સુરતમાં વિદ્યાર્થિનીએ લગ્ન પહેલા પીઠીની વિધિ પૂર્ણ કરીને આપી પરીક્ષા

સુરતમાં ફાઈન આર્ટસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી તમન્ના ચૌધરીએ પોતાના લગ્ન પહેલા પરીક્ષા આપી હતી.પીઠીની વિધિ પૂર્ણ કાર્ય બાદ કારકિર્દીના ઘડતર સમાન ફાઇન આર્ટ્સની પરીક્ષા તેણીએ આપી હતી. 

New Update
  • સુરતમાં કારકિર્દી સાથે જીવન ઘડતર કરતી નવવધૂ 

  • લગ્નની પીઠીની વિધિ પૂર્ણ કરીને આપી કોલેજની પરીક્ષા

  • હાથમાં લાગેલી હલદી અને મેહંદી જોઈને જ બધા થઈ ગયા દંગ 

  • ફાઈન આર્ટ્સના પ્રથમ વર્ષની શરૂ થઈ છે પરીક્ષા 

  • યુવતીને પરિવારજનો અને સાસરી પક્ષનો મળ્યો ભરપૂર સહયોગ 

Advertisment

સુરતમાં ફાઈન આર્ટસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી તમન્ના ચૌધરીએ પોતાના લગ્ન પહેલા પરીક્ષા આપી હતી.પીઠીની વિધિ પૂર્ણ કાર્ય બાદ કારકિર્દીના ઘડતર સમાન ફાઇન આર્ટ્સની પરીક્ષા તેણીએ આપી હતી. 

સુરતમાં ફાઈન આર્ટ્સની વિદ્યાર્થીની તમન્ના ચૌધરી પીઠીની વિધિ પૂર્ણ કરીને પીઠીના જ કપડામાં પરીક્ષા ખંડમાં પહોંચી હતી.તેની હાથમાં લાગેલી હલદી અને મેહંદી જોઈને જ બધા દંગ રહી ગયા.23 વર્ષની તમન્ના માટે લગ્નની સાથે સાથે ફાઇન આર્ટસના પહેલા વર્ષની પરીક્ષા  હતી.તમન્ના ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગની ડિગ્રી પહેલેથી જ મેળવી ચૂકી છેપરંતુ ફાઇન આર્ટ્સમાં પણ તેને વિશેષ રસ હોવાથી તેને ફાઇન આર્ટ્સમાં એડમિશન લીધું હતું. લગ્ન અને પરીક્ષા બંને હોવા છતાં તમન્નાએ સંપૂર્ણ રીતે તૈયારી કરી હતી.

Advertisment
Read the Next Article

ઓછો પગાર-કામનો વધુ બોજ..! : સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં વધુ 6 તબીબોનું રાજીનામું, શાસકો મૂંઝવણમાં...

તબીબો ખાનગી હોસ્પિટલોમાં વધુ આકર્ષક પગાર અને સુવિધાઓની લાલચે જોડાઈ રહ્યા છે. આ સમસ્યા નવી નથી, ભૂતકાળમાં પણ અનેક તબીબોએ સ્મીમેર હોસ્પિટલ છોડીને ખાનગી ક્ષેત્ર તરફ પલાયન કર્યું છે

New Update
  • મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી

  • સ્મીમેર હોસ્પિટલના વધુ 6 તબીબોનું સામૂહિક રાજીનામું

  • ઓછો પગારસાધનોકામનો બોજ બન્યા મુખ્ય કારણો

  • આરોગ્ય સેવાઓની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ ઊભો થયો

  • વધુ 6 તબીબોના રાજીનામાથી શાસકો મૂંઝવણમાં મુકાયા

Advertisment

ઓછો પગારઅપૂરતાં સાધનો અને કામનો અતિશય બોજ છોડી વધુ આકર્ષક પગાર અને સુવિધાઓની લાલચમાં સુરતની સ્મીમેર હોસ્પિટલમાં વધુ 6 તબીબોએ રાજીમાનું આપી દીધું છે.

સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં વધુ 6 તબીબોએ રાજીનામું આપી દીધું છે. આ તબીબો ખાનગી હોસ્પિટલોમાં વધુ આકર્ષક પગાર અને સુવિધાઓની લાલચે જોડાઈ રહ્યા છે. આ સમસ્યા નવી નથીભૂતકાળમાં પણ અનેક તબીબોએ સ્મીમેર હોસ્પિટલ છોડીને ખાનગી ક્ષેત્ર તરફ પલાયન કર્યું છે. ઓછો પગારઅપૂરતાં સાધનો અને કામનો અતિશય બોજ આની પાછળનાં મુખ્ય કારણો છે. જેના પરિણામેદર્દીઓને લાંબો સમય રાહ જોવી પડે છેઅને સારવારની ગુણવત્તા પણ ઘટી રહી છે.

ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશાનું કેન્દ્ર ધરાવતી સ્મીમેર હોસ્પિટલમાં આવી પરિસ્થિતિ આરોગ્ય સેવાઓની વિશ્વસનીયતા પર પ્રશ્નચિહ્ન ઉભું કરે છે. સ્મીમેરના વિવિધ વિભાગના વધુ 6 તબીબોના રાજીનામાની દરખાસ્ત શાસકો સમક્ષ મુકવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કેસ્મીમેર હોસ્પિટલમાં સ્ટાફની અછતને કારણે હાલના તબીબો પર વધુ દબાણ આવે છે. તેમજ દર્દીઓ પર ધ્યાન ન આપતા હોવાની ફરીયાદ પણ ઉઠે છે.

Advertisment