સુરત: પોલીસ કોન્સટેબલ 7 મહિનાથી ગુમ થતા પરિવારજનો ચિંતામાં, જુઓ શું છે સમગ્ર મામલો

પોલીસ કોન્સ્ટેબલ નો પરિવાર હાથમાં બેનરો લઈ પોલીસ કમિશનર કચેરી પહોંચી પોલીસ કોન્સ્ટેબલને શોધી કાઢવા માટે અપીલ કરી રહ્યા છે.

New Update
સુરત: પોલીસ કોન્સટેબલ 7 મહિનાથી ગુમ થતા પરિવારજનો ચિંતામાં, જુઓ શું છે સમગ્ર મામલો

સુરત મહિધરપુરા પોલીસનો કોન્સ્ટેબલ મિથુન ચૌધરી 7 મહિનાથી ગુમ છે. પોલીસ કોન્સ્ટેબલ નો પરિવાર હાથમાં બેનરો લઈ પોલીસ કમિશનર કચેરી પહોંચી પોલીસ કોન્સ્ટેબલને શોધી કાઢવા માટે અપીલ કરી રહ્યા છે.

ઓગસ્ટ મહિનામાં દિલ્હી પોલીસે સુરતના કાપોદ્રા પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ વિપુલ કોરડીયાની ધરપકડ કરી હતી. પોલીસની તપાસમાં કોલ ડિટેઈલ રેકોર્ડ વેચવાના રેકેટમાં વિપુલ કોરડિયાની સંડોવણી ખૂલી હતી. વિપુલને પૂછપરછ કરતા તેઓએ મહિધરપુરા પોલીસ ઝોન-4 માં ફરજ બજાવતા મિથુન ચૌધરી પાસેથી યુઝર આઇડી પાસવર્ડ મેળવી આ કોલ ડીટેલ ચોરી હોવાનું જણાવ્યું હતું. પોલીસે કોન્સ્ટેબલ મિથુન ચૌધરીને બે દિવસ પૂછપરછ માટે દિલ્હી લઈ ગઈ હતી જ્યારે બે દિવસની પૂછપરછ બાદ 7 મહિના વીતી ગયા છતાં આજદિન સુધી કોન્સ્ટેબલ ચૌધરી ઘરે પરત ફર્યો નથી.પોલીસ કોન્સ્ટેબલ મિથુલ ચૌધરીની પત્ની શર્મિલા ચૌધરીએ જણાવ્યું હતું કે મારા પતિ છેલ્લા 6 મહિનાથી ગુમ થઈ ગયા છે.

Read the Next Article

સુરતના ઇતિહાસની પ્રથમ ઘટના..! : કારની અડફેટે શ્વાનને કચડી મારનાર અજાણ્યા કારચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય...

સુરતના અડાજણ વિસ્તારમાં અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

New Update
  • અડાજણ વિસ્તારમાં એક કાર ચાલક બન્યો બેફામ

  • કારની અડફેટમાં લેતા શ્વાનનું ઘટનાસ્થળે જ મોત

  • બનાવના પગલે આસપાસથી લોકોના ટોળાં એકત્ર

  • એક જાગૃત નાગરિકે અડાજણ પોલીસને જાણ કરી

  • અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં કારની અડફેટે શ્વાનનું મોત નિપજતા પોલીસ મથકે ફરિયાદ નોંધાય હોવાનો સુરતમાંથી પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આજીવન સૃષ્ટિમાં દરેકને જીવવાનો અધિકાર છે. તેવામાં સુરતમાંથી મૂંગા પશુઓ પર થયેલ અત્યાચારની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક રખડતા શ્વાન પર કાર ચલાવી તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યું હતું. અડાજણ વિસ્તારમાં રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

બનાવના પગલે આસપાસના લોકો ભેગા થયા હતાજ્યાં એક જાગૃત નાગરિક દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી પંચનામું કરી મૃત શ્વાનને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી પશુ ચિકિત્શાલય ખસેડ્યું હતું. આ સાથે જ અડાજણ પોલીસે આ બાબતે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.