સુરત: અસંવેદનશીલતાની પરાકાષ્ઠા અશ્વિનીકુમાર સ્મશાન ગૃહમાં જોવા મળી,મૃતકના પરિવારજનોને થયો કડવો અનુભવ

સુરતમાં કોઈનું મૃત્યુ થાય તો દિવાળીના દિવસે મૃત્યુ ન થાય તેનું ધ્યાન રાખવું પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.કારણ કે સુરત શહેરના અશ્વિની કુમાર સ્મશાન ગૃહના કર્મચારીઓ કહી રહ્યા છે

New Update

સુરતમાં દિવાળીમાં સ્મશાન ગૃહના કર્મચારીની આડોડાઈ, મૃતકનાં સ્વજનો સાથે કર્યું ઉદ્ધતાઈ ભર્યું વલણ 

સુરતમાં કોઈનું મૃત્યુ થાય તો દિવાળીના દિવસે મૃત્યુ ન થાય તેનું ધ્યાન રાખવું પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.કારણ કે સુરત શહેરના અશ્વિની કુમાર સ્મશાન ગૃહના કર્મચારીઓ કહી રહ્યા છે કે જ્યારે દિવાળી પર ઘરે મહેમાનો આવી રહ્યા છે,ત્યારે તમે મૃતદેહ લઈને આવી રહ્યા છો.આ ઉદ્ધતાઈ ભર્યા વર્તનના કારણે મૃતકના પરિવારજનોને સ્મશાન ગૃહનો કડવો અનુભવ થયો હતો.
દિવાળીમાં મૃતદેહ લઈને આવેલા પરિવારજનોને મૃતદેહ અગ્નિસંસ્કાર માટે લાવવાનું નહીં કહેવામાં આવ્યું હતું,કારણ કે દિવાળીના દિવસે અંતિમ સંસ્કાર કરવા માટે સ્મશાન ગૃહમાં કર્મચારીઓ નહોતા.માનવતા નેવે મૂકી સ્મશાનના કર્મચારીઓ મૃતકના પરિવારજનો સાથે ઉદ્ધતાઈ પૂર્વક વર્તન પણ કર્યું હતું. મૃતદેહના અંતિમ સંસ્કાર માટે પરિવારજનોએ કલાકો રાહ જોવી પડી હતી.
સુરત શહેરના પુણાગામ વિસ્તાર ખાતે રહેતી મીના રાઠોડનું મૃત્યુ નીપજતા તેમને દિવાળીના દિવસે પરિવારના સભ્યો અંતિમ સંસ્કાર માટે અશ્વિનીકુમાર સ્મશાન ગૃહ લઈને આવ્યા હતા,પરંતુ ત્યાં વૃદ્ધ કર્મચારીએ કહ્યું હતું કે જ્યારે લોકોના ઘરે મહેમાન આવે છે ત્યારે તમે અહીંયા મૃતદેહ લઈને આવ્યા છો અહીં કર્મચારી નથી.અને આ અંગેનો એક વિડીયો પણ વાયરલ થયો હતો.
મૃતકનાં સ્વજનોને સ્મશાન ગૃહના કર્મચારીનો ખુબ જ કડવો અનુભવ થયો હતો,અને વારંવારની આજીજી બાદ પણ કર્મચારી ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતો રહ્યો હોવાનું મૃતકના સ્વજનોએ જણાવ્યું હતું.
Read the Next Article

સુરત : રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાના યોગ દિવસની ઉજવણી કરાય...

21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

New Update
  • સરસાણા ડોમ ખાતે 11મા વિશ્વ યોગ દિવસની ઉજવણી

  • રાજ્યના વન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિ

  • જિલ્લાકક્ષાની ઉજવણીમાં મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા

  • સાંસદધારાસભ્યો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા

  • આજરોજ અંદાજે 4.50 લાખથી નાગરિકો યોગમય બન્યા 

સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત 11મા વિશ્વ યોગ દિવસની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આજે તા. 21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સુરત જિલ્લાકક્ષાની ઉજવણીમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાતની થીમ પર કેન્દ્રિત રહી હતીજેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો હતો.

આ ઉજવણીમાં શહેરની સામાજિક સંસ્થાઓશાળા-કોલેજના વિદ્યાર્થીઓઅને પાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. સુરત જિલ્લામાં યોગ દિવસની ઉજવણીમાં 3200થી વધુ સ્થળોએ અંદાજે 4.50 લાખથી વધુ નાગરિકો યોગમય બન્યા હતા. આ વિશાળ જનભાગીદારી યોગ પ્રત્યે લોકોમાં વધતી જાગૃતિ અને તેને દૈનિક જીવનનો ભાગ બનાવવાની ઈચ્છા દર્શાવે છે.

સામૂહિક યોગાભ્યાસ દ્વારા સમાજમાં સ્વાસ્થ્ય અને સુખાકારીનો સંદેશ ફેલાવવામાં આવ્યોજે એક પૃથ્વી એક શ્વાસના વૈશ્વિક સંદેશને મૂર્તિમંત કરે છે. સામૂહિક યોગાભ્યાસ કાર્યક્રમ સુરતના નાગરિકોની એકતા અને સ્વાસ્થ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બન્યો હતો. આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલધારાસભ્યોકલેકટરપાલિકા કમિશ્નરપોલીસ કમિશનર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.