-
જનતાનગરના રહીશોએ લખ્યો લોહીથી પત્ર
-
કોમર્શિયલ કામના વિરોધમાં કાલકેટરને કરી રજૂઆત
-
કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર
-
રહેણાંક વિસ્તારમાં મશીન મૂકીને કરવામાં આવે છે કામ
-
રહીશોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ઉચ્ચારી ચીમકી
સુરતના વરાછા વિસ્તારમાં આવેલ જનતાનગર સોસાયટીના રહીશો દ્વારા લોહીથી રજૂઆત લખી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. સોસાયટીમાં કોમર્શિયલ કામ થવાથી ત્યાં રહેતા લોકોએ આ મામલે અનેક વખત રજૂઆત કરી હતી.
પરંતુ કોઈ નિરાકરણ ન આવતા સોસાયટીના રહીશો દ્વારા પોતાના લોહીથી કલેક્ટરને પત્ર લખી આવેદન આપ્યું છે. અને આ મામલે કાયદેસરના પગલા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
સુરતના વરાછા વિસ્તારમાં આવેલ જનતાનગર સોસાયટીમાં કોમર્શિયલ કામ છેલ્લા ઘણા સમયથી શરૂ કરવામાં આવ્યા છે. રહેણાંક વિસ્તારમાં મશીન મૂકી કામ કરવામાં આવી રહ્યું છે. જેને પગલે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો.
સ્થાનિકોએ આ મામલે અનેક વખત રજૂઆત કરી હતી,પરંતુ કોઈ પણ રજૂઆત ધ્યાને લેવામાં આવી નથી. જેથી સોસાયટીના રહીશોએ કંટાળી પોતાના લોહીથી પત્ર લખ્યો છે અને સુરતના કલેક્ટરને આવેદનપત્ર આપી આ પત્ર તેમને મોકલ્યો છે અને જણાવ્યું છે કે જો 15 દિવસમાં રજૂઆતને ધ્યાને લઈ કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.