-
જલારામ બાપા પર વિવાદાસ્પદ નિવેદનનો મામલો
-
સ્વામી સામે ફૂંકાયો છે વિરોધનો વંટોળ
-
સંપ્રદાયના સ્વામીની પાપલીલાઓ સામે પણ આક્રોશ
-
સ્વામિનારાયણ સૈદ્ધાંતિક હિત રક્ષક સમિતિ દ્વારા કરાયો વિરોધ
-
સંપ્રદાય માંથી આવા સાધુઓને હાંકી કાઢવા કરાઈ માંગ
સુરતના અમરોલી ખાતે એક સત્સંગ દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશ દ્વારા વીરપુરના સંત જલારામ બાપા વિશે એક વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હતું,જોકે બાદમાં તેઓને તેમની ભૂલ સમજાતા તેમને માફી પણ માંગી હતી,પરંતુ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા છે,અને સ્વામી સામે ભારે વિરોધનો વંટોળ ફૂંકાયો છે.