સુરત : સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ,બિશ્નોઈ ગેંગના બે સભ્યો સહિત ત્રણની ધરપકડ

સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાયબર ફ્રોડના રેકેટનો પર્દાફાશ કર્યો હતો.જેમાં રાજસ્થાનની બિશ્નોઇ ગેંગના બે સાગરીતો સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી

New Update
  • આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ

  • બિશ્નોઇ ગેંગના બે સાગરીતો સહિત ત્રણની ધરપકડ

  • 335 સ્ક્રીનશોટ મળતા આંતરરાષ્ટ્રીય કૌભાંડ બહાર આવ્યું

  • બર્મા,પાકિસ્તાન અને ચાઈનીઝ ગેંગના સ્ક્રીન શોટ મળ્યા

  • USDT દ્વારા રૂપિયા વિદેશમાં મોકલતા હતા 

સુરત ક્રાઈમ બ્રાન્ચે વધુ એક આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટ ઝડપી પાડ્યું છે. રાજસ્થાનની બિશ્નોઈ ગેંગના બે સાગરિતો સહિત કુલ ત્રણ લોકોની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પોલીસને ડેબિટ કાર્ડ અને બેંક એકાઉન્ટની વિગતો મળી આવી હતી.

સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાયબર ફ્રોડના રેકેટનો પર્દાફાશ કર્યો હતો.જેમાં રાજસ્થાનની બિશ્નોઇ ગેંગના બે સાગરીતો સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.પોલીસ તપાસમાં આરોપીઓના મોબાઈલમાંથી 335 જેટલા સ્ક્રીન શોટ મળતા કૌભાંડના તાર બર્મા,પાકિસ્તાન અને ચાઈનીઝ ગેંગ સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે.

આ ગેંગ ભારતમાં નકલી બેંક ખાતા ખોલીક્રેડિટ કાર્ડ મેળવી અને વિવિધ ડિજિટલ માધ્યમ દ્વારા છેતરપિંડી આચરતી હતી. બેંક એકાઉન્ટ ખોલીને તેમાં ઇન્ટરનેશનલ ગેમિંગફોરેક્સહવાલાસાયબર ફ્રોડ અને ચીટીંગના નાણાં ટ્રાન્ઝેક્શન કરવા અને યુએસડીટી દ્વારા તેને દેશ બહાર મોકલવાનું કૌભાંડ બહાર આવ્યું છેજેમાં રાજસ્થાનની બિશ્નોઈ ગેંગનું નામ સામે આવ્યું છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે રેલવે સ્ટેશન નજીકથી બિશ્નોઈ ગેંગના બે સભ્યોની ધરપકડ કરી છે.

ક્રાઈમ બ્રાન્ચે સુરત રેલવે સ્ટેશન નજીકની એક હોટેલમાંથી રામસ્વરૂપ બિશ્નોઈ અને સાગર બિશ્નોઈની ધરપકડ કરી હતીતેઓ રાજસ્થાનના જોધપુરના રહેવાસી છે. તેઓ બેંક એકાઉન્ટ ખોલવા બાબતે સુરત આવ્યા હતા અને તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમની પૂછપરછ બાદ બોટાદના ગાબુ સંજયની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છેજ્યારે અન્ય ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કરાયા છે.

Read the Next Article

સુરત : અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાત્વના પાઠવી...

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોતને ભેટેલા સુરતના મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનોએ સાત્વના પાઠવી હતી.

New Update
  • અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 250થી વધુ લોકોના મોત

  • રાંદેર વિસ્તારમાં રહેતા ડોક્ટર દંપતીનું પણ ઘટનામાં મોત

  • મૃતકના પરિવારને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પાઠવી સાત્વના

  • ડો. હિતેશ શાહે ઘણા વર્ષો સુધી લોકસેવા કરી : હર્ષ સંઘવી

  • મૃતકના પરિવારને શક્તિ આપે તેવી ભગવાનને પ્રાર્થના કરી

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોતને ભેટેલા સુરતના મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનોએ સાત્વના પાઠવી હતી.

ગત તા. 12મી જૂન-2025ના રોજ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સુરત શહેર અને જિલ્લામાં રહેતા 14 જેટલા લોકોમાંથી અત્યાર સુધીમાં 9 લોકોના DNA મેચ થઇ ગયા બાદ રાંદેર ખાતે રહેતા મૃતક ડોક્ટર દંપતી ડો. હિતેશ શાહ અને પત્ની અમિતા શાહના મૃતદેહ સુરત લવાયા હતા. ત્યારબાદ પરિવારજનો દ્વારા ડોક્ટર દંપતીના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતાત્યારે આજરોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીવન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અને સુરત શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલ રાંદેર ખાતે મૃતક ડોક્ટર દંપતીના નિવાસ્થાને તેમના પરિવારને મળવા પહોંચ્યા હતાજ્યાં શાહ પરિવારના સભ્યોને સાત્વના પાઠવવામાં આવી હતી.

હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કેસુરતમાં ગરીબોના મસીહા તરીકે ઓળખાતા ડોક્ટર હિતેશ શાહએ ઘણા વર્ષોથી આ ક્ષેત્રમાં લોકોની સેવા કરી છે. તેઓ ખૂબ સારા સર્જન હતાઅને તે પોતાના ધર્મપત્ની સાથે અમદાવાદથી યુકે તેમની બહેનને મળવા જતા હતાઅને પ્લેન ક્રેશની દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું છે. આ દુખદ ઘટનામાં ભગવાન મૃતક ડોક્ટર દંપતીના પરિવારને શક્તિ આપે તેવી પણ હર્ષ સંઘવીએ પ્રાર્થના કરી હતી.