સુરત : દિવાળી વેકેશન પહેલા જ એસટી. વિભાગને રૂ. 1 કરોડથી વધુની આવક, સૌથી વધુ સૌરાષ્ટ્રના બુકિંગ...

કોરોના કાળ બાદ એસટી. વિભાગમાં એડ્વાન્સ અને ગ્રુપ બુકિંગમાં 25%નો વધારો થયો છે, ત્યારે દિવાળી વેકેશન પહેલા જ સૌરાષ્ટ્રના એડવાન્સ બુકિંગમાં એસટી. વિભાગને રૂપિયા 1 કરોડથી વધુની આવક થઈ છે.

New Update
સુરત : દિવાળી વેકેશન પહેલા જ એસટી. વિભાગને રૂ. 1 કરોડથી વધુની આવક, સૌથી વધુ સૌરાષ્ટ્રના બુકિંગ...

કોરોના કાળ બાદ એસટી. વિભાગમાં એડ્વાન્સ અને ગ્રુપ બુકિંગમાં 25%નો વધારો થયો છે, ત્યારે દિવાળી વેકેશન પહેલા જ સૌરાષ્ટ્રના એડવાન્સ બુકિંગમાં એસટી. વિભાગને રૂપિયા 1 કરોડથી વધુની આવક થઈ છે.

સુરત એસટી વિભાગે દિવાળીની શરૂઆતમાં જ સારી કમાણી કરી લીધી છે. દિવાળી વેકેશન દરમ્યાન એડ્વાન્સ બુકિંગ અને ગ્રુપ બુકિંગમાં વધારો થતાં સુરત એસટી વિભાગે અત્યાર સુધીમાં 1 કરોડથી વધુની આવક મેળવી છે. જેમાં કુલ 895 બસોનું બુકિંગ હાલ થયું છે, તેમાંથી સૌથી વધુ ભાવનગર 433 બસ અને અમરેલી 298 બસનું એડવાન્સ થયું છે. આ ઉપરાંત ગ્રુપ બુકિંગ થઈ પણ ચૂક્યું છે. આ સાથે જ બોટાદ 66 બસ, ગિર સોમનાથ 29 બસ,મહેસાણા 17 બસ અને પાટણ 13 બસ સહિત અન્ય મળી કુલ 895 બસનું ગ્રુપ બુકીંગ અને એડવાન્સ બુકીંગ થયું છે. કોરોના કાળ બાદ લોકોમાં એસટી તરફનો જુકાવ વધ્યો હોવાથી આવક અને પ્રવાસીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. એસટી નિગમ દ્વારા દિવાળી પહેલા જ 19થી 24મી દરમિયાન એક્સ્ટ્રા બસો ઉપાડવાનું આયોજન કર્યું છે, જ્યારે દિવાળી પહેલા જ મોટી સંખ્યામાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતીઓ વતન જવા એસટી. બસ સેવાનો વધુ લાભ લેતા થયા છે.

ગત વર્ષે 1421 વધારાની બસો દોડાવમાં આવી હતી. જેમાં એસટી. નિગમને રૂપિયા 2 કરોડની આસપાસ આવક થઈ હતી, જ્યારે આ વર્ષે દિવાળીના 10 દિવસ પહેલા જ 895 જેટલી બસમાં 1 લાખ જેટલી સીટો બુક થતાં રૂ. 1.40 કરોડ જેટલી આવક થવા પામી છે.

Read the Next Article

સુરત: ફરી એક મોડલનું ગ્લેમર વર્લ્ડને અલવિદા, ફાંસો ખાઇ આયખું ટૂંકાવ્યું

23 વર્ષીય અંજલિ વરમોરાએ પંખા સાથે દુપટ્ટો બાંધીને જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બાદ પોલીસે તપાસ શરુ કરી છે. અગાઉ પણ સુરતમાં એક મોડેલે આપઘાત કર્યો હતો

New Update
model suicide

સુરતમાં વધુ એક મોડેલે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યુ છે. આ ઘટનામાં માનસિક તણાવ હોવાનું પ્રકાશમાં આવ્યુ છે. 23 વર્ષીય અંજલિ વરમોરાએ પંખા સાથે દુપટ્ટો બાંધીને જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બાદ પોલીસે તપાસ શરુ કરી છે. અગાઉ પણ સુરતમાં એક મોડેલે આપઘાત કર્યો હતો. જે સમગ્ર મામલે પોલીસે તપાસ માટે પોતાના ચક્રો ગતિમાન કર્યા હતા. આપઘાતના વધી રહેલા કેસ પોલીસ માટે પડકાર બની રહ્યા છે. 

model suicide  Case

23 વર્ષીય યુવતીએ પોતાના મોત માટે માનસિક તણાવનું કારણ જવાબદાર ઠેરવ્યુ છે. ત્યારે તેના મોત માટે માનસિક તણાવ જ કારણભૂત છે. કે પછી અન્ય કોઇ દિશામાં સંકેત કરવામાં આવી રહ્યો છે. આ યુવતીએ પંખે દુપટ્ટે લટકાવી ફાંસો ખાધો છે. ત્યારે હાલ પોલીસે પ્રાથમિક તપાસ શરુ કરી છે.