સુરત : સોશિયલ મીડિયામાં વિવાદમાં રહેતી કીર્તિ પટેલની ધરપકડ,બિલ્ડર પાસે માંગી હતી બે કરોડની ખંડણી

સુરતના બિલ્ડરને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરીને બદનામ કરવાનું કાવતરું રચી રૂપિયા બે કરોડની ખંડણી કેસમાં વિવાદાસ્પદ કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે.

New Update
  • કાપોદ્રા પોલીસે કરી કીર્તિ પટેલની ધરપકડ

  • કીર્તિ પટેલ સોશિયલ મીડિયામાં રહે છે વિવાદોમાં

  • બિલ્ડર પાસે બે કરોડની ખંડણી માંગી હોવાનો આરોપ

  • સોશિયલ મીડિયામાં બદનામ કરવાની આપી હતી ધમકી

  • કીર્તિ પટેલની અમદાવાથી પોલીસે કરી ધરપકડ

સુરતના બિલ્ડરને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરીને બદનામ કરવાનું કાવતરું રચી રૂપિયા બે કરોડની ખંડણી કેસમાં વિવાદાસ્પદ કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે.એક વર્ષ પહેલા નોંધાયેલી ફરિયાદમાં પોલીસે કીર્તિ પટેલની અમદાવાદથી ધરપકડ કરી હતી.

સુરત પોલીસે મંગળવારે 17 જૂને અમદાવાદ ખાતેથી સોશિયલ મિડીયામાં વિવાદોમાં રહેતી કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે. કીર્તિ પટેલ અને તેના સાગરીતો સામે એક વર્ષ પહેલા જાણીતા બિલ્ડર વજુ કાત્રોડિયા દ્વારા સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કેકીર્તિ પટેલ અને તેના સાગરીતોએ તેમની પાસે 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. જો 2 કરોડ રૂપિયા ન આપે તો ખોટા હનીટ્રેપના કેસમાં ફસાવવાની પણ ધમકી આપી હતી.

પોલીસે બિલ્ડર વજુ કાત્રોડિયાની ફરિયાદના આધારે એક વર્ષ પહેલાં કીર્તિ પટેલ સામે ગુનો દાખલ કર્યો હતો. જોકેફરિયાદ દાખલ થવાથી કીર્તિ પટેલ ફરાર હતીજે મંગળવારે અમદાવાદ ખાતે હોવાની બાતમી મળતા સુરત પોલીસે અમદાવાદથી કીર્તિ પટેલની ધરપકડ કરી હતી.અને વધુ તપાસ શરૂ કરી હતી.

Read the Next Article

સુરતના જ્વેલર્સએ વિશ્વની સૌથી નાની 22 કેરેટ શુદ્ધ સોનાની શ્રીજી અને લક્ષ્મીજીની મુર્તિ બનાવી...

દર્શક મિત્રો તમને જાણીને નવાઇ લાગશે કે, વિધ્નહર્તા ગણેશજીની સૌથી મોટી મુર્તિ ભારતમાં નહીં પરંતુ થાઇલેન્ડમાં છે. થાઈલેન્ડના ખ્લોંગ ખ્વેન શહેરમાં ગણેશ ઈન્ટરનેશનલ પાર્કમાં આ મુર્તિ સ્થાપિત કરવામાં આવી છે

New Update
  • ગણેશ ઉત્સવના પ્રારંભ પૂર્વે શ્રીજીભક્તોમાં અનેરો ઉત્સાહ

  • શહેરના વિવિધ વિસ્તારોમાં શ્રીજીને આવકારવા તૈયારીઓ

  • શહેરના જ્વેલર્સએ વિશ્વની સૌથી નાની મુર્તિઓ બનાવી

  • 22 કેરેટ શુદ્ધ સોનાની શ્રીજી અને લક્ષ્મીજીની મુર્તિ બનાવી

  • મુર્તિઓને પંચામૃતમાં વિસર્જિત કરી ફરી મંદિરમાં મુકાશે

ગણેશ ઉત્સવની શરૂઆત પહેલા સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં શ્રીજીને આવકારવાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છેત્યારે સુરતના એક જ્વેલર્સએ વિશ્વની સૌથી નાની 22 કેરેટ શુદ્ધ સોનાની ગણેશજી અને લક્ષ્મીજીની અનોખી મુર્તિ બનાવી છે.

દર્શક મિત્રો તમને જાણીને નવાઇ લાગશે કેવિધ્નહર્તા ગણેશજીની સૌથી મોટી મુર્તિ ભારતમાં નહીં પરંતુ થાઇલેન્ડમાં છે. થાઈલેન્ડના ખ્લોંગ ખ્વેન શહેરમાં ગણેશ ઈન્ટરનેશનલ પાર્કમાં આ મુર્તિ સ્થાપિત કરવામાં આવી છે. હવે તમને આ વાત જાણીને પણ નવાઈ લાગશે કેવિશ્વની સૌથી નાની ગણેશજી મૂર્તિ પણ બનાવવામાં આવી છે. સુરત શહેરના એક જ્વેલર્સએ વિશ્વની સૌથી નાની 22 કેરેટ શુદ્ધ સોનાની ગણેશજી અને લક્ષ્મીજીની અનોખી મુર્તિ બનાવી છે. માત્ર એક ઇંચની ગણેશજીની આ પ્રતિમાની વર્લ્ડ રેકોર્ડમાં પણ નોધણી કરવામાં આવશે. આ મુર્તિનું વજન માત્ર 10 ગ્રામ છેઅને લક્ષ્મીજીની પ્રતિમાનું વજન પણ 10 ગ્રામ છે.

આ બન્ને મુર્તિઓ ડિજિટલ ડિઝાઇનથી બનાવવામાં આવી છે. જેમાં 3પ્રિન્ટ ટેકનોલોજીથી એન્ટિક ફિનિશિંગ કરવામાં આવ્યું છે. એટલું જ નહીંબ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડસ (BIS) દ્વારા પણ આ બન્ને મુર્તિઓને પ્રમાણિત કરવામાં આવી છે. આ અંગે જ્વેલર્સએ જણાવ્યુ હતું કેદેવી-દેવતાની આ બન્ને મુર્તિ ઓર્ડરથી બનાવવામાં આવી છે. આ વર્ષે લોકો પોતાના ઘરે પણ ગોલ્ડ ગણપતિની સ્થાપના કરશે. જેમાં વિસર્જનના દિવસે મુર્તિઓને પંચામૃતમાં વિસર્જિત કરી ફરી મંદિરમાં પુજા-અર્ચના માટે મુકવામાં આવશે.