સુરત : કઠોરમાં હત્યાની કોશિશમાં જામીન પર છૂટ્યા બાદ માથાભારે પિતાપુત્રએ સાક્ષી બનેલા વકીલ પર કર્યો જીવલેણ હુમલો

કઠોર ગામના માથાભારે પિતા-પુત્રએ વકીલ ઉપર ધારીયા વડે જીવલેણ હુમલો કર્યો હતો.આ ઘટનામાં ઉત્રાણ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી હુમલો કરનાર પિતા-પુત્રની ધરપકડ કરી

New Update
  • માથાભારે પિતાપુત્રનો વકીલ પર હુમલો

  • ધારિયા વડે વકીલ પર કર્યો જીવલેણ હુમલો

  • જુના કેસના સાક્ષીમાંથી ખસી જવા માટે કર્યો હુમલો

  • હુમલામાં વકીલ ગંભીર રીતે ઘાયલ

  • પોલીસે કરી પિતાપુત્રની ધરપકડ

સુરતના કામરેજ પોલીસ સ્ટેશનના ફાયરિંગએટ્રોસીટીના કેસમાં સાક્ષી તરીકે ખસી જઈ પોતાની ફેવરમાં જુબાની આપવા માટે ધાક-ધમકી આપનાર કઠોર ગામના માથાભારે પિતા-પુત્રએ વકીલ ઉપર ધારીયા વડે જીવલેણ હુમલો કર્યો હતો.આ ઘટનામાં ઉત્રાણ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી હુમલો કરનાર પિતા-પુત્રની ધરપકડ કરી હતી.

સુરત જિલ્લાના ઓલપાડના કઠોર ગામની શિવમ પાર્ક સોસાયટી નજીક સપન બંગ્લોઝમાં રહેતા વૃધ્ધ વકીલ ખુશાલ રણછોડભાઈ સોલંકીના વકીલ પુત્ર સૌરભ સોલંકી ઉપર બે દિવસ પહેલા સાંજે કઠોર ગામના રામજી મંદિર પાસે ધારીયા વડે હુમલો કરી પિતા પ્રકાશ કાંતીલાલ મૈસુરીયા અને તેનો પુત્ર આયુષ મૈસુરીયા ભાગી ગયા હતા. વકીલ સૌરભ સોલંકીને માથામાં ઉપરાછાપરી બેથી ત્રણ ઘા ઉપરાંત કાનકપાળ અને બંને હાથ સહિતના ભાગે ઘા મારતા ગંભીર ઈજા થઈ હતી અને હાલ કાપોદ્રા વિસ્તારની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

પાંચ વર્ષ અગાઉ તારીખ 20 જૂન 2020ના રોજ ખુશાલભાઈના જાતિભાઈ અરવિંદ વલ્લભ સોલંકી ઉપર અંગત અદાવતમાં ફાયરીંગ કર્યુ હતું. આ પ્રકરણમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં હત્યાનો પ્રયાસ એટ્રોસીટી એક્ટ અને આર્મ્સ એક્ટ હેઠળ નોંધાયેલી ફરિયાદમાં સૌરભ સાક્ષી છે. હાલ આ કેસમાં પ્રકાશ જામીનમુક્ત છે પરંતુકોર્ટમાં પુરાવા ઉપર ચાલી રહેલા કેસમાં પ્રકાશ છેલ્લા કેટલાક સમયથી સાક્ષીમાંથી ખસી જઈ પોતાની ફેવરમાં સાહેદી આપવા માટે સૌરભને ધમકી આપતો હતો અને બે દિવસ પહેલા સાંજે હિંસક હુમલો કર્યો હતો. ઉત્રાણ પોલીસે પિતા પ્રકાશ અને પુત્ર આયુષની ધરપકડ કરી છે.અને વધુ તપાસ શરૂ કરી છે.

Read the Next Article

સુરત : અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાત્વના પાઠવી...

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોતને ભેટેલા સુરતના મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનોએ સાત્વના પાઠવી હતી.

New Update
  • અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 250થી વધુ લોકોના મોત

  • રાંદેર વિસ્તારમાં રહેતા ડોક્ટર દંપતીનું પણ ઘટનામાં મોત

  • મૃતકના પરિવારને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પાઠવી સાત્વના

  • ડો. હિતેશ શાહે ઘણા વર્ષો સુધી લોકસેવા કરી : હર્ષ સંઘવી

  • મૃતકના પરિવારને શક્તિ આપે તેવી ભગવાનને પ્રાર્થના કરી

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોતને ભેટેલા સુરતના મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનોએ સાત્વના પાઠવી હતી.

ગત તા. 12મી જૂન-2025ના રોજ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સુરત શહેર અને જિલ્લામાં રહેતા 14 જેટલા લોકોમાંથી અત્યાર સુધીમાં 9 લોકોના DNA મેચ થઇ ગયા બાદ રાંદેર ખાતે રહેતા મૃતક ડોક્ટર દંપતી ડો. હિતેશ શાહ અને પત્ની અમિતા શાહના મૃતદેહ સુરત લવાયા હતા. ત્યારબાદ પરિવારજનો દ્વારા ડોક્ટર દંપતીના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતાત્યારે આજરોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીવન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અને સુરત શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલ રાંદેર ખાતે મૃતક ડોક્ટર દંપતીના નિવાસ્થાને તેમના પરિવારને મળવા પહોંચ્યા હતાજ્યાં શાહ પરિવારના સભ્યોને સાત્વના પાઠવવામાં આવી હતી.

હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કેસુરતમાં ગરીબોના મસીહા તરીકે ઓળખાતા ડોક્ટર હિતેશ શાહએ ઘણા વર્ષોથી આ ક્ષેત્રમાં લોકોની સેવા કરી છે. તેઓ ખૂબ સારા સર્જન હતાઅને તે પોતાના ધર્મપત્ની સાથે અમદાવાદથી યુકે તેમની બહેનને મળવા જતા હતાઅને પ્લેન ક્રેશની દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું છે. આ દુખદ ઘટનામાં ભગવાન મૃતક ડોક્ટર દંપતીના પરિવારને શક્તિ આપે તેવી પણ હર્ષ સંઘવીએ પ્રાર્થના કરી હતી.