સુરત : સગીર પુત્રી સાથે દુષ્કર્મ આચરનાર આરોપી પિતાનો લોકઅપમાં ગળે ફાંસો ખાઈને આપઘાત

સુરતમાં વરાછા પોલીસ મથકના લોકઅપમાં અટકાયતમાં રાખવામાં આવેલા 45 વર્ષીય યુવકે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી હતી.

New Update
  • વરાછા પોલીસ સ્ટેશનમાં આપઘાતની ઘટના

  • લોકઅપમાં એક આરોપીએ કર્યો આપઘાત

  • નરાધમ પિતાએ પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું હતું

  • ટોયલેટના સળીયામાં કપડુ બાંધીને ફાંસો ખાધો

  • આરોપીના આપઘાતની ઘટનાથી પોલીસ તંત્રમાં દોડધામ

Advertisment

સુરતમાં વરાછા પોલીસ મથકના લોકઅપમાં અટકાયતમાં રાખવામાં આવેલા 45 વર્ષીય યુવકે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી હતી.આપઘાત કરનાર યુવક વિરુદ્ધ તેની સગીર પુત્રી પર દુષ્કર્મ આચરવા બદલ પોક્સો અને દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી.

સુરતના વરાછાના માતાવાડી વિસ્તારમાં રહેતા 46 વર્ષીય શખ્સ વિરુદ્ધ તેની જ 16 વર્ષની પુત્રી પર છેલ્લા કેટલાક મહિનાઓથી અડપલા અને દુષ્કર્મ કરતો હોવાનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી. દુષ્કર્મના આરોપીની ધરપકડ સરકારી પંચોની હાજરીમાં જ કરવાનો નિયમ હોવાથી પોલીસે સરકારી પંચોને પોલીસ મથકે તેડાવ્યા હતા.જોકે લોકપના ટોયલેટમાં બારીના સળિયા સાથે કપડુ બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો.આરોપીના આપઘાતને પગલે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

પોલીસ મથકમાં આપઘાતના પગલે સ્મીમેર હોસ્પિટલમાં ઓન કેમેરા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું હતું.આ સાથે જ એસીપીડેપ્યુટી કલેક્ટર સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

 

Advertisment
Latest Stories