સુરત: હીરાનગરીમાં સાચે જ કોઈ રત્નકલાકાર બેરોજગાર નથી?, નિવેદનથી હોબાળો

સુરતમાં હીરા ઉદ્યોગકારે રત્નકલાકારો બેરોજગાર નથી આ પ્રકારનું નિવેદન આપતા સુરત હીરા માર્કેટમાં ચર્ચાનો વિષય બન્યો છે આજ મુદ્દાને લઈને ડાયમંડ વર્કર યુનિયન મેદાન માં આવ્યું છે

New Update

સુરતમાં હીરા ઉદ્યોગકારે રત્નકલાકારો બેરોજગાર નથી આ પ્રકારનું નિવેદન આપતા સુરત હીરા માર્કેટમાં ચર્ચાનો વિષય બન્યો છે આજ મુદ્દાને લઈને ડાયમંડ વર્કર યુનિયન મેદાન માં આવ્યું છે અને કોઈ રત્નકલાકાર બેરોજગાર નથી તેવા નિવેદનને વખોડી કાઢ્યું હતું

હીરા નગરી સુરતમાં છેલ્લા ઘણા સમયથી મંદીના વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા હતા.છેલ્લા થોડા સમયથી હીરા ઉદ્યોગ રાબેતા મુજબ શરૂ થયો છે પરંતુ હજુ ઘણા એવા નાના યુનિટો છે જે હજુ સુધી યોગ્ય રીતે શરૂ થઈ શક્યા નથી જેના લીધે અનેક રત્નકલાકારો બેરોજગાર થયા છે.. સુરતમાં હાલ ડાયમંડ બુર્સ શરૂ કરવા માટે થઈને  અનેક પ્રયાસો ચાલી રહ્યા છે. તેવામાં ડાયમંડ વાઇસ પ્રેસિડેન્ટ દ્વારા રત્નકલાકારને લઈને એક નિવેદન આપવામાં આવ્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે રત્નકલાકારો બેરોજગાર થયા જ નથી આ પ્રકારનું નિવેદન આપવાની સાથે જ ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખે હીરા ઉદ્યોગકાર અને ડાયમંડ બુર્સના પ્રેસિડેન્ટ લાલજી પટેલ સામે રોષ ઠાલવ્યો હતો અને જણાવ્યું હતું કે વર્ષ દરમિયાન અનેક રત્નકલાકારો બેરોજગાર થયા છે જેને લીધે અનેક રત્ન કલાકારોને આર્થિક સંકળામણનો પણ સામનો કરવો પડ્યો છે 
Read the Next Article

સુરત : સામૂહિક આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો,પત્નીના અફેરથી કંટાળી બે પુત્ર સાથે શિક્ષક પિતાએ ઝેર ગટગટાવ્યું

સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં શિક્ષક દ્વારા બે પુત્રો સાથે આપઘાત કરવાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.

New Update
  • સુરતમાં સામૂહિક આપઘાતનો મામલો

  • શિક્ષક પિતાએ બે પુત્રો સાથે કર્યો હતો આપઘાત

  • ચકચારી ઘટનામાં થયો ચોંકાવનારો ખુલાસો

  • પત્નીનું સહકર્મીઓ સાથે અફેરનો સ્યુસાઇટ નોટમાં ઉલ્લેખ

  • પોલીસે પત્ની સહિત પરિવારજનોની પૂછપરછ કરી શરૂ  

સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં શિક્ષક દ્વારા બે પુત્રો સાથે આપઘાત કરવાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કેમૃતક શિક્ષકે પત્નીના આડા સંબંધથી કંટાળીને આ અંતિમ પગલું ભર્યું હતું.

સુરતના ડિંડોલની મેરીમાતા સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અલ્પેશ કાંતિભાઈ સોલંકી મૂળ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચિઠોડા ગામના વતની છે અને હાલ સુરતમાં પરિવાર સાથે રહે છે. મૃતક શિક્ષક અલ્પેશ સોલંકીએ પોતાના 2 વર્ષીય પુત્ર કર્નિશ અલ્પેશભાઈ સોલંકી અને ક્રીશીવ અલ્પેશભાઈ સોલંકી પુત્ર સાથે આપઘાત કરી લીધો હતો. ગુરુવારે મોડી સાંજે તેમના ક્વાર્ટરમાંથી કોઈ પ્રતિસાદ ન મળતાં પાડોશીઓને શંકા ગઈ હતી. જ્યારે દરવાજો તોડીને અંદર જોયું તો ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. બંને બાળકોના મૃતદેહ બેડ પર મૃત અવસ્થામાં મળી આવ્યા હતાજ્યારે અલ્પેશની ડેડબોડી લટકતી હાલતમાં મળી આવી હતી

આ ઘટનામાં પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો.પોલીસ તપાસ દરમિયાન મૃતક પાસેથી મળી આવેલી સ્યુસાઇડ નોટ અને તેના મોબાઈલ ફોનની ચેટ્સના આધારે પોલીસે આ સમગ્ર મામલાની ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. જાણવા મળ્યું છે કે મૃતકના 10 વર્ષ પહેલા પ્રેમલગ્ન થયા હતા. જોકે,છેલ્લા કેટલાક સમયથી તેમના લગ્નજીવનમાં તણાવ ચાલી રહ્યો હતો.અને મૃતકની પત્નીનું તેના સહકર્મી સાથે જ અફેર હતું,જે અંગેની જાણ થયા બાદ બંને વચ્ચે અણબનાવ રહેતો હતો,અને ઘર કંકાસ અને ચિંતાગ્રસ્ત માહોલ વચ્ચે શિક્ષક અલ્પેશ સોલંકીએ બે પુત્રો સાથે આપઘાત કરી લીધો હતો.

પોલીસના જણાવ્યા અનુસારમૃતકે પોતાના બંને પુત્રોને સોડામાં ઉંદર મારવાની ઝેરી દવા ભેળવીને પીવડાવી હતીઅને ત્યારબાદ પોતે પણ તેનું સેવન કરી આપઘાત કરી લીધો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસ હાલ મૃતકની પત્ની અને અન્ય સંબંધિત વ્યક્તિઓની પુછપરછ કરી રહી છે.