સુરત : પાણીની ભારે આવક થતાં તાપી નદીમાં ઘોડાપૂર આવ્યું, ગટરિયા પૂરની સ્થિતિ સામે તંત્ર સજ્જ

દક્ષિણ ગુજરાતના તમામ જળાશયો ઓવરફ્લો થઈ ગયાં છે, ત્યારે ઉકાઈ ડેમમાં છેલ્લા 3 દિવસથી સતત પાણીની આવક જોવા મળી રહી છે હથનુર અને પ્રકાશા ડેમમાંથી ઉકાઈ ડેમમાં છેલ્લા 3 દિવસથી 1.50 લાખથી લઈને 3.5 લાખ પાણીની આવક થઈ રહી છે.

New Update

ઉકાઈ ડેમમાં છેલ્લા 3 દિવસથી સતત પાણીની આવક

પાણીની ભારે આવક થતાં તાપી નદીમાં ઘોડાપૂર આવ્યું

નદી કાંઠાના વિસ્તારો પાણીમાં ગરકાવ થતાં તંત્ર સજ્જ

નીચાણવાળા વિસ્તારોમાં ગટરિયા પૂરની સ્થિતિ સર્જાય

તંત્ર દ્વારા રાહત-બચાવ કામગીરી હાથ ધરવામાં આવી

ઉપરવાસના ઉકાઈ ડેમમાં છેલ્લા 3 દિવસથી સતત પાણીની ભારે આવક થતાં સુરતમાં તાપી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. આ સાથે જ નદી કાંઠાના વિસ્તારો પાણીમાં ગરકાવ થતાં ગટરિયા પૂરની સ્થિતિ ઊભી થઈ છે.

હવામાન વિભાગે જે પ્રકારે સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સુરતની આગાહી કરી હતી તે મુજબ વરસાદ નોંધાઇ રહ્યો છે. દક્ષિણ ગુજરાતના તમામ જળાશયો ઓવરફ્લો થઈ ગયાં છેત્યારે ઉકાઈ ડેમમાં છેલ્લા 3 દિવસથી સતત પાણીની આવક જોવા મળી રહી છે. હથનુર અને પ્રકાશા ડેમમાંથી ઉકાઈ ડેમમાં છેલ્લા 3 દિવસથી 1.50 લાખથી લઈને 3.5 લાખ પાણીની આવક થઈ રહી છે.

તો બીજી તરફપાણીની આવકની સામે ઉકાઈ ડેમનું રૂલ લેવલ જાળવી રાખવું વહીવટી તંત્ર માટે મોટો પડકાર છે. તેવામાં સુરતમાં ગટરિયા પૂરની સ્થિતિ ઉદભવી છેઅને રસ્તાઓ પર ગોઠણસમાં પાણી ભરાયા છે. ત્યારે અડાજણ વિસ્તારમાંથી શહેરની અંદર પાણી ભરાવાના શરૂ થઈ જતા લોકો પરેશાનીમાં મુકાયા હતા. આ તરફસુરતના પંડોળ રોડ ઉપર પાણી ભરાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કેફ્લડ ગેટ બંધ કરતાં પાણી બેક મારી રહ્યા છે. જેથી ગટરીયા પાણીના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો છે. ઉપરાંત ભારે પવન અને વરસાદના કારણે વરસાદના કારણે હોડી બંગલા વિસ્તામાં કાચા મકાન પર વૃક્ષ તૂટી પડ્યું હતું. જોકેઘરમાં રહેલા 4 લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો. ઘરમાં ફસાયેલા ચારેય સભ્યોનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સદનસીબે આ ઘટનામાં જાનહાની ટળી જતાં ફાયર વિભાગે રાહત અનુભવી હતી.

Read the Next Article

સુરત : સંતાનોની ફી સહાય મેળવવા રત્નકલાકાર સહાય પેકેજ યોજના, 300 સ્કૂલમાં 65 હજાર ફોર્મ ભરાયા...

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા

New Update
  • રત્ન કલાકારો માટે સહાય યોજનાની પ્રક્રિયા પૂર્ણ

  • 55 હજારથી વધુ રત્ન કલાકારોએ ભર્યા હતા ફોર્મ

  • પોતાના બાળકોની ફી માટે ફોર્મ ભરવામાં આવ્યા

  • વિદ્યાર્થી દીઠ રૂ. 13,500 ચૂકવવા સરકારનો નિર્ણય

  • તમામ ફોર્મ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જમા કરાવાયા

સુરત શહેર તથા જિલ્લામાં રત્નકલાકારોના સંતાનોની ફી ભરવા માટે રાજ્ય સરકારે જાહેર કરેલી સહાય યોજનામાં 300 સ્કૂલના 55 હજારથી વધુ રત્નકલાકારોએ 65 હજાર ફોર્મ ભર્યાં છે. હવે ડાયમંડ એસોસિએશનમાંથી ભલામણ પત્રો મેળવ્યા બાદ ફોર્મની સ્ક્રુટિની કરી ચકાસણી કરવામાં આવશે.

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા. જેથી રત્કલાકારોને રાહત આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સહાય યોજના જાહેર કરવામાં આવી હતી. જેમાં જે રત્નકલાકારોની 31 માર્ચ-2024 પહેલાં ડાયમંડ ઉદ્યોગમાંથી નોકરી છૂટી ગઈ હોય તેમના સંતાનોની એક વર્ષની મહત્તમ 13,500 રૂપિયા ફી ચૂકવવા માટે સરકાર દ્વારા યોજના જાહેર કરવામાં આવી હતી.

તા. 23 જુલાઇ સુધી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતોત્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ફોર્મ સહિતની કામગીરી કરવામાં આવી હતીજેમાં શહેરની અંદાજે 300 સ્કૂલના 55 હજાર રત્નકલાકારોએ સંતાનોની ફી ભરવા માટે 65 હજાર ફોર્મ ભર્યાં હતા. ગુરુવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી હવે ફોર્મ સ્વિકારાશે નહીં. રોજગાર છૂટી ગયો હોય તેવા રત્નકલાકારોને વહેલી તકે આર્થિક સહાય મળે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

અપેક્ષા કરતાં વધારે ફોર્મ ભરાયાં છેજેને લઈને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટ માંગવામાં આવશે. ત્યારબાદ જેમ જેમ સ્ક્રૂટિની થતી જશે તેમ તેમ સહાયની રકમ આપવામાં આવશે. તો બીજી તરફતમામ ફોર્મમાં ભલામણ પત્ર મેળવવા હવે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ફોર્મને સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલશે. જેના માટે ઉદ્યોગ કેન્દ્ર ડાયમંડ એસોસિએશનને સ્ટાફ પણ ફાળવી આપશે. જે ડાયમંડ ફેક્ટરીમાંથી રત્નકલાકારની નોકરી છૂટી હોય તે કંપનીમાં કર્મચારી કામ કરતા હતા કેનહીં તેની ખરાઈ કર્યા બાદ ડાયમંડ એસોસિએશન ભલામણ પત્ર આપશે તેવું ડાયમંડ વર્કર યુનિયન તરફથી જાણવા મળ્યું છે.