સુરત : પ્રયાગરાજ મહાકુંભ માટે શ્રદ્ધાળુઓની પ્રથમ વોલ્વો બસને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરાવ્યું પ્રસ્થાન

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભની યાત્રા અર્થે શ્રદ્ધાળુઓ માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા GSRTCની વોલ્વો બસની સુવિધા શરૂ કરવામાં આવી છે

New Update
  • મહાકુંભની યાત્રા માટે વોલ્વો બસની સુવિધા

  • ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બસને પ્રસ્થાન કરાવ્યું

  • ઢોલ નગારાના તાલે મુસાફરોનું કરાયું સ્વાગત

  • યાત્રાળુઓએ સરકારનો માન્યો આભાર

  • સરકારે શરૂ કરેલી બસ સેવાને બિરદાવતા યાત્રીઓ 

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભની યાત્રા અર્થે શ્રદ્ધાળુઓ માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારાGSRTCની વોલ્વો બસની સુવિધા શરૂ કરવામાં આવી છે,અમદાવાદ બાદ આજરોજ સુરતથી યાત્રાળુઓ સાથે બસને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રસ્થાન કરાવ્યું હતું.

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પ્રયાગરાજ કુંભમેળાની યાત્રાએ જવા માંગતા શ્રદ્ધાળુઓ માટેGSRTCની વોલ્વો બસની સુવિધા શરૂ કરવામાં આવી છે.અગાઉ અમદાવાદથી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો,જ્યારે આજરોજ રાજ્યના ગૃહમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા સુરતથી વોલ્વો બસનું પ્રસ્થાન કરાવ્યું હતું.આ પ્રસંગે યાત્રાળુઓ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો,અને મહાકુંભની યાત્રામાં જવાની આશા ગુમાવી દીધા બાદ રાજ્ય સરકારે શરૂ કરેલી બસ સેવાને યાત્રાળુઓએ બિરદાવી હતી.આ પ્રસંગે ગૃમંત્રી હર્ષ સંઘવીએ યાત્રાળુઓ સાથે વાતચીત કરીને સૌને શુભેચ્છા પાઠવી હતી.મહાકુંભ માટે બસને પ્રસ્થાન સમયે ઢોલ નગારાના તાલે બસને પ્રસ્થાન કરાવવામાં આવી હતી.આ ક્ષણે યાત્રાળુઓએ ગરબા રમીને ખુશી વ્યક્ત કરી હતી. વધુમાં આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે ધારાસભ્ય અને મેયર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

સુરત :  'ઓપરેશન સિંદૂર' માં પાકિસ્તાન સામે ભારતના શૌર્ય અને શક્તિશાળી બ્રહ્મોસ મિસાઈલના પરાક્રમને રાખડીમાં કંડારાયું

ભારતીય સેના અને બ્રહ્મોસ મિસાઈલના શૌર્યની ગાથા વિશ્વભરમાં ગુંજી રહી છે, ત્યારે હવે સુરતના જ્વેલર્સ આ ઐતિહાસિક ક્ષણને રાખડીઓમાં કંડારી રહ્યા છે.

New Update
  • ભારતના શૌર્યને દર્શાવતી રાખડી

  • જવેલર્સે તૈયારી કરી શૌર્યમય રાખડી

  • રાખડીમાં છે બ્રહ્મોસ મિસાઈલનું પરાક્રમ

  • ઐતિહાસિક ક્ષણને રાખડીઓમાં કંડારી

  • રાખડીનું લોકોમાં ભારે આકર્ષણ જગાવ્યું  

સુરતમાં એક અનોખી અને રાષ્ટ્રપ્રેમથી છલકાતી રાખડીઓ બજારમાં ધૂમ મચાવી રહી છે.'ઓપરેશન સિંદૂર'માં પાકિસ્તાન સામે ભારતના શૌર્ય અને શક્તિશાળી બ્રહ્મોસ મિસાઈલના પરાક્રમને યાદ કરતી ખાસ રાખડીઓ લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે.

ભારતીય સેના અને બ્રહ્મોસ મિસાઈલના શૌર્યની ગાથા વિશ્વભરમાં ગુંજી રહી છેત્યારે હવે સુરતના જ્વેલર્સ આ ઐતિહાસિક ક્ષણને રાખડીઓમાં કંડારી રહ્યા છે. આ ખાસ રાખડીઓની વધુ એક વિશેષતા એ છે કે તે તિરંગાના રંગોવાળી દોરી સાથે સજ્જ છે. આ તિરંગાની દોરી ભારતીય હોવાનો ગર્વ અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપે છે.

સુરતના બજારમાં હાલ સોના અને ચાંદીમાંથી બનેલી બ્રહ્મોસ મિસાઇલની ડિઝાઈનવાળી નાની રાખડીઓની માંગ આસમાને પહોંચી છે.'બ્રહ્મોસ રાખડીતરીકે જાણીતી થયેલી આ રાખડીઓ ખૂબ જ લોકપ્રિય બની રહી છે.ચાંદીની બ્રહ્મોસ મિસાઈલવાળી રાખડી લગભગ 10 ગ્રામ વજનની છે અને તેની કિંમત અંદાજે 2500 રૂપિયા છે. જ્યારેસોનાની બ્રહ્મોસ મિસાઈલવાળી રાખડી ખાસ 9 કેરેટ ગોલ્ડમાંથી તૈયાર કરવામાં આવી છે5થી 6 ગ્રામ વજનમાં તૈયાર થતી આ સોનાની રાખડીઓની કિંમત 60,000થી 80,000 રૂપિયા છે.