સુરત: પોલીસ કોન્સટેબલ 7 મહિનાથી ગુમ થતા પરિવારજનો ચિંતામાં, જુઓ શું છે સમગ્ર મામલો

પોલીસ કોન્સ્ટેબલ નો પરિવાર હાથમાં બેનરો લઈ પોલીસ કમિશનર કચેરી પહોંચી પોલીસ કોન્સ્ટેબલને શોધી કાઢવા માટે અપીલ કરી રહ્યા છે.

New Update
સુરત: પોલીસ કોન્સટેબલ 7 મહિનાથી ગુમ થતા પરિવારજનો ચિંતામાં, જુઓ શું છે સમગ્ર મામલો

સુરત મહિધરપુરા પોલીસનો કોન્સ્ટેબલ મિથુન ચૌધરી 7 મહિનાથી ગુમ છે. પોલીસ કોન્સ્ટેબલ નો પરિવાર હાથમાં બેનરો લઈ પોલીસ કમિશનર કચેરી પહોંચી પોલીસ કોન્સ્ટેબલને શોધી કાઢવા માટે અપીલ કરી રહ્યા છે.

Advertisment

ઓગસ્ટ મહિનામાં દિલ્હી પોલીસે સુરતના કાપોદ્રા પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ વિપુલ કોરડીયાની ધરપકડ કરી હતી. પોલીસની તપાસમાં કોલ ડિટેઈલ રેકોર્ડ વેચવાના રેકેટમાં વિપુલ કોરડિયાની સંડોવણી ખૂલી હતી. વિપુલને પૂછપરછ કરતા તેઓએ મહિધરપુરા પોલીસ ઝોન-4 માં ફરજ બજાવતા મિથુન ચૌધરી પાસેથી યુઝર આઇડી પાસવર્ડ મેળવી આ કોલ ડીટેલ ચોરી હોવાનું જણાવ્યું હતું. પોલીસે કોન્સ્ટેબલ મિથુન ચૌધરીને બે દિવસ પૂછપરછ માટે દિલ્હી લઈ ગઈ હતી જ્યારે બે દિવસની પૂછપરછ બાદ 7 મહિના વીતી ગયા છતાં આજદિન સુધી કોન્સ્ટેબલ ચૌધરી ઘરે પરત ફર્યો નથી.પોલીસ કોન્સ્ટેબલ મિથુલ ચૌધરીની પત્ની શર્મિલા ચૌધરીએ જણાવ્યું હતું કે મારા પતિ છેલ્લા 6 મહિનાથી ગુમ થઈ ગયા છે.

Advertisment
Read the Next Article

સુરત : કુખ્યાત ગુનેગાર સમીર માંડવા પર અંગત અદાવતમાં જાહેરમાં ફાયરિંગ,ચાર શખ્સો હુમલો કરીને ફરાર

સુરતના લાલગેટ વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર સમીર માંડવા પર ચાર શખ્સોએ જાહેર રસ્તા પર ફાયરિંગ કર્યું હતું.જેના કારણે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો

New Update
  • લાલગેટ પોલીસ મથકની હદમાં ફાયરિંગની ઘટના

  • કુખ્યાત સમીર માંડવા પર થયું ફાયરિંગ

  • ફાયરિંગમાં સમીર માંડવાનો આબાદ બચવા

  • ચાર જેટલા ઈસમો ફાયરિંગ કરીને ફરાર

  • અંગત અદાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યું 

Advertisment

સુરતના લાલગેટ વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર સમીર માંડવા પર ચાર શખ્સો જાહેર રસ્તા પર ફાયરિંગ કર્યું હતું.જેના કારણે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. હાલ પોલીસ દ્વારા સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

સુરતના લાલગેટ વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર સમીર માંડવા પર ચાર શખ્સે જાહેર રસ્તા પર ફાયરિંગ કર્યું હતું.હુમલાના સમયે સમીર માંડવા રસ્તા પર ઉભો હતો. જોકે તેને કોઈ ઇજા થવા પામી નથી. ત્યારે તાજેતરમાં થયેલી જૂની અદાવતના કારણે તેને નિશાન બનાવવામાં આવ્યો હોવાનું પોલીસના પ્રાથમિક અનુમાનમાં સામે આવ્યું છે. સમીર માંડવા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પોલીસ એના પર અગાઉ પણ કડક પગલાં ભરી ચૂકી છેજેમાં તેની ગેરકાયદે મિલકત પર બૂલડોઝર ચલાવાયું હતું. પોલીસ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી હતી અને ફાયરિંગ બાદ મળી આવેલી બુલેટ કબજે કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપી છે.

સમીર માંડવા સામે લૂંટધમકીમારામારી જેવા ગંભીર ગુનાઓના અનેક કેસો લાલગેટ અને આસપાસના વિસ્તારોમાં નોંધાઈ ચૂક્યા છે. પોલીસની ફાઇલોમાં તેનો ગુનાહિત ઇતિહાસ ભારે છે અને તેણે ઘણા વખતથી અપરાધિક પ્રવૃત્તિઓ દ્વારા કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. પોલીસે અગાઉ સમીર માંડવાની લાલગેટ વિસ્તારમાં આવેલી ગેરકાયદે મિલકત પર બૂલડોઝર ચલાવ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબહાલની ફાયરિંગની ઘટનાનું કારણ સમીર માંડવાની જૂની અદાવત હોઈ શકે છે. હાલ આરોપીઓ હજુ સુધી પકડાયા નથીપરંતુ પોલીસે દાવો કર્યો છે કે શંકાસ્પદ ઈસમોને ઓળખી લેવાયા છે અને ટૂંક સમયમાં ઝડપાય જશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

Advertisment