સુરત : વધુ એક રત્નકલાકારનો આપઘાત,આર્થિક સંકડામણમાં પગલું ભર્યાની આશંકા

મંદીની સૌથી વધુ માઠી અસર રત્નકલાકારોને થઈ રહી છે. જેમાં બેકારીનો સામનો કરી રહેલા રત્નકલાકારો આપઘાતના પગલા ભરી રહ્યા છે. ત્યારે વધુ એક બેકાર રત્નકલાકારે જીવન ટૂંકાવી દીધું

New Update
  • રત્નકલાકારના આપઘાતની ઘટનામાં વધારો

  • વધુ એક રત્નકલાકારે જીવનલીલા સંકેલી

  • 22 વર્ષીય યુવકે ઝેરી દવાના પીધા ઘૂંટ

  • હોસ્પિટલમાં સારવાર દરમિયાન નીપજ્યું મોત

  • આર્થિક સંકડામણમાં અંતિમ પગલું ભર્યું 

સુરતનો હીરા ઉદ્યોગ ભારે મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. આ મંદીની સૌથી વધુ માઠી અસર રત્નકલાકારોને થઈ રહી છે. જેમાં બેકારીનો સામનો કરી રહેલા રત્નકલાકારો આપઘાતના પગલા ભરી રહ્યા છે. ત્યારે વધુ એક બેકાર રત્નકલાકારે જીવન ટૂંકાવી દીધું છે.

સુરતના વરાછા વિસ્તારમાં રહેતા 22 વર્ષીય કેવલ બાબુભાઈ મકવાણાએ ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રાથમિક સારવાર માટે તેમને પહેલા સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ ખાનગી હોસ્પિટલ અને ત્યાર પછી સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી. પરંતુસતત બગડતી સ્થિતિ વચ્ચે કેવલએ અંતે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.

મૃતક કેવલ બાબુભાઈ મકવાણા:-

Keval

કેવલ રત્નકલાકાર તરીકે કાર્યરત હતો. પોતાના પરિવારના ગુજરાન માટે મહેનત કરતો હતો. તેની રત્નકલાકાર તરીકેની નોકરી છૂટી ગઈ હતી. જેથી આર્થિક સંકડામણ ઉભી થઈ હતી. જેના માનસિક તણાવમાં કેવલ રહેતો હતો. આ મામલે આત્મહત્યાનું કારણ આર્થિક સંકટ હોવાનું માનવામાં આવી રહ્યું છેજોકે વરાછા પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

સુરત : રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાના યોગ દિવસની ઉજવણી કરાય...

21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

New Update
  • સરસાણા ડોમ ખાતે 11મા વિશ્વ યોગ દિવસની ઉજવણી

  • રાજ્યના વન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિ

  • જિલ્લાકક્ષાની ઉજવણીમાં મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા

  • સાંસદધારાસભ્યો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા

  • આજરોજ અંદાજે 4.50 લાખથી નાગરિકો યોગમય બન્યા 

સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત 11મા વિશ્વ યોગ દિવસની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આજે તા. 21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સુરત જિલ્લાકક્ષાની ઉજવણીમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાતની થીમ પર કેન્દ્રિત રહી હતીજેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો હતો.

આ ઉજવણીમાં શહેરની સામાજિક સંસ્થાઓશાળા-કોલેજના વિદ્યાર્થીઓઅને પાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. સુરત જિલ્લામાં યોગ દિવસની ઉજવણીમાં 3200થી વધુ સ્થળોએ અંદાજે 4.50 લાખથી વધુ નાગરિકો યોગમય બન્યા હતા. આ વિશાળ જનભાગીદારી યોગ પ્રત્યે લોકોમાં વધતી જાગૃતિ અને તેને દૈનિક જીવનનો ભાગ બનાવવાની ઈચ્છા દર્શાવે છે.

સામૂહિક યોગાભ્યાસ દ્વારા સમાજમાં સ્વાસ્થ્ય અને સુખાકારીનો સંદેશ ફેલાવવામાં આવ્યોજે એક પૃથ્વી એક શ્વાસના વૈશ્વિક સંદેશને મૂર્તિમંત કરે છે. સામૂહિક યોગાભ્યાસ કાર્યક્રમ સુરતના નાગરિકોની એકતા અને સ્વાસ્થ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બન્યો હતો. આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલધારાસભ્યોકલેકટરપાલિકા કમિશ્નરપોલીસ કમિશનર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.