Connect Gujarat
સુરત 

સુરત : શેરડીના ટેકાના ભાવમાં સરકારે વધારો કર્યો, 5 કરોડ ખેડૂતોને થશે આર્થિક ફાયદો...

દક્ષિણ ગુજરાતનો સૌથી મહત્વનો પાક એવો શેરડીનો પાક અહીના વિસ્તારમાં ખૂબ જ વિપુલ પ્રમાણમાં થાય છે. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં સુગર મિલો પણ ધમધમી રહી છે

X

દક્ષિણ ગુજરાતનો સૌથી મહત્વનો પાક એવો શેરડીનો પાક અહીના વિસ્તારમાં ખૂબ જ વિપુલ પ્રમાણમાં થાય છે. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં સુગર મિલો પણ ધમધમી રહી છે, ત્યારે સરકારે શેરડીના ટેકાના ભાવની જાહેરાત કરી ક્વિન્ટલ દીઠ રૂપિયા 15નો વધારો કરવામાં આવતા ખેડૂતોને મોટી રાહત થઈ છે.

શેરડીના પાક ઉભો થતાની સાથે જ ખેડૂતોમાં ચિંતા રહેતી હોય છે કે, સરકાર ટેકાનો ભાવ કેટલો જાહેર કરે છે. તેવામાં સુરતના તેમજ દક્ષિણ ગુજરાતના સહકારી માળખામાં ખેતીના પાકની મહત્વતા ખૂબ જ વધુ છે. સરકારે જાહેર કરેલા નવા શેરડીના ટેકાના ભાવ ઓક્ટોબરથી શરૂ થતા માર્કેટિંગ વર્ષ 2022-23 માટે સરકારે શેરડીના ટેકાના ભાવમાં ક્વિન્ટલ દીઠ 15 રૂપિયા વધારીને 305 રૂપિયા કર્યો છે. જોકે, સરકારના આ નિર્ણયથી શેરડીના ખેડૂતો, તેમના આશ્રિતો, ખાંડની મિલો અને તેનાથી સંબંધિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા 5 લાખ શ્રમિકોને ફાયદો થશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ શેરડીના ટેકાના ભાવને રૂપિયા 305 સુધી કરવાના નિર્ણયને મંજૂરી આપી છે.

Next Story