સુરત : જમાઈને બદનામ કરવા હિન્દુ સમાજની લાગણી દુભાય તેવા પેમ્પલેટ છપાવનાર આચાર્ય સસરા સસ્પેન્ડ

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં જમાઈને બદનામ કરવા માટે ખોટા પેમ્પલેટ છપાવનાર આચાર્ય સસરાને શિક્ષણ સમિતિ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

New Update
  • લિંબાયતમાં જમાઈને બદનામ કરવા ઘડાયું હતું કાવતરું

  • હિન્દુ સમાજની લાગણી દુભાય તે માટે પેમ્પલેટ છપાવ્યા

  • ખોટા પેમ્પલેટ છપાવનાર આચાર્ય સસરા થઈ છે ધરપકડ

  • કડક કાર્યવાહી કરવા ભારતીય ગૌરક્ષા મંચની હતી રજૂઆત

  • શિક્ષણ સમિતિ દ્વારા આચાર્ય સસરા સસ્પેન્ડ કરવામાં આવ્યા

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં જમાઈને બદનામ કરવા માટે ખોટા પેમ્પલેટ છપાવનાર આચાર્ય સસરાને શિક્ષણ સમિતિ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

સુરતની લિંબાયત પોલીસે થોડા દિવસ અગાઉ એક સરકારી શિક્ષકની ધરપકડ કરી હતી. જે સરકારી શિક્ષક ઉપર પોતાની દીકરીને હેરાન કરનાર જમાઈને બદનામ કરવાનો આરોપ લાગ્યો છે. જેમાં બદલો લેવા માટે સરકારી શિક્ષકે હિન્દુ સમાજની લાગણી દુભાય તેવા લખાણ સાથેના પેમ્પલેટ છપાવ્યા હતા. જેમાં હિન્દુ સંગઠન સહિત અન્ય લોકો સરકારી શિક્ષકના વિરોધમાં પોલીસ મથકે જાયઅને જ્યારે પોલીસ તપાસ થઈ ત્યારે જાણવા મળ્યું કેલિંબાયતમાં જમાઈના ટ્યુશન ક્લાસીસને બંધ કરાવવા અને તેને વિદ્યા સહાયની સરકારી નોકરી ન મળે તે માટે સસરાએ જ પેમ્પલેટ વાયરલ કર્યા હતા. આ મામલે શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક 234ના આચાર્ય સુલેમાન ચાંદ શેખ વિરુદ્ધ પોલીસ ફરિયાદ બાદ ધરપકડ કરવામાં આવી હતી. જોકેઆચાર્ય કક્ષાના વ્યક્તિ દ્વારા સમાજમાં વૈમનસ્ય ફેલાવાવાના વિરોધમાં આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવે તેવી ભારતીય ગૌરક્ષા મંચ દ્વારા શિક્ષણ સમિતિને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતીત્યારે આ મામલે આચાર્ય સુલેમાન ચાંદ શેખને શાસનાધિકારી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

Read the Next Article

સુરત : રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાના યોગ દિવસની ઉજવણી કરાય...

21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

New Update
  • સરસાણા ડોમ ખાતે 11મા વિશ્વ યોગ દિવસની ઉજવણી

  • રાજ્યના વન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિ

  • જિલ્લાકક્ષાની ઉજવણીમાં મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા

  • સાંસદધારાસભ્યો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા

  • આજરોજ અંદાજે 4.50 લાખથી નાગરિકો યોગમય બન્યા 

સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત 11મા વિશ્વ યોગ દિવસની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આજે તા. 21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સુરત જિલ્લાકક્ષાની ઉજવણીમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાતની થીમ પર કેન્દ્રિત રહી હતીજેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો હતો.

આ ઉજવણીમાં શહેરની સામાજિક સંસ્થાઓશાળા-કોલેજના વિદ્યાર્થીઓઅને પાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. સુરત જિલ્લામાં યોગ દિવસની ઉજવણીમાં 3200થી વધુ સ્થળોએ અંદાજે 4.50 લાખથી વધુ નાગરિકો યોગમય બન્યા હતા. આ વિશાળ જનભાગીદારી યોગ પ્રત્યે લોકોમાં વધતી જાગૃતિ અને તેને દૈનિક જીવનનો ભાગ બનાવવાની ઈચ્છા દર્શાવે છે.

સામૂહિક યોગાભ્યાસ દ્વારા સમાજમાં સ્વાસ્થ્ય અને સુખાકારીનો સંદેશ ફેલાવવામાં આવ્યોજે એક પૃથ્વી એક શ્વાસના વૈશ્વિક સંદેશને મૂર્તિમંત કરે છે. સામૂહિક યોગાભ્યાસ કાર્યક્રમ સુરતના નાગરિકોની એકતા અને સ્વાસ્થ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બન્યો હતો. આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલધારાસભ્યોકલેકટરપાલિકા કમિશ્નરપોલીસ કમિશનર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.