સુરત : કતારગામમાં જામીન પર છૂટેલા આરોપીએ બેગ બાબતે યુવાનની કરી હત્યા,પોલીસે હત્યારાની કરી ધરપકડ

સુરત કતારગામમાં જામીન પર છૂટેલા રીઢા વાહનચોરે બેગ મામલે પોતાના ભાડૂતની ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી.પોલીસે હત્યારાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી

New Update
  • કતારગામમાં થયેલ હત્યાનો મામલો

  • 21 વર્ષીય નેપાળી યુવાનની હત્યા થઇ હતી

  • ગળું કાપી યુવકની હત્યા કરવામાં આવી હતી

  • પોલીસે આરોપીની ધરપકડ કરી

  • સામાન ભરવાની બેગ પરત માંગતા કરી હતી હત્યા

  • પકડાયેલ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે

  • આરોપી 4 દિવસ પહેલા જ  જામીન પર મુક્ત થયો હતો 

Advertisment

સુરતના કતારગામમાં ચાર દિવસ પૂર્વે જ જામીન પર છૂટેલા રીઢા વાહનચોરે બેગ મામલે પોતાના ભાડૂતની ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી.પોલીસે હત્યારાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.

સુરતના કતારગામ ગોતાલાવાડી રેલરાહત કોલોનીમાં રહેતો 40 વર્ષીય પ્રકાશ મૂળજી સોસા 4 દિવસ પૂર્વે જ વાહનચોરીના કેસમાં જામીન પર લાજપોર જેલથી બહાર આવ્યો હતો.7મી માર્ચે બનેલા બનાવમાં પ્રકાશ સોસા તેના 20 વર્ષીય નેપાળી ભાડૂત સરોજ દીપક બોહરાના રૂમમાંથી તેની બેગ લઇ જતો રહ્યો હતો.

જેથી સરોજ પોતાની બેગ લેવા પ્રકાશના રૂમ પર ગયો હતો. જ્યાં બંને વચ્ચે માથાકૂટ થતાં પ્રકાશે સરોજના ગળે ચપ્પુના ઘા ઝીંકી તેની હત્યા કરી નાખી હતી. આ મામલે મૃતકના બનેવી આકાશ પુને ફરિયાદ નોંધાવતા કતારગામ પોલીસે રીઢા આરોપી પ્રકાશ સોસાની ધરપકડ કરી હતી.

મૃતક સરોજ મૂળ નેપાળનો હતો અને તે હીરાના કારખાનામાં મજૂરી કરતો હતો.પોલીસે જણાવ્યું કે રીઢો પ્રકાશ સોસા અગાઉ કતારગામ પોલીસમાં વાહનચોરીજુગારમારામારી જેવા ગંભીર 5 ગુનામાં પકડાયો હતો. એટલું જ નહિ થોડા દિવસ પહેલા વાહનચોરીમાં કતારગામ પોલીસે તેને પકડી પાડી લાજપોર જેલમાં મોકલી આપ્યો છે.

Advertisment
Read the Next Article

સુરત : બે’રોજગાર રત્ન કલાકારોના બાળકોની 1 વર્ષની શિક્ષણ ફી રાજ્ય સરકાર ચૂકવશે : હર્ષ સંઘવી

રાજ્યમાં બેરોજગાર રત્ન કલાકારોના આપઘાતની ઘટના અને હીરા ઉદ્યોગમાં ચાલતી મંદીને ડામવા ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો બેરોજગાર રત્ન કલાકારો માટે સહાય પેકેજની જાહેરાત સરકારે કરી

New Update
  • બેરોજગાર રત્ન કલાકારો માટે સહાય પેકેજની જાહેરાત

  • રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકારોના બાળકો માટે નિર્ણય

  • રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિસ્તૃત માહિતી આપી

  • રત્ન કલાકારોના બાળકોની 1 વર્ષની શિક્ષણ ફી ચૂકવાશે

  • નાના ઉદ્યોગોને લોન પર 9% 3 વર્ષ સુધી વ્યાજ સહાય 

Advertisment

રાજ્યમાં બેરોજગાર રત્ન કલાકારોના આપઘાતની ઘટના અને હીરા ઉદ્યોગમાં ચાલતી મંદીને ડામવા ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છેત્યારે સુરત ખાતેથી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ યોજના અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

ડાયમંડ ઉદ્યોગના 50 વર્ષમાં છેલ્લાં 3 વર્ષથી સૌથી લાંબી મંદી ચાલી રહી છેજેને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગત તા. 11 માર્ચે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશના હોદ્દેદારો સાથે બેઠક યોજીને રત્ન કલાકારોના હિતમાં નિર્ણય લેવાની જાહેરાત કરી હતી. આ મિટિંગના 74 દિવસ બાદ આખરે રાજ્ય સરકારે બેરોજગાર રત્ન કલાકારો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પેકેજની જાહેરાત કરતાં જણાવ્યું હતું કેરત્ન કલાકારના સંતાનની એક વર્ષની શિક્ષણ ફી વધુમાં વધુ 13,500 સુધીની માફ કરવામાં આવશે. આ ફી સરકાર DBT મારફત ટ્રાન્સફર કરશેજ્યારે નાના ઉદ્યોગોને 5 લાખની લોન પર 9%ની 3 વર્ષ સુધી વ્યાજ સહાય તથા વીજ ડ્યૂટીમાં એક વર્ષની રાહત અપાશે.

વધુમાં તેઓએ જણાવ્યુ હતું કેકોઈપણ રત્ન કલાકારોને નોકરી મેળવવા માટે અવ્યવસ્થા ન થાય તે માટેની સુવિધા ઉભી કરવામાં આવી છે તેજી-મંદી વેપારનો ભાગ છે. મંદી પણ દૂર થશેજ્યારે મંદી હોય ત્યારે રાજ્ય સરકારે રત્ન કલાકારોને રાહત આપવા આ નિર્ણય લીધો છે. જેમાં તા. 31 માર્ચ-2024 પછી કામ ન મળ્યું હોય તેમજ જેમને છુટા કર્યા હોય તેવા રત્ન કલાકારોને સરકારની સહાયનો લાભ મળશે.

Advertisment
Latest Stories