સુરત : વધુ એક રત્નકલાકારનો આપઘાત,આર્થિક સંકડામણમાં પગલું ભર્યાની આશંકા

મંદીની સૌથી વધુ માઠી અસર રત્નકલાકારોને થઈ રહી છે. જેમાં બેકારીનો સામનો કરી રહેલા રત્નકલાકારો આપઘાતના પગલા ભરી રહ્યા છે. ત્યારે વધુ એક બેકાર રત્નકલાકારે જીવન ટૂંકાવી દીધું

New Update
  • રત્નકલાકારના આપઘાતની ઘટનામાં વધારો

  • વધુ એક રત્નકલાકારે જીવનલીલા સંકેલી

  • 22 વર્ષીય યુવકે ઝેરી દવાના પીધા ઘૂંટ

  • હોસ્પિટલમાં સારવાર દરમિયાન નીપજ્યું મોત

  • આર્થિક સંકડામણમાં અંતિમ પગલું ભર્યું 

સુરતનો હીરા ઉદ્યોગ ભારે મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. આ મંદીની સૌથી વધુ માઠી અસર રત્નકલાકારોને થઈ રહી છે. જેમાં બેકારીનો સામનો કરી રહેલા રત્નકલાકારો આપઘાતના પગલા ભરી રહ્યા છે. ત્યારે વધુ એક બેકાર રત્નકલાકારે જીવન ટૂંકાવી દીધું છે.

સુરતના વરાછા વિસ્તારમાં રહેતા 22 વર્ષીય કેવલ બાબુભાઈ મકવાણાએ ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રાથમિક સારવાર માટે તેમને પહેલા સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ ખાનગી હોસ્પિટલ અને ત્યાર પછી સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી. પરંતુસતત બગડતી સ્થિતિ વચ્ચે કેવલએ અંતે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.

મૃતક કેવલ બાબુભાઈ મકવાણા:-

Keval

કેવલ રત્નકલાકાર તરીકે કાર્યરત હતો. પોતાના પરિવારના ગુજરાન માટે મહેનત કરતો હતો. તેની રત્નકલાકાર તરીકેની નોકરી છૂટી ગઈ હતી. જેથી આર્થિક સંકડામણ ઉભી થઈ હતી. જેના માનસિક તણાવમાં કેવલ રહેતો હતો. આ મામલે આત્મહત્યાનું કારણ આર્થિક સંકટ હોવાનું માનવામાં આવી રહ્યું છેજોકે વરાછા પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

સુરત : શ્રીજીની મૂર્તિઓની આંગળીઓ તોડી નાખતા મૂર્તિકાર ચિંતાગ્રસ્ત, ખટોદરા પોલીસે શરૂ કરી તપાસ

અજાણ્યા શખ્સો દ્વારા લગભગ 15થી 20 શ્રીજીની મૂર્તિઓની આંગળીઓ ખંડિત કરવામાં આવી છે. આ ઘટનાથી મૂર્તિકાર શોકમાં ગરકાવ થઈ ગયા છે અને તેમનો 4 મહિનાનો પરિશ્રમ નિષ્ફળ નિવડ્યો

New Update
  • મૂર્તિકારના ત્યાં મૂર્તિઓ ખંડિત કરવાનો મામલો

  • 10થી 15મૂર્તિઓ ખંડિત થતા મૂર્તિકાર વ્યથિત

  • ગણેશજીની મૂર્તિઓની આંગળીઓને નુકસાન

  • 4 મહિનાની મહેનતથી તૈયાર કરાઈ હતી મૂર્તિ

  • ખટોદરા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી તપાસ

સુરત શહેરના યુનિક હોસ્પિટલ નજીક આવેલા રામજીભાઈ મૂર્તિવાળા પાસે એક અતિ દુઃખદ ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સો દ્વારા લગભગ 15થી 20 શ્રીજીની મૂર્તિઓની આંગળીઓ ખંડિત કરવામાં આવી છે. આ ઘટનાથી મૂર્તિકાર શોકમાં ગરકાવ થઈ ગયા છે અને તેમનો 4 મહિનાનો પરિશ્રમ નિષ્ફળ જતા ખૂબ જ વ્યથિત થઈ ગયા હતા. સમગ્ર મામલે ખટોદરા પોલીસે તપાસ શરૂ કરી છે.

સુરત શહેરના યુનિક હોસ્પિટલ નજીક આવેલા રામજી મૂર્તિવાડા પાસે લગભગ 150થી વધુ ગણપતિની પ્રતિમાઓ બનાવવામાં આવી રહી છે. મૂર્તિકાર દ્વારા છેલ્લા 4 મહિનાથી અથાક મહેનત કરી આ મૂર્તિઓ તૈયાર કરવામાં આવી રહી હતી. જોકેઆરોપ છે કે અજાણ્યા લોકોએ આ 15થી 20 પ્રતિમાઓની આંગળીઓ ખંડિત કરી નાખી હતી. આ કૃત્ય પાછળ કોનો હાથ છે તે હજુ સુધી જાણી શકાયું નથી.

મૂર્તિકારનું કહેવું છે કેતેઓ જમવા માટે ગયા હતા તે દરમિયાન આ કૃત્ય કરવામાં આવ્યું છે. તેમને આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે મૂર્તિઓ જોવા માટે કેટલાક લોકો આવ્યા અને તેમની નજર ખંડિત થયેલી મૂર્તિઓ પર પડી. આ જોતા જ મૂર્તિકાર ભાંગી પડ્યા અને રડતા-રડતા પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

સૌથી મહત્વની વાત એ છે કેજેટલી પણ પ્રતિમાઓ છે તેમાંથી માત્ર શ્રીજીની પ્રતિમાઓની જ આંગળીઓ ખંડિત કરવામાં આવી છેઅન્ય કોઈ જગ્યાએ પ્રતિમાને નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી. આ સમગ્ર મામલાની જાણ થતા જ ખટોદરા પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે.