સુરત : ડીંડોલી વિસ્તારના ઓમ નગરમાં અજાણ્યા ઈસમને ચોર સમજી લોકોએ ઢીબેડી નાંખ્યો, જુઓ LIVE વિડિયો

સુરત શહેરના ડીંડોલી વિસ્તારના ઓમ નગરમાં ગત મોડીરાત્રે લોકોએ એક ચોરને ઝડપી પાડી ઢોર માર્યો હતો. જે બાદ પોલીસના હવાલે કર્યો હતો, 

New Update
  • ડીંડોલી વિસ્તારમાં આવેલ ઓમ નગરની ઘટના

  • મોડીરાત્રે સ્થાનિકોએ એક તસ્કરને ઝડપી પાડ્યો

  • લોકોએ તસ્કરને ઝડપી પાડી બરાબરનો ઢોર માર્યો

  • સમગ્ર બનાવના CCTV ફૂટેજ પણ સામે આવ્યા

  • અત્યારસુધી કોઈએ ફરિયાદ નહીં નોંધાવી : પોલીસ

સુરત શહેરના ડીંડોલી વિસ્તારના ઓમ નગરમાં ગત મોડીરાત્રે લોકોએ એક ચોરને ઝડપી પાડી ઢોર માર્યો હતો. જે બાદ પોલીસના હવાલે કર્યો હતોત્યારે હાલ તો સમગ્ર બનાવના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલા ઓમ નગરમાં છેલ્લા ઘણા સમયથી ચોરીની ઘટના વધી હતી. આ દરમિયાન ગત તા. 10 નવેમ્બરના રોજ રાત્રે 12 વાગ્યાના અરસામાં લોકોએ એક વ્યક્તિને ચોર સમજીને પકડી લીધો હતો. લોકોને આશંકા હતી કેતે ચોરી કરવા માટે આવ્યો છે. હાથમાં ટોર્ચલાકડી લઈને લોકો તે વ્યક્તિ ઉપર તૂટી પડ્યા હતાજ્યારે ચોર ઝડપાયો ત્યારે લગભગ 20થી 25 લોકો એકત્ર થઈ ગયા હતા. જે હાથમાં આવે તેનાથી લોકો ચોરને મારી રહ્યા હતા. આ વચ્ચે ચોરના હાથમાં પણ લાકડી જોવા મળી હતીઅને તે પણ સ્વબચાવ માટે લોકો પર લાકડી વડે હુમલો કરી રહ્યો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. ચોરને પકડી લોકોએ સ્થાનિક પોલીસને જાણ પણ કરી હતી. જોકેઆ મામલે અત્યારસુધી કોઈએ ફરિયાદ નહીં નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે.

Read the Next Article

સુરત : કમોસમી વરસાદમાં ડાંગરના પાકને થયું નુકશાન,ખેડૂત આગેવાને સીએમને પત્ર લખી ખેડૂતોને આર્થિક સહાય આપવા કરી માંગ

સુરતમાં વરસેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની માઠી દશા બેઠી છે.ખાસ કરીને ડાંગર પકવતા ખેડૂતોએ આર્થિક નુકસાન સહન કરવાનો વખત આવ્યો છે

New Update
  • કમોસમી વરસાદથી ડાંગરના પાકને નુકસાન

  • ખેડૂત આગેવાને સીએમને લખ્યો પત્ર

  • ડાંગરને બોનસ આપી મદદરૂપ થવા અંગે લખ્યો પત્ર

  • 100 કિલો દીઠ રૂપિયા 500 બોનસ આપવા કરી માંગ

  • ટેકાના ભાવ કરતા પણ મળી રહ્યો છે ઓછો ભાવ

સુરતમાં કમોસમી વરસાદ વરસ્યા બાદ ખેતીના પાકમાં નુકશાન પહોંચ્યું છે.ખેડૂત આગેવાન જયેશ પટેલ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ડાંગરના પાકમાં થયેલા નુકસાન સંદર્ભે પત્ર લખીને ડાંગરમાં 100 કિલો દીઠ રૂપિયા 500 બોનસની માંગ કરી છે.

સુરતમાં વરસેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની માઠી દશા બેઠી છે.ખાસ કરીને ડાંગર પકવતા ખેડૂતોએ આર્થિક નુકસાન સહન કરવાનો વખત આવ્યો છે,ખેડૂતોની આ મુશ્કેલીને વાચા આપવા માટે ખેડૂત અગ્રણી જયેશ પટેલ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને એક પત્ર લખવામાં આવ્યો છે.જેમાં તેઓએ ખેડૂતોને ડાંગરના 100 કિલો દીઠ રૂપિયા 500 બોનસ આપીને આર્થિક મદદરૂપ થવા માટે રજૂઆત કરવામાં આવી છે.જાણવા મળ્યા મુજબ હાલમાં દક્ષિણ ગુજરાતની સહકારી મંડળીમાં 15 લાખ ડાંગરની ગુણીની આવક થઇ છે. પરંતુ ડાંગરના ટેકાના ભાવથી ખૂબ જ નીચા ભાવ મળી રહ્યા છે.અને હાલ બજારમાં વેપારી તરફથી 380થી 400 રૂપીયામાં ખરીદી કરવામાં આવી રહી છે.આ ભાવ ટેકાનાં ભાવથી પણ ખૂબ જ ઓછા હોવાનું જાણવા મળ્યું છે,ત્યારે ખેડૂત અગ્રણી દ્વારા ખેડૂતોને આર્થિક સહાય મળી રહે તે માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.