સુરત : નિરાધાર બાળકોના મુખે ખુશી રેલાવવાનો પ્રયાસ, શાંતિદેવી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગરબાનું કરાયું આયોજન

સુરત શહેરમાં શાંતિદેવી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિરાધાર બાળકો માટે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું,અને બાળકોમાં ચહેરા પર આનંદની સુવાસ પ્રસરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 

New Update

સુરતમાં નિરાધાર બાળકો માટે ગરબા યોજાયા 

શાંતિદેવી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરાયું આયોજન 

પોલીસ કમિશનરની વિશેષ ઉપસ્થિત

બાળકો ગરબાના તાલે ઝૂમ્યા 

અનાથ બાળકોના મુખે આનંદની સુવાસ પ્રસરી 

સુરત શહેરમાં શાંતિદેવી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિરાધાર બાળકો માટે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું,અને બાળકોમાં ચહેરા પર આનંદની સુવાસ પ્રસરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 

સુરત શહેરમાં અનાથ બાળકો માટે અનોખી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. શાંતિદેવી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પુણા વિસ્તારમાં આવેલા મહેશ્વરી ભવન ખાતે અનાથ બાળકો માટે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં અનાથ બાળકો ગરબે ઝૂમ્યાં હતા. આ નવરાત્રીમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે,શાંતિદેવી ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલકોએ અનાથ બાળકો માટે અનોખી નવરાત્રીનું આયોજન કર્યું છે. નાના બાળકોને ગરબા રમવા ખૂબ જ ગમે છે. માતાજીના આશીર્વાદ તમામ બાળકો પર બની રહે તેવી પ્રાર્થના તેઓએ કરી હતી. 
Read the Next Article

“તેરા તુજકો અર્પણ” : રૂ. 5.45 લાખના મોબાઈલ શોધી કાઢી મૂળ માલીકોને પરત કરતી સુરતની કાપોદ્રા પોલીસ...

સુરતની કાપોદ્રા પોલીસે ચોરી અથવા ગુમ થયેલ રૂ. 5.45 લાખના મોબાઈલ ફોન શોધી કાઢી સુપ્રત કરવામાં આવતા મૂળ માલીકોએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

New Update
  • પોલીસ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ” અભિયાન

  • ચોરી અને ગુમ થયેલ મોબાઈલ શોધી લેવામાં આવ્યા

  • કાપોદ્રા પોલીસ દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરાય

  • રૂ. 5.45 લાખના મોબાઈલ શોધી મૂળ માલીકોને સુપ્રત

  • લોકોએ પોલીસ વિભાગનો વિશેષ આભાર વ્યક્ત કર્યો

સુરતની કાપોદ્રા પોલીસે ચોરી અથવા ગુમ થયેલ રૂ. 5.45 લાખના મોબાઈલ ફોન શોધી કાઢી સુપ્રત કરવામાં આવતા મૂળ માલીકોએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાત રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં અરજદારોને તેઓનો મુદ્દામાલ પરત મળે તે હેતુથી પોલીસ વિભાગ દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ” અંતર્ગત વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છેત્યારે સુરત શહેરના કાપોદ્રા પોલીસ મથકના PI એમ.આર.સોલંકીના માર્ગદર્શન હેઠળ "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ચોરી અથવા ગુમ થયેલ રૂ. 5.45 લાખના મોબાઈલ ફોન CEIR પોર્ટલ થકી શોધી કાઢી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કેમૂળ માલિકોએ ગુમ અથવા ચોરી થયેલ મોબાઇલ ફોન પરત મળતા આભાર માની કાપોદ્રા પોલીસની કામગીરીને બિરદાવી હતી.