સુરત : જલારામ બાપા અંગે વિવાદાસ્પદ નિવેદન અને સ્વામીઓની પાપલીલાઓ સામે રોષ, સ્વામિનારાયણ સૈદ્ધાંતિક હિત રક્ષક સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન

વીરપુરના સંત શિરોમણી જલારામ બાપા વિશે સ્વામીએ કરેલા બફાટ બાદ ઉગ્ર વિરોધનો વંટોળ ફૂંકાયો છે,જ્યારે સ્વામીઓની પાપલીલાઓ સામે પણ આક્રોશ જોવા મળી રહ્યો છે.

New Update
  • જલારામ બાપા પર વિવાદાસ્પદ નિવેદનનો મામલો

  • સ્વામી સામે ફૂંકાયો છે વિરોધનો વંટોળ

  • સંપ્રદાયના સ્વામીની પાપલીલાઓ સામે પણ આક્રોશ

  • સ્વામિનારાયણ સૈદ્ધાંતિક હિત રક્ષક સમિતિ દ્વારા કરાયો વિરોધ  

  • સંપ્રદાય માંથી આવા સાધુઓને હાંકી કાઢવા કરાઈ માંગ

સુરતના શ્રી સ્વામિનારાયણ સૈદ્ધાંતિક હિત રક્ષક સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું,વીરપુરના સંત શિરોમણી જલારામ બાપા વિશે સ્વામીએ કરેલા બફાટ બાદ ઉગ્ર વિરોધનો વંટોળ ફૂંકાયો છે,જ્યારે સ્વામીઓની પાપલીલાઓ સામે પણ આક્રોશ જોવા મળી રહ્યો છે.

સુરતના અમરોલી ખાતે એક સત્સંગ દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશ દ્વારા વીરપુરના સંત જલારામ બાપા વિશે એક વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હતું,જોકે બાદમાં તેઓને તેમની ભૂલ સમજાતા તેમને માફી પણ માંગી હતી,પરંતુ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા છે,અને સ્વામી સામે ભારે વિરોધનો વંટોળ ફૂંકાયો છે.
Advertisment
ત્યારે સુરતના સ્વામિનારાયણ સૈદ્ધાંતિક હિત રક્ષક સમિતિના સભ્યોએ ભેગા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું,અને વિરોધ દર્શાવતા બેનરો અને ફોટા સાથે બફાટ કરતા અને પાપલીલા આચરતા સ્વામીઓ સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો.અને સંપ્રદાય માંથી આવા સાધુઓને હાંકી કાઢવા માટેની માંગ કરવામાં આવી હતી.
Advertisment
Latest Stories