સુરત: નવરાત્રીમાં સ્થાપન માટે માતાજીના ફોટા સાથે જરદોશી વર્ક વાળી ડેકોરેટીવ ગરબીની ભક્તોમાં ડિમાન્ડ વધી

સુરતમાં નવરાત્રીના થનગનાટ સાથે માતાજીના ગઢ સ્થાપના માટેની ગરબીઓની માંગમાં પણ વધારો થયો છે,ત્યારે રંગબેરંગી લાઈટીંગ વાળી અને માતાજીના ફોટા સાથેની જરદોશી વર્કવાળી માટલીની ડિમાન્ડ જોવા મળી રહી છે.

New Update

સુરતમાં નવરાત્રી મહોત્સવનો થનગનાટ 

સુરતમાં માતાજીના ગઢ સ્થાપના માટે ગરબીની ડિમાન્ડ 

માતાજીના ફોટા સાથેની જરદોશી વર્કવાળી માટલી ભક્તોમાં પ્રથમ પસંદ 

વેપારી દ્વારા એક માટલી બનાવવા પાછળ 3 કલાકનો લાગે છે સમય

વડોદરા,અમદાવાદ,રાજકોટ,મુંબઈ સુધી ગરબીની માંગ 

સુરતમાં નવરાત્રીના થનગનાટ સાથે માતાજીના ગઢ સ્થાપના માટેની ગરબીઓની માંગમાં પણ વધારો થયો છે,ત્યારે રંગબેરંગી લાઈટીંગ વાળી અને માતાજીના ફોટા સાથેની જરદોશી વર્કવાળી માટલીની ડિમાન્ડ જોવા મળી રહી છે.
સુરતમાં નવરાત્રી મહોત્સવને લઈને ગરબા રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, નવરાત્રીને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે,ત્યારે માતાજીના ગરબા માટે ગઢ સ્થાપન માટેની તૈયારીઓમાં ભક્તો જોતરાયા છે.પરંપરાગત રીતે સ્થાપના કરવામાં આવતી ગરબીઓમાં વિવિધ રંગબેરંગી લાઈટીંગ અને માતાજીના ફોટા સાથેની જરદોશી વર્કવાળી ગરબીઓની ડિમાન્ડ જોવા મળી રહી છે.વેપારી પરિમલ ગજ્જરે જણાવ્યું હતું કે આ વખતે માતાજીના ફોટા સાથે જરદોશી વર્કવાળી માટલીઓની ડિમાન્ડ ખૂબ જ વધી છે, વડોદરા, અમદાવાદ,રાજકોટ અને મુંબઈ ખાતેથી પણ તેઓને ઓર્ડરો મળ્યા છે.અને એક ગરબીની માટલી તૈયાર કરવા પાછળ 3 કલાકનો સમય લાગે છે,તેમજ માટલી રૂપિયા 700 થી લઈ રૂપિયા 1,000 સુધીની કિંમતમાં વેચાય રહી છે.
Read the Next Article

સુરત: પાલમાં પરિણીત યુવકનો ગળે ફાંસો ખાઈને આપઘાત,પત્ની અને પ્રેમીના ત્રાસથી પગલું ભર્યું હોવાનો પરિવારનો આક્ષેપ

આપઘાતની ઘટના પછી મૃતકની બહેન દ્વારા દિવ્યા અને પ્રેમી સામે આક્ષેપો સાથે પોલીસને નિવેદન આપવામાં આવ્યું છે. પાલ પોલીસે તપાસ શરૂ કરી છે..

author-image
By Connect Gujarat Desk
New Update
  • પાલમાં 26 વર્ષીય યુવકનો આપઘાતનો મામલો

  • યુવક રેડીમેડ કાપડની દુકાનમાં કરતો હતો કામ 

  • યુવકની પત્ની અને તેનો પ્રેમી શંકાના દાયરામાં 

  • પરિવારજનોના પત્ની અને પ્રેમી પર ગંભીર આરોપ 

  • પોલીસે પરિવારજનોના આક્ષેપ બાદ શરૂ કરી તપાસ 

સુરતના પાલ વિસ્તારમાં LIG આવાસમાં રહેતા 26 વર્ષીય પરિણીત  યુવક દીક્ષિત ચૌહાણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી છે.મૃતકના પરિવારજનો દ્વારા દીક્ષિતની પત્ની દિવ્યા અને તેના પ્રેમીએ મળીને તેને ટોર્ચર કર્યો અને અંતે મોત તરફ દોરી ગયા હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે.

સુરતના પાલ વિસ્તારમાં LIG આવાસમાં રહેતા 26 વર્ષીય દીક્ષિત ચૌહાણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. જોકે આ સમગ્ર ઘટનામાં મૃતક યુવકના પરિવારજનોએ દીક્ષિતની પત્ની દિવ્યા અને તેના પ્રેમી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આપઘાતની ઘટના પછી મૃતકની બહેન દ્વારા દિવ્યા અને પ્રેમી સામે આક્ષેપો સાથે પોલીસને નિવેદન આપવામાં આવ્યું છે. પાલ પોલીસે તપાસ શરૂ કરી છે અને પત્ની સહિત સંબંધિત વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

દીક્ષિત ચૌહાણ રેડીમેડ કાપડની દુકાનમાં નોકરી કરતો હતો અને તેના ઘરનું ગુજરાન ચલાવતો હતો. જોકેતેની પત્ની દિવ્યા સાથે તેના અવારનવાર ઝઘડા થતા હતા અને ઝઘડામાં દિવ્યા વારંવાર પતિને માર મારતી હતી,અને મારી નાખવાની ધમકી પણ આપતી હતી. આસપાસના લોકો પણ તે બાબતે જાણતા હતા અને તેમના વચ્ચે પડીને મામલો થાળે પાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. રાત્રે પત્ની દિવ્યા દ્વારા માર માર્યા બાદ સવારે દીક્ષિત ચૌહાણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આ ઘટનાની જાણ થયા બાદ પાલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છેજેમાં મૃતકના પરિવારજનોના નિવેદનો લેવામાં આવ્યા છે. તેમજ તેની પત્ની અને તેના પ્રેમી અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.