સુરત : જલારામ બાપા અંગે વિવાદાસ્પદ નિવેદન અને સ્વામીઓની પાપલીલાઓ સામે રોષ, સ્વામિનારાયણ સૈદ્ધાંતિક હિત રક્ષક સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન

વીરપુરના સંત શિરોમણી જલારામ બાપા વિશે સ્વામીએ કરેલા બફાટ બાદ ઉગ્ર વિરોધનો વંટોળ ફૂંકાયો છે,જ્યારે સ્વામીઓની પાપલીલાઓ સામે પણ આક્રોશ જોવા મળી રહ્યો છે.

New Update
  • જલારામ બાપા પર વિવાદાસ્પદ નિવેદનનો મામલો

  • સ્વામી સામે ફૂંકાયો છે વિરોધનો વંટોળ

  • સંપ્રદાયના સ્વામીની પાપલીલાઓ સામે પણ આક્રોશ

  • સ્વામિનારાયણ સૈદ્ધાંતિક હિત રક્ષક સમિતિ દ્વારા કરાયો વિરોધ  

  • સંપ્રદાય માંથી આવા સાધુઓને હાંકી કાઢવા કરાઈ માંગ

સુરતના શ્રી સ્વામિનારાયણ સૈદ્ધાંતિક હિત રક્ષક સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું,વીરપુરના સંત શિરોમણી જલારામ બાપા વિશે સ્વામીએ કરેલા બફાટ બાદ ઉગ્ર વિરોધનો વંટોળ ફૂંકાયો છે,જ્યારે સ્વામીઓની પાપલીલાઓ સામે પણ આક્રોશ જોવા મળી રહ્યો છે.

સુરતના અમરોલી ખાતે એક સત્સંગ દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશ દ્વારા વીરપુરના સંત જલારામ બાપા વિશે એક વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હતું,જોકે બાદમાં તેઓને તેમની ભૂલ સમજાતા તેમને માફી પણ માંગી હતી,પરંતુ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા છે,અને સ્વામી સામે ભારે વિરોધનો વંટોળ ફૂંકાયો છે.
ત્યારે સુરતના સ્વામિનારાયણ સૈદ્ધાંતિક હિત રક્ષક સમિતિના સભ્યોએ ભેગા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું,અને વિરોધ દર્શાવતા બેનરો અને ફોટા સાથે બફાટ કરતા અને પાપલીલા આચરતા સ્વામીઓ સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો.અને સંપ્રદાય માંથી આવા સાધુઓને હાંકી કાઢવા માટેની માંગ કરવામાં આવી હતી.
Read the Next Article

સુરતની રેતીનો ઉપયોગ કરી ભારતના ફેમસ આર્ટિસ્ટ બાબુ એડકકુન્નીએ બનાવ્યું સી.આર.પાટીલનું “સેન્ડ પોટ્રેટ”

બાબુ એડકકુન્ની દ્વારા અગાઉ PM મોદીનું પણ સેન્ડ પેઇન્ટિંગ બનાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં, બાબુ એડકકુન્નીએ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનું પણ સેન્ડ પોટ્રેટ બનાવ્યું હતું

New Update
  • ભારતના ફેમસ આર્ટિસ્ટ બાબુ એડકકુન્નીએ બનાવ્યું ચિત્ર

  • કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલનું સેન્ડ પોટ્રેટ તૈયાર કરાયું

  • સુરતની રેતી વડે એક અઠવાડીયામાં બનાવ્યું સેન્ડ પોટ્રેટ

  • આગેવાનોએ સેન્ડ પોટ્રેટ સી.આર.પાટીલને અર્પણ કર્યું

  • અગાઉ ચિત્રકારે અનેક વિભૂતિઓના સેન્ડ પોટ્રેટ બનાવ્યા 

ભારતના ફેમસ આર્ટિસ્ટ બાબુ એડકકુન્ની દ્વારા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલનું સેન્ડ પોટ્રેટ તૈયાર કરવામાં આવ્યું છેત્યારે સુરત શહેરમાં વસતા કેરળ સમાજ દ્વારા આ સેન્ડ પોટ્રેટ સી.આર.પાટીલને અર્પણ કરવામાં આવ્યું હતું.

બાબુ એડકકુન્ની દ્વારા અગાઉ PM મોદીનું પણ સેન્ડ પેઇન્ટિંગ બનાવવામાં આવ્યું હતું. એટલું જ નહીંબાબુ એડકકુન્નીએ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ તેમજ દુબઈના શેખ સહિત વિશ્વની અનેક વિભૂતિઓના સેન્ડ પોટ્રેટ બનાવ્યા છે.

બાબુ એડકકુન્ની સુરતની રેતીનો ઉપયોગ કરી કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલનું સેન્ડ પોટ્રેટ તૈયાર કર્યું છે. જે માટે એક અઠવાડિયા જેટલો લાગ્યો હતોત્યારે કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલને સેન્ડ પોટ્રેટ અર્પણ કરાતા તેઓએ કેરળ સમાજનો આભાર માન્યો હતો.