સુરત : કતારગામમાં જામીન પર છૂટેલા આરોપીએ બેગ બાબતે યુવાનની કરી હત્યા,પોલીસે હત્યારાની કરી ધરપકડ

સુરત કતારગામમાં જામીન પર છૂટેલા રીઢા વાહનચોરે બેગ મામલે પોતાના ભાડૂતની ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી.પોલીસે હત્યારાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી

New Update
  • કતારગામમાં થયેલ હત્યાનો મામલો

  • 21 વર્ષીય નેપાળી યુવાનની હત્યા થઇ હતી

  • ગળું કાપી યુવકની હત્યા કરવામાં આવી હતી

  • પોલીસે આરોપીની ધરપકડ કરી

  • સામાન ભરવાની બેગ પરત માંગતા કરી હતી હત્યા

  • પકડાયેલ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે

  • આરોપી 4 દિવસ પહેલા જ  જામીન પર મુક્ત થયો હતો

સુરતના કતારગામમાં ચાર દિવસ પૂર્વે જ જામીન પર છૂટેલા રીઢા વાહનચોરે બેગ મામલે પોતાના ભાડૂતની ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી.પોલીસે હત્યારાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.

સુરતના કતારગામ ગોતાલાવાડી રેલરાહત કોલોનીમાં રહેતો 40 વર્ષીય પ્રકાશ મૂળજી સોસા 4 દિવસ પૂર્વે જ વાહનચોરીના કેસમાં જામીન પર લાજપોર જેલથી બહાર આવ્યો હતો.7મી માર્ચે બનેલા બનાવમાં પ્રકાશ સોસા તેના 20 વર્ષીય નેપાળી ભાડૂત સરોજ દીપક બોહરાના રૂમમાંથી તેની બેગ લઇ જતો રહ્યો હતો.

જેથી સરોજ પોતાની બેગ લેવા પ્રકાશના રૂમ પર ગયો હતો. જ્યાં બંને વચ્ચે માથાકૂટ થતાં પ્રકાશે સરોજના ગળે ચપ્પુના ઘા ઝીંકી તેની હત્યા કરી નાખી હતી. આ મામલે મૃતકના બનેવી આકાશ પુને ફરિયાદ નોંધાવતા કતારગામ પોલીસે રીઢા આરોપી પ્રકાશ સોસાની ધરપકડ કરી હતી.

મૃતક સરોજ મૂળ નેપાળનો હતો અને તે હીરાના કારખાનામાં મજૂરી કરતો હતો.પોલીસે જણાવ્યું કે રીઢો પ્રકાશ સોસા અગાઉ કતારગામ પોલીસમાં વાહનચોરીજુગારમારામારી જેવા ગંભીર 5 ગુનામાં પકડાયો હતો. એટલું જ નહિ થોડા દિવસ પહેલા વાહનચોરીમાં કતારગામ પોલીસે તેને પકડી પાડી લાજપોર જેલમાં મોકલી આપ્યો છે.

Read the Next Article

સુરત : ભાઠા ગામમાં ગૂંગળામણથી ત્રણ સિનિયર સીટીઝનના નિપજ્યા કરૂણ મોત, FSLની મદદથી પોલીસે શરૂ કરી તપાસ

જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા. રાત્રી દરમિયાન ત્રણે રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય ઘરે આવતા ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા

New Update
  • ભાઠામાં સર્જાય ગંભીર ઘટના

  • ત્રણ સિનિયર સીટીઝનના નિપજ્યા મોત

  • ગૂંગળામણથી મોત થયા હોવાનું અનુમાન

  • જનરેટરનો ધુમાડો બન્યો મોતનું કારણ

  • પોલીસેFSLની મદદથી શરૂ કરી તપાસ  

સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતાં ત્રણ લોકોનાં મોત થયા હતા. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. એક પુરુષ અને બે મહિલા સહિત ત્રણનાં મોત થયાં હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.

સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતાં એકજ પરિવારના ત્રણ લોકો બાલુ પટેલ ઉં.વ. 77,સીતાબેન પટેલ ઉં.વ.56,વેદાબેન પટેલ ઉં.વ.60ના મોત થયા હતા. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા. રાત્રી દરમિયાન ત્રણે રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય ઘરે આવતા ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. 

પ્રાથમિક દ્રષ્ટિએ જનરેટરના કારણે મોત થયું હોય તેવું અનુમાન છે. હાલ પોલીસે ત્રણેય સભ્યના મોત જનરેટરના ધુમાડાના કારણે થયા છે,કે પછી અન્ય કારણોસર તેની તપાસ માટેFSLની મદદ લીધી છે. ત્રણેય મૃતદેહનો કબજો મેળવી પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે.