થઈ જશે. અત્રે ઉલ્લેખનીય છે કેતમામ મશીનો ચાલુ હોય ત્યારે રોજના 30 ડાયાલિસિસ થતા હતા. તેની સામે હાલ 4 મશીન બંધ હોવાથી 25 જેટલા દર્દીઓના જ ડાયાલિસિસ થઈ રહ્યા છે. જેથી 4થી 5 ડાયાલિસિસના દર્દીઓને 5 કલાક સુધી રાહ જોવાનો વારો આવી રહ્યો છે.