સુરત : પ્રયાગરાજ મહાકુંભ માટે શ્રદ્ધાળુઓની પ્રથમ વોલ્વો બસને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરાવ્યું પ્રસ્થાન

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભની યાત્રા અર્થે શ્રદ્ધાળુઓ માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા GSRTCની વોલ્વો બસની સુવિધા શરૂ કરવામાં આવી છે

New Update
  • મહાકુંભની યાત્રા માટે વોલ્વો બસની સુવિધા

  • ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બસને પ્રસ્થાન કરાવ્યું

  • ઢોલ નગારાના તાલે મુસાફરોનું કરાયું સ્વાગત

  • યાત્રાળુઓએ સરકારનો માન્યો આભાર

  • સરકારે શરૂ કરેલી બસ સેવાને બિરદાવતા યાત્રીઓ 

Advertisment

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભની યાત્રા અર્થે શ્રદ્ધાળુઓ માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા GSRTCની વોલ્વો બસની સુવિધા શરૂ કરવામાં આવી છે,અમદાવાદ બાદ આજરોજ સુરતથી યાત્રાળુઓ સાથે બસને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રસ્થાન કરાવ્યું હતું. 

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પ્રયાગરાજ કુંભમેળાની યાત્રાએ જવા માંગતા શ્રદ્ધાળુઓ માટે GSRTCની વોલ્વો બસની સુવિધા શરૂ કરવામાં આવી છે.અગાઉ અમદાવાદથી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો,જ્યારે આજરોજ રાજ્યના ગૃહમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા સુરતથી વોલ્વો બસનું પ્રસ્થાન કરાવ્યું હતું.આ પ્રસંગે યાત્રાળુઓ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો,અને મહાકુંભની યાત્રામાં જવાની આશા ગુમાવી દીધા બાદ રાજ્ય સરકારે શરૂ કરેલી બસ સેવાને યાત્રાળુઓએ બિરદાવી હતી.આ પ્રસંગે ગૃમંત્રી હર્ષ સંઘવીએ યાત્રાળુઓ સાથે વાતચીત કરીને સૌને શુભેચ્છા પાઠવી હતી.મહાકુંભ માટે બસને પ્રસ્થાન સમયે ઢોલ નગારાના તાલે બસને પ્રસ્થાન કરાવવામાં આવી હતી.આ ક્ષણે યાત્રાળુઓએ ગરબા રમીને ખુશી વ્યક્ત કરી હતી. વધુમાં આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે ધારાસભ્ય અને મેયર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment
Read the Next Article

સુરત : કુખ્યાત ગુનેગાર સમીર માંડવા પર અંગત અદાવતમાં જાહેરમાં ફાયરિંગ,ચાર શખ્સો હુમલો કરીને ફરાર

સુરતના લાલગેટ વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર સમીર માંડવા પર ચાર શખ્સોએ જાહેર રસ્તા પર ફાયરિંગ કર્યું હતું.જેના કારણે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો

New Update
  • લાલગેટ પોલીસ મથકની હદમાં ફાયરિંગની ઘટના

  • કુખ્યાત સમીર માંડવા પર થયું ફાયરિંગ

  • ફાયરિંગમાં સમીર માંડવાનો આબાદ બચવા

  • ચાર જેટલા ઈસમો ફાયરિંગ કરીને ફરાર

  • અંગત અદાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યું 

Advertisment

સુરતના લાલગેટ વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર સમીર માંડવા પર ચાર શખ્સો જાહેર રસ્તા પર ફાયરિંગ કર્યું હતું.જેના કારણે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. હાલ પોલીસ દ્વારા સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

સુરતના લાલગેટ વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર સમીર માંડવા પર ચાર શખ્સે જાહેર રસ્તા પર ફાયરિંગ કર્યું હતું.હુમલાના સમયે સમીર માંડવા રસ્તા પર ઉભો હતો. જોકે તેને કોઈ ઇજા થવા પામી નથી. ત્યારે તાજેતરમાં થયેલી જૂની અદાવતના કારણે તેને નિશાન બનાવવામાં આવ્યો હોવાનું પોલીસના પ્રાથમિક અનુમાનમાં સામે આવ્યું છે. સમીર માંડવા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પોલીસ એના પર અગાઉ પણ કડક પગલાં ભરી ચૂકી છેજેમાં તેની ગેરકાયદે મિલકત પર બૂલડોઝર ચલાવાયું હતું. પોલીસ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી હતી અને ફાયરિંગ બાદ મળી આવેલી બુલેટ કબજે કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપી છે.

સમીર માંડવા સામે લૂંટધમકીમારામારી જેવા ગંભીર ગુનાઓના અનેક કેસો લાલગેટ અને આસપાસના વિસ્તારોમાં નોંધાઈ ચૂક્યા છે. પોલીસની ફાઇલોમાં તેનો ગુનાહિત ઇતિહાસ ભારે છે અને તેણે ઘણા વખતથી અપરાધિક પ્રવૃત્તિઓ દ્વારા કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. પોલીસે અગાઉ સમીર માંડવાની લાલગેટ વિસ્તારમાં આવેલી ગેરકાયદે મિલકત પર બૂલડોઝર ચલાવ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબહાલની ફાયરિંગની ઘટનાનું કારણ સમીર માંડવાની જૂની અદાવત હોઈ શકે છે. હાલ આરોપીઓ હજુ સુધી પકડાયા નથીપરંતુ પોલીસે દાવો કર્યો છે કે શંકાસ્પદ ઈસમોને ઓળખી લેવાયા છે અને ટૂંક સમયમાં ઝડપાય જશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

Advertisment