સુરત : જમ્મુ-કાશ્મીર હુમલાના વિરોધમાં કોંગ્રેસે આતંકવાદની “અંતિમયાત્રા” કાઢી, આતંકવાદીના પૂતળાને ફાંસી આપી...

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના પગલે સમગ્ર ભારતમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે આતંકવાદના વિરોધમાં સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા આતંકવાદની અંતિમયાત્રા યોજાય હતી.

New Update
  • જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયો હતો આતંકી હુમલો

  • આતંકી હુમલામાં 3 ગુજરાતીઓ સહિત 26 લોકોના મોત

  • આતંકી હુમલાના પગલે સમગ્ર ભારતમાં રોષ જોવા મળ્યો

  • આતંકવાદના વિરોધમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું

  • અંતિમયાત્રા યોજી આતંકવાદીના પૂતળાને ફાંસી આપી વિરોધ

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના પગલે સમગ્ર ભારતમાં રોષ જોવા મળી રહ્યો છેત્યારે આતંકવાદના વિરોધમાં સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા આતંકવાદની અંતિમયાત્રા યોજાય હતી.

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ગત તા. 22મી એપ્રિલે થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતીઓ સહિત 26 લોકોના મોત નીપજ્યા હતા. આતંકી હુમલાના પગલે સમગ્ર ભારતમાં રોષ જોવા મળી રહ્યો છેત્યારે આતંકવાદના વિરોધમાં સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા આતંકવાદની અંતિમયાત્રા યોજાય હતી. આ સાથે જ જાહેર ચોકમાં આતંકવાદીના પૂતળાને ફાંસી આપવામાં આવી હતી. તો બીજી તરફભાજપની સાથે હવે કોંગ્રેસ પણ પાકિસ્તાન સામે લડાઈ લડવાના સમર્થનમાં આગળ આવી છેજ્યાં આતંકવાદ વિરોધી નારેબાજી સાથે નીકળેલી આતંકવાદની અંતિમયાત્રામાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.

Read the Next Article

સુરત : જયપુરના મેયર સૌમ્યા ગુર્જરે ડાયમંડ સિટીના કર્યા વખાણ,મનપાની કામગીરી અને સ્વચ્છતાને બિરદાવી

રાજસ્થાનના જયપુરના મેયર સૌમ્યા ગુર્જર સુરત ડાયમંડ સિટીના મહેમાન બન્યા છે,આ પ્રસંગે તેઓએ મહાનગરપાલિકાની કામગીરી અને સ્વચ્છતાને બિરદાવી હતી.

New Update
  • સુરતના મહેમાન બન્યા જયપુરના મેયર

  • સૌમ્યા ગુર્જરે ડાયમંડ સિટીની મહેમાનગતિ માણી

  • શહેરની કામગીરી અને સ્વચ્છતાની કરી પ્રશંસા

  • ગુલાબી નગરી જયપુર પણ બનશે સ્વચ્છ શહેર

  • ભારતના દર્શન સુરતમાં થયા હોવાની લાગણી કરી વ્યક્તિ

રાજસ્થાનના જયપુરના મેયર સૌમ્યા ગુર્જર સુરત ડાયમંડ સિટીના મહેમાન બન્યા છે,આ પ્રસંગે તેઓએ મહાનગરપાલિકાની કામગીરી અને સ્વચ્છતાને બિરદાવી હતી.

રાજસ્થાનની ગુલાબી નગરી જયપુરના મેયર સૌમ્યા ગુર્જર સુરત શહેરના મહેમાન બન્યા છે.આ પ્રસંગે તેઓએ ડાયમંડ નગરી સુરત શહેરની પ્રશંસા કરી હતી.સૌમ્યા ગુર્જરે મહાનગરપાલિકાની  કામગીરી અને સ્વચ્છતાને બિરદાવી હતી.તેઓએ સુરતીઓના સ્વભાવને પણ મિલનસાર અને પ્રેમાળ હોવાનું જણાવ્યું હતું.વધુમાં સૌમ્યા ગુર્જરે સિટીઝન ફીડબેક પણ લીધા હતા.અને જણાવ્યું હતું કે સુરતના સ્થાનિક લોકો અને ટેક્સી ડ્રાઇવરોના રીવ્યુ લીધા હતા,જેમાં  તેઓએ એક જ જવાબ આપ્યો કે જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં ઇન્ડસ્ટ્રી આવે છે અને ખુશીઓ પણ જોવા મળે છે.

વધુમાં સૌમ્યા ગુર્જરે જણાવ્યું હતું કે જયપુર ગુલાબી નગરી છે અને સાંસ્કૃતિક વારસા માટે ખૂબ અગત્યનું શહેર છે.સુરતમાં જે પ્રકારે સ્વચ્છતાને લઈને કામ થઈ રહ્યું છે તે જયપુરમાં પણ થાય તે માટે પ્રયાસ કરવા છે.પ્લાસ્ટિક વેસ્ટને જે પ્રકારે રિસાયકલ કરવામાં આવી રહ્યો છે તે ખૂબ સારો પ્લાન્ટ છે.આ અંગેની કામગીરી પણ જયપુરમાં થાય તે માટે પ્રયાસ કરવા જણાવ્યું હતું અને આખા ભારતના દર્શન સુરત શહેરમાં થયા હોવાની લાગણી તેઓએ વ્યક્ત કરી હતી.