સુરત : AIMIMના સુપ્રીમો ઓવૈસીની સભામાં કાળા વાવટા સાથે મુસ્લિમ યુવકોએ લગાવ્યા 'પરત જાવ'ના નારા...

159 પૂર્વ વિધાનસભા બેઠકની રૂદરપુરા ખાડી વિસ્તારમાં AIMIMના સુપ્રીમો અસુદ્દીન ઓવૈસીની સભામાં મુસ્લિમ યુવકોએ “પરત જાવ”ના નારા સાથે ઓવૈસીનો વિરોધ કર્યો હતો.

New Update
સુરત : AIMIMના સુપ્રીમો ઓવૈસીની સભામાં કાળા વાવટા સાથે મુસ્લિમ યુવકોએ લગાવ્યા 'પરત જાવ'ના નારા...

સુરતની 159 પૂર્વ વિધાનસભા બેઠકની રૂદરપુરા ખાડી વિસ્તારમાં AIMIMના સુપ્રીમો અસુદ્દીન ઓવૈસીની સભામાં મુસ્લિમ યુવકોએ "પરત જાવ"ના નારા સાથે ઓવૈસીનો વિરોધ કર્યો હતો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ હવે બરાબર જામી રહ્યો છે. ભાજપ-કોંગ્રેસ અને આપની સાથે સાથે અન્ય રાજકીય પક્ષોએ પણ પ્રચાર પૂરજોશમાં શરૂ કરી દીધો છે, ત્યારે સુરતની 159 પૂર્વ વિધાનસભા બેઠકની રૂદરપુરા ખાડી વિસ્તારમાં AIMIMના સુપ્રીમો અસુદ્દીન ઓવૈસીની સભા યોજાય હતી, જ્યાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો એકત્રિત થયા હતા. જોકે, આ વિધાનસભા મત વિસ્તારમાં સૌથી વધુ મુસ્લિમ મતદાન હોવાના કારણે ઓવૈસીની નજર આ બેઠક ઉપર છે, ત્યાં જ ઔવેસીનો મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ બેઠક પર AIMIM પાર્ટીએ પોતાનો ઉમેદવાર ઉભો રાખ્યો છે. આ બેઠક ઉપર જો મુસ્લિમ કાર્ડ ચાલી જાય, તો તેમને સફળતા મળે તેવી પણ શક્યતા છે. પરંતુ આશ્ચર્યજનક રીતે તેમની AIMIMના સુપ્રીમો ઓવૈસીની સભામાં ભારે હોબાળો મચ્યો હતો. મુસ્લિમ યુવકોએ "પરત જાવ"ના નારા લગાવીને ઓવૈસીનો વિરોધ કર્યો હતો

Read the Next Article

સુરતના એકમાત્ર “પ્લાસ્ટિક મુક્ત” અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું...

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update

નાગરિકો માટે પોલીસ સેવા સુલભ બને તેવું આયોજન

સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત અલથાણ પોલીસ સ્ટેશન

અલથાણ પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું

પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની વિશેષ વ્યવસ્થા

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અલથાણ પોલીસ સ્ટેશન સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત પોલીસ સ્ટેશન તેમજ સોલાર પાવર સિસ્ટમથી સંચાલિત છેત્યારે આ પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અલથાણ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યમાં શાંતિસુરક્ષા સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા તેમજ ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી તથા આમ નગારિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓફરિયાદોમાં અલથાણ પોલીસ સ્ટેશન મદદરૂપ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલસંદીપ દેસાઈધારાસભ્ય સંગીતા પાટીલસુરત શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓસામાજિક આગેવાનો  સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.