સુરત : પાણીની ભારે આવક થતાં તાપી નદીમાં ઘોડાપૂર આવ્યું, ગટરિયા પૂરની સ્થિતિ સામે તંત્ર સજ્જ

દક્ષિણ ગુજરાતના તમામ જળાશયો ઓવરફ્લો થઈ ગયાં છે, ત્યારે ઉકાઈ ડેમમાં છેલ્લા 3 દિવસથી સતત પાણીની આવક જોવા મળી રહી છે હથનુર અને પ્રકાશા ડેમમાંથી ઉકાઈ ડેમમાં છેલ્લા 3 દિવસથી 1.50 લાખથી લઈને 3.5 લાખ પાણીની આવક થઈ રહી છે.

New Update

ઉકાઈ ડેમમાં છેલ્લા 3 દિવસથી સતત પાણીની આવક

Advertisment W3.CSS

પાણીની ભારે આવક થતાં તાપી નદીમાં ઘોડાપૂર આવ્યું

નદી કાંઠાના વિસ્તારો પાણીમાં ગરકાવ થતાં તંત્ર સજ્જ

નીચાણવાળા વિસ્તારોમાં ગટરિયા પૂરની સ્થિતિ સર્જાય

તંત્ર દ્વારા રાહત-બચાવ કામગીરી હાથ ધરવામાં આવી

 ઉપરવાસના ઉકાઈ ડેમમાં છેલ્લા 3 દિવસથી સતત પાણીની ભારે આવક થતાં સુરતમાં તાપી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. આ સાથે જ નદી કાંઠાના વિસ્તારો પાણીમાં ગરકાવ થતાં ગટરિયા પૂરની સ્થિતિ ઊભી થઈ છે.

હવામાન વિભાગે જે પ્રકારે સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સુરતની આગાહી કરી હતી તે મુજબ વરસાદ નોંધાઇ રહ્યો છે. દક્ષિણ ગુજરાતના તમામ જળાશયો ઓવરફ્લો થઈ ગયાં છેત્યારે ઉકાઈ ડેમમાં છેલ્લા 3 દિવસથી સતત પાણીની આવક જોવા મળી રહી છે. હથનુર અને પ્રકાશા ડેમમાંથી ઉકાઈ ડેમમાં છેલ્લા 3 દિવસથી 1.50 લાખથી લઈને 3.5 લાખ પાણીની આવક થઈ રહી છે.

તો બીજી તરફપાણીની આવકની સામે ઉકાઈ ડેમનું રૂલ લેવલ જાળવી રાખવું વહીવટી તંત્ર માટે મોટો પડકાર છે. તેવામાં સુરતમાં ગટરિયા પૂરની સ્થિતિ ઉદભવી છેઅને રસ્તાઓ પર ગોઠણસમાં પાણી ભરાયા છે. ત્યારે અડાજણ વિસ્તારમાંથી શહેરની અંદર પાણી ભરાવાના શરૂ થઈ જતા લોકો પરેશાનીમાં મુકાયા હતા. આ તરફસુરતના પંડોળ રોડ ઉપર પાણી ભરાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કેફ્લડ ગેટ બંધ કરતાં પાણી બેક મારી રહ્યા છે. જેથી ગટરીયા પાણીના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો છે. ઉપરાંત ભારે પવન અને વરસાદના કારણે વરસાદના કારણે હોડી બંગલા વિસ્તામાં કાચા મકાન પર વૃક્ષ તૂટી પડ્યું હતું. જોકેઘરમાં રહેલા 4 લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો. ઘરમાં ફસાયેલા ચારેય સભ્યોનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સદનસીબે આ ઘટનામાં જાનહાની ટળી જતાં ફાયર વિભાગે રાહત અનુભવી હતી.

Read the Next Article

સુરત : પત્નીએ સમયસર જમવાનું નહીં બનાવતા પતિનો આપઘાત,બે ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

સુરતના વેસુ વિસ્તારમાં રહેતા યુવાન દંપતીનો પરિવાર ખંડિત થયો છે.25 વર્ષીય વિજય બારીયા અને તેની પત્ની વચ્ચે જમવાનું બનાવવા બાબતે ઝઘડો થયો હતો.

New Update
  • વેસુમાં ત્રણ સંતાનોના પિતાનો આપઘાત

  • પત્ની સાથે બોલાચાલી બાદ અંતિમ પગલું

  • પતિ પત્ની વચ્ચે રસોઈ બાબતે થયો હતો ઝઘડો

  • સામાન્ય બાબતમાં પતિએ કર્યો આપઘાત

  • ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

Advertisment W3.CSS

સુરતના વેસુ વિસ્તારમાં દંપતી વચ્ચેની સામાન્ય બોલાચાલીએ પરિવારને વિખેરી નાખ્યો હતો,જમવાનું બનાવવાની બાબતે થયેલા ઝઘડામાં પતિએ ગળે ફાંસો ખાઈને જીવનલીલા સંકેલી નાખતા બે દીકરીઓ અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.

સુરતના વેસુ વિસ્તારમાં રહેતા યુવાન દંપતીનો પરિવાર ખંડિત થયો છે.25 વર્ષીય વિજય બારીયા અને તેની પત્ની વચ્ચે જમવાનું બનાવવા બાબતે ઝઘડો થયો હતો.જોકે આ બાબતથી આઘાત લાગતા વિજય બારીયાએ ઘરમાં બીજા રૂમમાં જઈને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી.બનાવની જાણ થતા જ અલથાણ પોલીસનો કાફલો દોડી આવીને વિજય બારીયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ શરૂ કરી હતી.

ઉલ્લેખનીય છે કે વિજય બારીયાના આપઘાતને પગલે બે દીકરીઓ અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.