સુરત : કઠોરમાં હત્યાની કોશિશમાં જામીન પર છૂટ્યા બાદ માથાભારે પિતાપુત્રએ સાક્ષી બનેલા વકીલ પર કર્યો જીવલેણ હુમલો

કઠોર ગામના માથાભારે પિતા-પુત્રએ વકીલ ઉપર ધારીયા વડે જીવલેણ હુમલો કર્યો હતો.આ ઘટનામાં ઉત્રાણ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી હુમલો કરનાર પિતા-પુત્રની ધરપકડ કરી

New Update
  • માથાભારે પિતાપુત્રનો વકીલ પર હુમલો

  • ધારિયા વડે વકીલ પર કર્યો જીવલેણ હુમલો

  • જુના કેસના સાક્ષીમાંથી ખસી જવા માટે કર્યો હુમલો

  • હુમલામાં વકીલ ગંભીર રીતે ઘાયલ

  • પોલીસે કરી પિતાપુત્રની ધરપકડ

Advertisment

સુરતના કામરેજ પોલીસ સ્ટેશનના ફાયરિંગએટ્રોસીટીના કેસમાં સાક્ષી તરીકે ખસી જઈ પોતાની ફેવરમાં જુબાની આપવા માટે ધાક-ધમકી આપનાર કઠોર ગામના માથાભારે પિતા-પુત્રએ વકીલ ઉપર ધારીયા વડે જીવલેણ હુમલો કર્યો હતો.આ ઘટનામાં ઉત્રાણ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી હુમલો કરનાર પિતા-પુત્રની ધરપકડ કરી હતી.

સુરત જિલ્લાના ઓલપાડના કઠોર ગામની શિવમ પાર્ક સોસાયટી નજીક સપન બંગ્લોઝમાં રહેતા વૃધ્ધ વકીલ ખુશાલ રણછોડભાઈ સોલંકીના વકીલ પુત્ર સૌરભ સોલંકી ઉપર બે દિવસ પહેલા સાંજે કઠોર ગામના રામજી મંદિર પાસે ધારીયા વડે હુમલો કરી પિતા પ્રકાશ કાંતીલાલ મૈસુરીયા અને તેનો પુત્ર આયુષ મૈસુરીયા ભાગી ગયા હતા. વકીલ સૌરભ સોલંકીને માથામાં ઉપરાછાપરી બેથી ત્રણ ઘા ઉપરાંત કાનકપાળ અને બંને હાથ સહિતના ભાગે ઘા મારતા ગંભીર ઈજા થઈ હતી અને હાલ કાપોદ્રા વિસ્તારની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

પાંચ વર્ષ અગાઉ તારીખ 20 જૂન 2020ના રોજ ખુશાલભાઈના જાતિભાઈ અરવિંદ વલ્લભ સોલંકી ઉપર અંગત અદાવતમાં ફાયરીંગ કર્યુ હતું. આ પ્રકરણમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં હત્યાનો પ્રયાસ એટ્રોસીટી એક્ટ અને આર્મ્સ એક્ટ હેઠળ નોંધાયેલી ફરિયાદમાં સૌરભ સાક્ષી છે. હાલ આ કેસમાં પ્રકાશ જામીનમુક્ત છે પરંતુકોર્ટમાં પુરાવા ઉપર ચાલી રહેલા કેસમાં પ્રકાશ છેલ્લા કેટલાક સમયથી સાક્ષીમાંથી ખસી જઈ પોતાની ફેવરમાં સાહેદી આપવા માટે સૌરભને ધમકી આપતો હતો અને બે દિવસ પહેલા સાંજે હિંસક હુમલો કર્યો હતો. ઉત્રાણ પોલીસે પિતા પ્રકાશ અને પુત્ર આયુષની ધરપકડ કરી છે.અને વધુ તપાસ શરૂ કરી છે.

Advertisment
Latest Stories