Connect Gujarat
સુરત 

સુરત: અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત, "આપ"ની સરકાર આવશે તો 300 યુનિટ સુધી ફ્રી વીજળી આપવાનું એલાન

કેજરીવાલે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાને 300 યુનિટની વીજળી મફત આપશે. સરકાર બનવાના ત્રણ મહિના બાદ

X

દિલ્હીના સી.એમ.અરવિંદ કેજરીવાલ આજે સુરતની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તેઓએ સૌથી મોટી જાહેરાત કરી હતી. તેઓએ ગુજરાતમાં આપની સરકાર બનશે તો 300 યુનિટ સુધી ફ્રી વીજળી આપવાની જાહેરાત કરી હતી

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સર્વે સર્વા અરવિંદ કેજરીવાલ સુરતની મુલાકાતે આવ્યા છે. સુરત અને તાપી જિલ્લામાં વિધાનસભાના ચૂંટણી દરમિયાન પોતાનું સંગઠન મજબૂત બને તેવા પ્રયાસો કરી રહ્યા છે. ગુજરાતમાં ચાલતા આમ આદમી પાર્ટીના વીજળી મોંઘીના અભિયાન બાદ આજે સુરતમાં અરવિંદ કેજરીવાલ પ્રથમ ગેરંટી સાથે દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ મફત વીજળી આપવાની જાહેરાત કરી છે.

કેજરીવાલે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાને 300 યુનિટની વીજળી મફત આપશે. સરકાર બનવાના ત્રણ મહિના બાદ તરત જ અમલમાં મુકાશે. કેજરીવાલે જણાવ્યું હતું કે, જે રીતે અમે દિલ્હી અને પંજાબમાં વીજળી મફત આપી રહ્યા છે તેવી જ રીતે ગુજરાતમાં પણ આપીશું. આ અમારી ગુજરાતને પહેલી ગેરંટી છે. સરકાર બનવાના ત્રણ મહિના બાદ તરત જ અમલમાં મુકાશે. અમારી એ છે કે બીજી ગેરંટી અમારી એ છે કે 24 કલાક વીજળી મળશે.

ગુજરાતમાં જ્યાં વીજળી કાપ છે ત્યાં પણ 24 કલાક વીજળી આપવામાં આવશે. વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં જે દારૂબંધી છે તેને યથાવત રાખવામાં આવશે પરંતુ મજાની વાત એ છે કે એને યોગ્ય રીતે પાલન કરાવવામાં આવશે. ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. આ લોકોએ બૂમાબૂમ કરીને કહ્યું કે ગુજરાતમાં દારૂ વેચાય છે. દારૂબંધી હોવા છતાં પણ ગેરકાયદેસર રીતે વેચાઈ રહ્યો છે તેના પૈસા કોની પાસે જાય છે?આ બાબતે આપ સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

Next Story