Connect Gujarat
સુરત 

સુરત : અમરોલીમાં પત્ની પર ચારિત્ર્યની શંકા રાખી માથામાં કુકર મારી પતિએ કરી હત્યા

સુરતના અમરોલી સ્થિત હળપતિવાસમાં પતિએ પત્ની પર ચારિત્ર્યની શંકા રાખી ઢોરમાર મારી માથામાં કુકરના ઘા ઝીંકતા મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

X

સુરતના અમરોલી સ્થિત હળપતિવાસમાં પતિએ પત્ની પર ચારિત્ર્યની શંકા રાખી ઢોરમાર મારી માથામાં કુકરના ઘા ઝીંકતા મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા હળપતિ વાસમાં રહેતા સુરજ સંતોષ કુર્મી પટેલે 6 વર્ષ પહેલા આરતીબેન સાથે ભાગીને લગ્ન કર્યા હતા, છેલ્લા ઘણા સમયથી પતિ તેની પત્ની પર ચારીત્ય અંગે શંકા કરી માર મારતો હતો. ત્યારે ગત 16 ડીસેમ્બરના રોજ પતિએ તેની જ પત્નીને ફરીથી ચારીત્ય પર શંકા કરીને હાથે પગે અને માથાના ભાગે માર માર્યો હતો. જેથી તેઓને ગંભીર ઈજાઓ થઇ હતી. જેથી તેણીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પર હાજર તબીબે તેણીને મૃત જાહેર કરી હતી. આ બનાવને લઈને અમરોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતક મહિલાના ભાઈની ફરિયાદના આધારે મહિલાના પતિ સામે હત્યાનો ગુનો નોધ્યો છે. જોકે, પીએમ રીપોર્ટ અનુસાર મહિલાને માથામાં કુકર મારતા બ્રેઈન હેમરેજ થતા તેણીનું મોત થયું હોવાનું બહાર આવ્યું હતું. હાલ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story