સુરત : ભાવનગર-મહુવાના શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાંથી મૂર્તિ ખસેડી લેવાતા હરિભક્તોમાં રોષ..!

ભાવનગરના મહુવા સ્થિત શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાંથી ભગવાન લક્ષ્મીનારાયણ અને ઘનશ્યામ મહારાજની મૂર્તિ ખસેડવાના મામલે સુરત સત્સંગ સમાજે આંદોલનની ચીમકી ઉચ્ચારી નિત્યસ્વરૂપદાસ સ્વામી સામે ખુલ્લો પડકાર ફેંક્યો છે.

New Update
  • ભાવનગર જિલ્લાના મહુવાના 185 વર્ષ જૂના મંદિરનો મામલો

  • સ્વામિનારાયણ મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ ખસેડી લેવાય

  • મંદિરના સ્વામીઓએ જ મૂર્તિ ખસેડી લીધી હોવાનો થયો આક્ષેપ

  • શરમજનક ઘટના જણાવી સુરતના હરિભક્તોમાં રોષ જોવા મળ્યો

  • મૂર્તિ ખસેડી લેવાતા સત્સંગ સમાજે ઉચ્ચારી આંદોલનની ચીમકી

ભાવનગરના મહુવા સ્થિત શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાંથી ભગવાન લક્ષ્મીનારાયણ અને ઘનશ્યામ મહારાજની મૂર્તિ ખસેડવાના મામલે સુરત સત્સંગ સમાજે આંદોલનની ચીમકી ઉચ્ચારી નિત્યસ્વરૂપદાસ સ્વામી સામે ખુલ્લો પડકાર ફેંક્યો છે.

ભાવનગરના મહુવા સ્થિત શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાંથી મધરાત્રે 12 વાગ્યે ભગવાન લક્ષ્મીનારાયણ અને ઘનશ્યામ મહારાજની મૂર્તિ ખસેડવાના મામલે ભારે વિવાદ ઉભો થયો છે. આ ઘટનાને લઈને સુરત સત્સંગ સમાજે નિત્યસ્વરૂપદાસ સ્વામી સામે ખુલ્લો પડકાર ફેંક્યો છે. સત્સંગ સમાજે સવાલ ઉઠાવ્યો છે કેજો મૂર્તિ ખસેડવાની શાસ્ત્રોક્ત વિધિ હતીતો પછી હનુમાનજીગણપતિ બાપા અને ભગવાન શિવની મૂર્તિઓ કેમ બંધ રાખવામાં આવીજો આ વિધિ શાસ્ત્રોક્ત અને નિયમસર હતીતો સમગ્ર મંદિરની મૂર્તિઓ ખસેડાઈ હોત. સત્સંગ સમાજે નિત્યસ્વરૂપદાસ સ્વામી પાસે જાહેર મંચ પરથી ખુલાસો માંગ્યો છે.

સમાજની માગણી છે કેશાસ્ત્રોક્ત સિદ્ધાંત અને નિયમો અનુસાર મૂર્તિ ખસેડવાનું કારણ સ્પષ્ટ કરવામાં આવે. જો સ્વામી ખુલાસો ન આપી શકેતો તેમને જાહેરમાં માફી માગવી પડશે. સત્સંગ સમાજે ચેતવણી આપી છે કેજો આગામી 8 દિવસમાં નિત્યસ્વરૂપદાસ સ્વામી માફી નહીં માંગેતો ગઢડા મંદિર ખાતે મોટું આંદોલન કરવામાં આવશે. આ સાથે જજો સ્વામી પોતાનો દાવો સાચો સાબિત કરી શકેતો સત્સંગ સમાજ તેમને દંડવત પ્રણામ કરશે. નહીં તો સ્વામી પાસે માફી માગવા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે. આ સમગ્ર મામલો હવે સત્સંગી સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Read the Next Article

સુરત : રૂ. 1.60 કરોડના ખર્ચે નવનિર્મિત દેશનું પ્રથમ ‘સ્માર્ટ બસ ડેપો’ બન્યું નવું નજરાણું…

સુરત મનપા દ્વારા રૂ. 1.60 કરોડના ખર્ચે નવનિર્મિત દેશનું પ્રથમ ‘સ્માર્ટ બસ ડેપો’ સુરતનું નવું નજરાણું બન્યું છે. સ્માર્ટ બસ ડેપોમાં Wi-Fi અને લાઈટિંગની વિશેષ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે

New Update
  • સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે પ્રયાસ

  • સોલર સિટી સુરતમાં સ્માર્ટ બસ સ્ટેશન પ્રોજેક્ટ કાર્યરત

  • સ્માર્ટ બસ સ્ટેશન સમગ્ર દેશમાં રોલ મોડેલ સાબિત થયું

  • દેશનું પ્રથમસ્માર્ટ બસ ડેપો’ સુરતનું નવું નજરાણું બન્યું

  • સ્માર્ટ બસ ડેપોમાંWi-Fi અને લાઈટિંગની વિશેષ સુવિધાઓ

સોલર સિટી સુરતનો સ્માર્ટ બસ સ્ટેશન પ્રોજેક્ટ સમગ્ર દેશ માટે રોલ મોડેલ બને તેવો સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રયાસ કરાયો છેત્યારે સુરત મનપા દ્વારા રૂ. 1.60 કરોડના ખર્ચે નવનિર્મિત દેશનું પ્રથમસ્માર્ટ બસ ડેપો’ સુરતનું નવું નજરાણું બન્યંા છે.

દેશ સહિત રાજ્યભરમાં ગ્રીન એનર્જી અને સસ્ટેનેબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં ઉત્તરોઉત્તર પ્રગતિ થઈ રહી છેત્યારે સુરત મહાનગરપાલિકા અને જર્મન સંસ્થાGIZ (ડેઉટસ્ચે ગેસેલ્સ્ચાફ્ટ ફુર ઇન્ટરનેશનલે જુસામેનરબેઇટના સહયોગથી તૈયાર થયેલા આ પ્રોજેક્ટ હેઠળ રૂફટોપ સોલર પાવર પ્લાન્ટ અને સેકન્ડ લાઇફ બેટરી સ્ટોરેજ સિસ્ટમ દ્વારા બસો માટે 24x7 ગ્રીન ચાર્જિંગ સુવિધા સાથેWi-Fi અને લાઈટિંગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે.

આ અંગે કાર્યપાલક ઈજનેર પ્રકાશ પંડ્યાએ જણાવ્યું હતું કેસુરતના અલથાણ વિસ્તારમાં તૈયાર કરાયેલા દેશનું પ્રથમ સૌર ઊર્જા આધારિત ઇલેક્ટ્રિક બસ ડેપો ખાતે 100 કિલોવોટ ક્ષમતા ધરાવતા રૂફટોપ સોલર પાવર પ્લાન્ટ અને પ્રતિ કલાકે 224 કિલોવોટ ક્ષમતા ધરાવતી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સ્થાપિત કરવામાં આવી છે. અંદાજિત રૂ. 1.60 કરોડના ખર્ચે બનેલો આ પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે જર્મન સહાય સંસ્થાGIZના સહકારથી અમલમાં મુકાયો છે.

સ્વચ્છ સુરતસોલર સુરત અને સ્માર્ટ સિટી સુરત તરીકે ઓળખાતા સુરતની યશકલગીમાં વધુ એક ઉમેરો થવા જઇ રહ્યો છે. સ્માર્ટ સિટી સુરતના અલથાણ ખાતેWi-Fi, ચાર્જિંગ અને લાઈટિંગ જેવી સુવિધાઓથી સજ્જ હાઈટેક ઇલેક્ટ્રિક બસ ડેપો તૈયાર કરવામાં આવ્યો છે. વાર્ષિક 1 લાખ વીજ યુનિટ વીજઉત્પાદન અને રૂ. 6.56 લાખની વીજબચત સાથે સુરતનું રાષ્ટ્રવ્યાપી ગ્રીન પરિવહન તરફ ઝડપી પ્રયાણ કરશે. રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ અને સેકન્ડ લાઇફ બેટરી સ્ટોરેજ સિસ્ટમ દ્વારા બસો માટે 24x7 ગ્રીન ચાર્જિંગ સુવિધા ઉપલબ્ધ થશે.