સુરત : તાપી નદીના પાણીમાં ઝેરી કેમિકલ ભેળવીને માછીમારી કરતાં ઇસમો ઝડપાયા…

તાપી નદીના પાણીમાં કેમિકલ નાખીને માછલીઓને મારીને માછલી પકડતા ઇસમો લોકોના હાથે ઝડપાયા હતા

New Update
સુરત : તાપી નદીના પાણીમાં ઝેરી કેમિકલ ભેળવીને માછીમારી કરતાં ઇસમો ઝડપાયા…

સુરત જીલ્લામાં તાપી નદીના પાણીમાં ઝેરી કેમિકલ નાખી માછલીઓ પકડતા ઇસમોને માંડવી ઓવારા પાસેથી ખારવા સમાજના માછીમારો અને નગરસેવકે પકડીને પોલિસના હવાલે કર્યા હતા. ગતરોજ સુરતમાં તાપી નદીના પાણીમાં કેમિકલ નાખીને માછલીઓને મારીને માછલી પકડતા ઇસમો લોકોના હાથે ઝડપાયા હતા. માંડવી ઓવારા નજીક આવેલ ભવાની શંકર મંદિર આગળના ભાગથી ખારવા સમાજના માછીમારો અને નાગરસેવક દ્વારા આ ઇસમોને પકડી પોલીસને સોપવામાં આવ્યા હતા.

નગરસેવકે જણાવ્યુ હતું કે, તાપી નદીમાં કેમિકલ અને અન્ય ઝેરી રસાયણો છોડીને માછીમારી કરવી ગુનાહિત પ્રવુતિ છે. માછીમારી પ્રવુતિ માટે નાના કદના છીદ્રોની જાળનો ઉપયોગ કરવો પણ કાયદાનું ઉલ્લધન છે, ત્યારે આવા કૃત્યોથી ખારવા સમાજના માછીમારો કે, જે માછીમારીથી પોતાનું ગુજરાન ચલાવે છે તેવા પરિવારોને મોટું આર્થિક નુકશાન થાય છે. જેથી નગરસેવક કૃણાલ સેલર અને સમાજના આગેવાનો દ્વારા આવા ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકોને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરવામાં આવી છે, ત્યારે હવે ટૂંક સમયમાં જ આ મામલે જિલ્લા કલેક્ટર અને મત્સ્યઉદ્યોગ વિભાગમાં પણ રજૂઆત કરવામાં આવશે.

Read the Next Article

“તેરા તુજકો અર્પણ” : રૂ. 5.45 લાખના મોબાઈલ શોધી કાઢી મૂળ માલીકોને પરત કરતી સુરતની કાપોદ્રા પોલીસ...

સુરતની કાપોદ્રા પોલીસે ચોરી અથવા ગુમ થયેલ રૂ. 5.45 લાખના મોબાઈલ ફોન શોધી કાઢી સુપ્રત કરવામાં આવતા મૂળ માલીકોએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

New Update
  • પોલીસ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ” અભિયાન

  • ચોરી અને ગુમ થયેલ મોબાઈલ શોધી લેવામાં આવ્યા

  • કાપોદ્રા પોલીસ દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરાય

  • રૂ. 5.45 લાખના મોબાઈલ શોધી મૂળ માલીકોને સુપ્રત

  • લોકોએ પોલીસ વિભાગનો વિશેષ આભાર વ્યક્ત કર્યો

સુરતની કાપોદ્રા પોલીસે ચોરી અથવા ગુમ થયેલ રૂ. 5.45 લાખના મોબાઈલ ફોન શોધી કાઢી સુપ્રત કરવામાં આવતા મૂળ માલીકોએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાત રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં અરજદારોને તેઓનો મુદ્દામાલ પરત મળે તે હેતુથી પોલીસ વિભાગ દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ” અંતર્ગત વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છેત્યારે સુરત શહેરના કાપોદ્રા પોલીસ મથકના PI એમ.આર.સોલંકીના માર્ગદર્શન હેઠળ "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ચોરી અથવા ગુમ થયેલ રૂ. 5.45 લાખના મોબાઈલ ફોન CEIR પોર્ટલ થકી શોધી કાઢી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કેમૂળ માલિકોએ ગુમ અથવા ચોરી થયેલ મોબાઇલ ફોન પરત મળતા આભાર માની કાપોદ્રા પોલીસની કામગીરીને બિરદાવી હતી.