સુરતમાં ડુપ્લિકેટ વોચનું કૌભાંડ ઝડપાયું , કંપની દ્વારા દરોડો.

સુરતના પુણા વિસ્તારમાં આવેલ ઇન્ટરનેશનલ ફેશન માર્કેટમાં આવેલી આશીર્વાદ વોચ નામની દુકાનમાં સ્કીમી કંપનીની વોચનું ડુપ્લીકેશન થતું હોવાની વાત કંપનીના ધ્યાને આવી હતી

New Update

સુરતના વરાછા વિસ્તારમાથી અલગ અલગ જગ્યા ઉપર દુકાનો ખોલીને બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ વોચ બનાવી વોચ ઉંચા ભાવે ગ્રાહકોને વેચી લોકો સાથે છેતરપિંડી કરતી અલગ અલગ જગ્યા પર કંપની દ્વારા કોર્ટ કમિશન સાથે દરોડો પાડવામાં આવતા ફફડાટ ફેલાયો હતો.

સ્કીમી કંપનીની વોચનું ડુપ્લીકેશન

સુરતના પુણા વિસ્તારમાં આવેલ ઇન્ટરનેશનલ ફેશન માર્કેટમાં આવેલી આશીર્વાદ વોચ નામની દુકાનમાં સ્કીમી કંપનીની વોચનું ડુપ્લીકેશન થતું હોવાની વાત કંપનીના ધ્યાને આવી હતી તેથી કંપની દ્વારા આ બાબતે કોપીરાઇટ એન્ડ ટ્રેડમાર્કમાં ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ દિલ્હી હાઇકોર્ટના ઓર્ડરથી કોર્ટ કમિશનની સાથે સ્કીમી કંપનીની વોચનું ડુપ્લીકેશન કરી વેચાણ કરતી અલગ અલગ દુકાનો પર કંપનીના જવાબદાર વ્યક્તિઓ દ્વારા પોલીસને સાથે રાખી દરોડો પાડવામાં આવ્યો.આશીર્વાદ વોચ નામની દુકાનમાં 300થી લઈને 1300 રૂપિયા કરતાં વધારે ભાવે કંપનીની વોચ સમગ્ર દેશમાં ઓનલાઈનના માધ્યમથી વેચાણ કરવામાં આવતી હતી. માત્ર સ્કીમી કંપની જ નહીં પરંતુ અન્ય બ્રાન્ડેડ કંપનીઓની વોચનું પણ ડુપ્લિકેશન થતું હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું છે. કંપની દ્વારા તપાસ કરતા સામે આવ્યું હતું કેએસએસ એન્ટરપ્રાઇઝનિવાન ફેશન અને આશીર્વાદ એન્ટરપ્રાઇઝ નામથી પિયુષ વિરડીયા નામનો વ્યક્તિ ડુબલીકેટ વોચનું વેચાણ કરવાનું કામ કરતો હતો.

Read the Next Article

સુરત : અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાત્વના પાઠવી...

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોતને ભેટેલા સુરતના મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનોએ સાત્વના પાઠવી હતી.

New Update
  • અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 250થી વધુ લોકોના મોત

  • રાંદેર વિસ્તારમાં રહેતા ડોક્ટર દંપતીનું પણ ઘટનામાં મોત

  • મૃતકના પરિવારને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પાઠવી સાત્વના

  • ડો. હિતેશ શાહે ઘણા વર્ષો સુધી લોકસેવા કરી : હર્ષ સંઘવી

  • મૃતકના પરિવારને શક્તિ આપે તેવી ભગવાનને પ્રાર્થના કરી

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોતને ભેટેલા સુરતના મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનોએ સાત્વના પાઠવી હતી.

ગત તા. 12મી જૂન-2025ના રોજ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સુરત શહેર અને જિલ્લામાં રહેતા 14 જેટલા લોકોમાંથી અત્યાર સુધીમાં 9 લોકોના DNA મેચ થઇ ગયા બાદ રાંદેર ખાતે રહેતા મૃતક ડોક્ટર દંપતી ડો. હિતેશ શાહ અને પત્ની અમિતા શાહના મૃતદેહ સુરત લવાયા હતા. ત્યારબાદ પરિવારજનો દ્વારા ડોક્ટર દંપતીના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતાત્યારે આજરોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીવન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અને સુરત શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલ રાંદેર ખાતે મૃતક ડોક્ટર દંપતીના નિવાસ્થાને તેમના પરિવારને મળવા પહોંચ્યા હતાજ્યાં શાહ પરિવારના સભ્યોને સાત્વના પાઠવવામાં આવી હતી.

હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કેસુરતમાં ગરીબોના મસીહા તરીકે ઓળખાતા ડોક્ટર હિતેશ શાહએ ઘણા વર્ષોથી આ ક્ષેત્રમાં લોકોની સેવા કરી છે. તેઓ ખૂબ સારા સર્જન હતાઅને તે પોતાના ધર્મપત્ની સાથે અમદાવાદથી યુકે તેમની બહેનને મળવા જતા હતાઅને પ્લેન ક્રેશની દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું છે. આ દુખદ ઘટનામાં ભગવાન મૃતક ડોક્ટર દંપતીના પરિવારને શક્તિ આપે તેવી પણ હર્ષ સંઘવીએ પ્રાર્થના કરી હતી.