સુરત : ભાવનગર-મહુવાના શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાંથી મૂર્તિ ખસેડી લેવાતા હરિભક્તોમાં રોષ..!

ભાવનગરના મહુવા સ્થિત શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાંથી ભગવાન લક્ષ્મીનારાયણ અને ઘનશ્યામ મહારાજની મૂર્તિ ખસેડવાના મામલે સુરત સત્સંગ સમાજે આંદોલનની ચીમકી ઉચ્ચારી નિત્યસ્વરૂપદાસ સ્વામી સામે ખુલ્લો પડકાર ફેંક્યો છે.

New Update
  • ભાવનગર જિલ્લાના મહુવાના 185 વર્ષ જૂના મંદિરનો મામલો

  • સ્વામિનારાયણ મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ ખસેડી લેવાય

  • મંદિરના સ્વામીઓએ જ મૂર્તિ ખસેડી લીધી હોવાનો થયો આક્ષેપ

  • શરમજનક ઘટના જણાવી સુરતના હરિભક્તોમાં રોષ જોવા મળ્યો

  • મૂર્તિ ખસેડી લેવાતા સત્સંગ સમાજે ઉચ્ચારી આંદોલનની ચીમકી

ભાવનગરના મહુવા સ્થિત શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાંથી ભગવાન લક્ષ્મીનારાયણ અને ઘનશ્યામ મહારાજની મૂર્તિ ખસેડવાના મામલે સુરત સત્સંગ સમાજે આંદોલનની ચીમકી ઉચ્ચારી નિત્યસ્વરૂપદાસ સ્વામી સામે ખુલ્લો પડકાર ફેંક્યો છે.

ભાવનગરના મહુવા સ્થિત શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાંથી મધરાત્રે 12 વાગ્યે ભગવાન લક્ષ્મીનારાયણ અને ઘનશ્યામ મહારાજની મૂર્તિ ખસેડવાના મામલે ભારે વિવાદ ઉભો થયો છે. આ ઘટનાને લઈને સુરત સત્સંગ સમાજે નિત્યસ્વરૂપદાસ સ્વામી સામે ખુલ્લો પડકાર ફેંક્યો છે. સત્સંગ સમાજે સવાલ ઉઠાવ્યો છે કેજો મૂર્તિ ખસેડવાની શાસ્ત્રોક્ત વિધિ હતીતો પછી હનુમાનજીગણપતિ બાપા અને ભગવાન શિવની મૂર્તિઓ કેમ બંધ રાખવામાં આવીજો આ વિધિ શાસ્ત્રોક્ત અને નિયમસર હતીતો સમગ્ર મંદિરની મૂર્તિઓ ખસેડાઈ હોત. સત્સંગ સમાજે નિત્યસ્વરૂપદાસ સ્વામી પાસે જાહેર મંચ પરથી ખુલાસો માંગ્યો છે.

સમાજની માગણી છે કેશાસ્ત્રોક્ત સિદ્ધાંત અને નિયમો અનુસાર મૂર્તિ ખસેડવાનું કારણ સ્પષ્ટ કરવામાં આવે. જો સ્વામી ખુલાસો ન આપી શકેતો તેમને જાહેરમાં માફી માગવી પડશે. સત્સંગ સમાજે ચેતવણી આપી છે કેજો આગામી 8 દિવસમાં નિત્યસ્વરૂપદાસ સ્વામી માફી નહીં માંગેતો ગઢડા મંદિર ખાતે મોટું આંદોલન કરવામાં આવશે. આ સાથે જજો સ્વામી પોતાનો દાવો સાચો સાબિત કરી શકેતો સત્સંગ સમાજ તેમને દંડવત પ્રણામ કરશે. નહીં તો સ્વામી પાસે માફી માગવા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે. આ સમગ્ર મામલો હવે સત્સંગી સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે.

 

Read the Next Article

સુરત : અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાત્વના પાઠવી...

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોતને ભેટેલા સુરતના મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનોએ સાત્વના પાઠવી હતી.

New Update
  • અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 250થી વધુ લોકોના મોત

  • રાંદેર વિસ્તારમાં રહેતા ડોક્ટર દંપતીનું પણ ઘટનામાં મોત

  • મૃતકના પરિવારને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પાઠવી સાત્વના

  • ડો. હિતેશ શાહે ઘણા વર્ષો સુધી લોકસેવા કરી : હર્ષ સંઘવી

  • મૃતકના પરિવારને શક્તિ આપે તેવી ભગવાનને પ્રાર્થના કરી

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોતને ભેટેલા સુરતના મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનોએ સાત્વના પાઠવી હતી.

ગત તા. 12મી જૂન-2025ના રોજ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સુરત શહેર અને જિલ્લામાં રહેતા 14 જેટલા લોકોમાંથી અત્યાર સુધીમાં 9 લોકોના DNA મેચ થઇ ગયા બાદ રાંદેર ખાતે રહેતા મૃતક ડોક્ટર દંપતી ડો. હિતેશ શાહ અને પત્ની અમિતા શાહના મૃતદેહ સુરત લવાયા હતા. ત્યારબાદ પરિવારજનો દ્વારા ડોક્ટર દંપતીના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતાત્યારે આજરોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીવન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અને સુરત શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલ રાંદેર ખાતે મૃતક ડોક્ટર દંપતીના નિવાસ્થાને તેમના પરિવારને મળવા પહોંચ્યા હતાજ્યાં શાહ પરિવારના સભ્યોને સાત્વના પાઠવવામાં આવી હતી.

હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કેસુરતમાં ગરીબોના મસીહા તરીકે ઓળખાતા ડોક્ટર હિતેશ શાહએ ઘણા વર્ષોથી આ ક્ષેત્રમાં લોકોની સેવા કરી છે. તેઓ ખૂબ સારા સર્જન હતાઅને તે પોતાના ધર્મપત્ની સાથે અમદાવાદથી યુકે તેમની બહેનને મળવા જતા હતાઅને પ્લેન ક્રેશની દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું છે. આ દુખદ ઘટનામાં ભગવાન મૃતક ડોક્ટર દંપતીના પરિવારને શક્તિ આપે તેવી પણ હર્ષ સંઘવીએ પ્રાર્થના કરી હતી.