સુરત : મેટ્રોનો ઝૂકેલો સ્પાન ઉતારવા 7 ઓવરબ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ, અનેક વાહનચાલકોને હાલાકી

સુરતના સારોલી ખાતે મેટ્રો પ્રોજેક્ટના ફેઝ-2ની કામગીરી દરમ્યાન ખામી સર્જાતા હાલ મેટ્રો પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા સ્પાન હટાવવાની કામગીરી ચાલી રહી છે.

New Update

સુરતના સારોલી ખાતે મેટ્રો પ્રોજેક્ટના ફેઝ-2ની કામગીરી દરમ્યાન ખામી સર્જાતા હાલ મેટ્રો પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા સ્પાન હટાવવાની કામગીરી ચાલી રહી છે.

જેના કારણે ટ્રાફિકજામની પણ સમસ્યા સર્જાય છે. જેથી ટ્રાફિક વિભાગ દ્વારા પાલનપુર પાટિયાના 7 પોઇન્ટ જ્યાં ઓવરબ્રિજ આવે છેત્યાં તમામ ઓવરબ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેને લઇ વાહનચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે.

ગત તા. 30 જુલાઈ2024ના રોજ સુરતના સારોલીમાં મેટ્રો બ્રિજનો સ્પાન વળી ગયો હતો. આ ઘટનાને આજે ત્રીજો દિવસ છે અને સતત ત્રીજા દિવસે સુરતીઓ ટ્રાફિક જામમાં અટવાઈ રહ્યા છે. આમ 23 જુલાઈએ ખાડી પૂરમાં ફસાયેલા સુરતીઓ હવે ટ્રાફિકના ચક્રવ્યૂહમાં ફસાયા છે. આ બન્ને માનવ સર્જિત ઘટનાના કારણે 8 દિવસમાં 2 વાર સુરતીઓએ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જોકેહાલ સારોલી મેટ્રો બ્રિજનો ક્ષતિગ્રસ્ત સ્પાન હટાવવાની કામગીરી ચાલી રહી છે.

જેના પગલે અહીં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે. આ દરમિયાન પર્વત પાટિયાના તમામ પોઇન્ટ સુધી જનાર 7થી વધુ ઓવરબ્રિજ પર હેવી વ્હીકલ માટે પ્રતિબંધ મુકી ડાયવર્ઝન આપવામાં આવ્યો છે. જેમાં મજુરાગેટરિંગ રોડ બ્રિજસરદાર બ્રિજઉધના બ્રિજપર્વત પાટિયા બ્રિજસહારા દરવાજા બ્રિજ અને કમેલા દરવાજા બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તો બીજી તરફતંત્રના આ અણઘડ નિર્ણયથી સિટી બસના મુસાફરો તેમજ સ્કૂલ બસના વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કોઈપણ જાણકારી વગર જ નિર્ણય લેવાતા કામ-ધંધે નીકળેલા લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો.

 

Read the Next Article

સુરત : રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાના યોગ દિવસની ઉજવણી કરાય...

21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

New Update
  • સરસાણા ડોમ ખાતે 11મા વિશ્વ યોગ દિવસની ઉજવણી

  • રાજ્યના વન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિ

  • જિલ્લાકક્ષાની ઉજવણીમાં મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા

  • સાંસદધારાસભ્યો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા

  • આજરોજ અંદાજે 4.50 લાખથી નાગરિકો યોગમય બન્યા 

સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત 11મા વિશ્વ યોગ દિવસની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આજે તા. 21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સુરત જિલ્લાકક્ષાની ઉજવણીમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાતની થીમ પર કેન્દ્રિત રહી હતીજેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો હતો.

આ ઉજવણીમાં શહેરની સામાજિક સંસ્થાઓશાળા-કોલેજના વિદ્યાર્થીઓઅને પાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. સુરત જિલ્લામાં યોગ દિવસની ઉજવણીમાં 3200થી વધુ સ્થળોએ અંદાજે 4.50 લાખથી વધુ નાગરિકો યોગમય બન્યા હતા. આ વિશાળ જનભાગીદારી યોગ પ્રત્યે લોકોમાં વધતી જાગૃતિ અને તેને દૈનિક જીવનનો ભાગ બનાવવાની ઈચ્છા દર્શાવે છે.

સામૂહિક યોગાભ્યાસ દ્વારા સમાજમાં સ્વાસ્થ્ય અને સુખાકારીનો સંદેશ ફેલાવવામાં આવ્યોજે એક પૃથ્વી એક શ્વાસના વૈશ્વિક સંદેશને મૂર્તિમંત કરે છે. સામૂહિક યોગાભ્યાસ કાર્યક્રમ સુરતના નાગરિકોની એકતા અને સ્વાસ્થ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બન્યો હતો. આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલધારાસભ્યોકલેકટરપાલિકા કમિશ્નરપોલીસ કમિશનર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.