સુરત: કેન્દ્રીય કેબિનેટ જળ શક્તિમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે સૌને પાઠવી નવા વર્ષની શુભેચ્છા

સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે. દિવાળી અને નવા પર્વના નિમિત્તે હું આપ સૌને શુભેચ્છા પાઠવું

New Update
CR Patil Celebrate New Year
  • કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષે પાઠવી નવા વર્ષની શુભેચ્છા

  • સી આર પાટીલે ભાજપ કાર્યકર્તાઓને  નવા વર્ષે આપ્યો શુભેચ્છા સંદેશ

  • PM મોદીના નેતૃત્વમાં દેશ વિકાસની ઉંચાઈ કરી રહ્યો છે સ્તર

  • ચાર દીપ પ્રજ્વલિત કરવા માટે સૌને આહવાન કરતા સી આર પાટીલ

  • જળ સંચય થકી ભૂગર્ભજળનું સ્તર વધારવા કરાય રહ્યા છે પ્રયત્નો

Advertisment

 કેન્દ્રીય જળ સંસાધન મંત્રી સી.આર.પાટીલે આજે નવા વર્ષ પર પોતાના નિવાસસ્થાને પાર્ટીના કાર્યકર્તાઓ અને શુભેચ્છકો સાથે નવ વર્ષની ઉજવણી કરી હતી અને લોકોને શુભેચ્છા સંદેશ આપ્યા હતા.

 કેન્દ્રીય જળ સંસાધન મંત્રી સી.આર.પાટીલે પોતાના નિવાસસ્થાને પરિવારના સભ્યો અને પાર્ટીના કાર્યકર્તાઓ સાથે નવ વર્ષની ઉજવણી કરી હતી.મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમને મળવા આવ્યા હતા અને નવ વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.આ પ્રસંગે સી. આર. પાટીલે જણાવ્યું હતું કેવડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે. દિવાળી અને નવા પર્વના નિમિત્તે હું આપ સૌને શુભેચ્છા પાઠવું છું.

છેવાડાના પગથીયા પર દરેક વ્યક્તિ સુધી સુખ સમૃદ્ધિ પહોંચે તે માટે અમે કટિબદ્ધ છીએ. દિવાળીના પર્વ નિમિત્તે આપણે દીપ પ્રગટાવીએ છીએ.દીપમાળા પ્રગટાવવાના પગલે અંધકાર દૂર થાય છે. આપણે એક દિવસ દિવાળીના નામે દીપ પ્રગટાવીએ. એક દીપ નવા વર્ષના નામે પ્રગટાવીએ. એક દીપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચાર 2047 સુધી વિકસિત ભારતના નામે પ્રગટાવીએ અને એક દીપ જળસંચય જન ભાગીદારી તેમજ જન આંદોલનના નામે પ્રગટાવીએ.

 

Advertisment
Read the Next Article

ઓછો પગાર-કામનો વધુ બોજ..! : સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં વધુ 6 તબીબોનું રાજીનામું, શાસકો મૂંઝવણમાં...

તબીબો ખાનગી હોસ્પિટલોમાં વધુ આકર્ષક પગાર અને સુવિધાઓની લાલચે જોડાઈ રહ્યા છે. આ સમસ્યા નવી નથી, ભૂતકાળમાં પણ અનેક તબીબોએ સ્મીમેર હોસ્પિટલ છોડીને ખાનગી ક્ષેત્ર તરફ પલાયન કર્યું છે

New Update
  • મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી

  • સ્મીમેર હોસ્પિટલના વધુ 6 તબીબોનું સામૂહિક રાજીનામું

  • ઓછો પગારસાધનોકામનો બોજ બન્યા મુખ્ય કારણો

  • આરોગ્ય સેવાઓની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ ઊભો થયો

  • વધુ 6 તબીબોના રાજીનામાથી શાસકો મૂંઝવણમાં મુકાયા

Advertisment

ઓછો પગારઅપૂરતાં સાધનો અને કામનો અતિશય બોજ છોડી વધુ આકર્ષક પગાર અને સુવિધાઓની લાલચમાં સુરતની સ્મીમેર હોસ્પિટલમાં વધુ 6 તબીબોએ રાજીમાનું આપી દીધું છે.

સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં વધુ 6 તબીબોએ રાજીનામું આપી દીધું છે. આ તબીબો ખાનગી હોસ્પિટલોમાં વધુ આકર્ષક પગાર અને સુવિધાઓની લાલચે જોડાઈ રહ્યા છે. આ સમસ્યા નવી નથીભૂતકાળમાં પણ અનેક તબીબોએ સ્મીમેર હોસ્પિટલ છોડીને ખાનગી ક્ષેત્ર તરફ પલાયન કર્યું છે. ઓછો પગારઅપૂરતાં સાધનો અને કામનો અતિશય બોજ આની પાછળનાં મુખ્ય કારણો છે. જેના પરિણામેદર્દીઓને લાંબો સમય રાહ જોવી પડે છેઅને સારવારની ગુણવત્તા પણ ઘટી રહી છે.

ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશાનું કેન્દ્ર ધરાવતી સ્મીમેર હોસ્પિટલમાં આવી પરિસ્થિતિ આરોગ્ય સેવાઓની વિશ્વસનીયતા પર પ્રશ્નચિહ્ન ઉભું કરે છે. સ્મીમેરના વિવિધ વિભાગના વધુ 6 તબીબોના રાજીનામાની દરખાસ્ત શાસકો સમક્ષ મુકવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કેસ્મીમેર હોસ્પિટલમાં સ્ટાફની અછતને કારણે હાલના તબીબો પર વધુ દબાણ આવે છે. તેમજ દર્દીઓ પર ધ્યાન ન આપતા હોવાની ફરીયાદ પણ ઉઠે છે.

Advertisment