સુરત : મહિધરપુરામાં પ્રેમીએ કરી પ્રેમિકાની ઘાતકી હત્યા, પોલીસે તપાસ શરૂ કરી...

સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં પ્રેમીએ પ્રેમિકાની ઘાતકી હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે.

New Update
સુરત : મહિધરપુરામાં પ્રેમીએ કરી પ્રેમિકાની ઘાતકી હત્યા, પોલીસે તપાસ શરૂ કરી...

સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં પ્રેમીએ પ્રેમિકાની ઘાતકી હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પ્રેમીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisment

સુરત શહેરમાં દિન પ્રતિદિન હત્યા, ચોરી સહિત લૂંટના ગુનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી એક પછી એક હત્યાના બનાવો બની રહ્યા છે, જ્યારે વધુ એક હત્યાનો બનાવ મહિધરપુરા વિસ્તારમાં બન્યો છે. મહિધરપુરા વિસ્તારમાં અમિષા હોટલ પાસે આવેલ મંથન કોમ્પ્લેક્સના બીજા માળે રીનોવેટ થઈ રહેલી ઓફિસમાંથી હત્યા કરાયેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ તથા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી મૃતક યુવતીનો પ્રેમી છે. મૃતક યુવતી સચિન અને કાપોદ્રાના લક્ષ્મણનગર વિસ્તારમાં રહેતી હતી. યુવતી દેહવ્યાપારના ધંધામાં સંલિપ્ત હોવાનું બહાર આવ્યું છે. જોકે, યુવતીનો કાલિયા નામના ઈસમ સાથે પ્રેમ સંબંધ હતો, અને તેની સાથે વધુ સમય વિતાવતી હતી. હાલ સમગ્ર મામલે મહિધરપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી પ્રેમી કાલિયાને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

Advertisment
Read the Next Article

સુરત : કુખ્યાત ગુનેગાર સમીર માંડવા પર અંગત અદાવતમાં જાહેરમાં ફાયરિંગ,ચાર શખ્સો હુમલો કરીને ફરાર

સુરતના લાલગેટ વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર સમીર માંડવા પર ચાર શખ્સોએ જાહેર રસ્તા પર ફાયરિંગ કર્યું હતું.જેના કારણે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો

New Update
  • લાલગેટ પોલીસ મથકની હદમાં ફાયરિંગની ઘટના

  • કુખ્યાત સમીર માંડવા પર થયું ફાયરિંગ

  • ફાયરિંગમાં સમીર માંડવાનો આબાદ બચવા

  • ચાર જેટલા ઈસમો ફાયરિંગ કરીને ફરાર

  • અંગત અદાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યું 

Advertisment

સુરતના લાલગેટ વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર સમીર માંડવા પર ચાર શખ્સો જાહેર રસ્તા પર ફાયરિંગ કર્યું હતું.જેના કારણે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. હાલ પોલીસ દ્વારા સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

સુરતના લાલગેટ વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર સમીર માંડવા પર ચાર શખ્સે જાહેર રસ્તા પર ફાયરિંગ કર્યું હતું.હુમલાના સમયે સમીર માંડવા રસ્તા પર ઉભો હતો. જોકે તેને કોઈ ઇજા થવા પામી નથી. ત્યારે તાજેતરમાં થયેલી જૂની અદાવતના કારણે તેને નિશાન બનાવવામાં આવ્યો હોવાનું પોલીસના પ્રાથમિક અનુમાનમાં સામે આવ્યું છે. સમીર માંડવા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પોલીસ એના પર અગાઉ પણ કડક પગલાં ભરી ચૂકી છેજેમાં તેની ગેરકાયદે મિલકત પર બૂલડોઝર ચલાવાયું હતું. પોલીસ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી હતી અને ફાયરિંગ બાદ મળી આવેલી બુલેટ કબજે કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપી છે.

સમીર માંડવા સામે લૂંટધમકીમારામારી જેવા ગંભીર ગુનાઓના અનેક કેસો લાલગેટ અને આસપાસના વિસ્તારોમાં નોંધાઈ ચૂક્યા છે. પોલીસની ફાઇલોમાં તેનો ગુનાહિત ઇતિહાસ ભારે છે અને તેણે ઘણા વખતથી અપરાધિક પ્રવૃત્તિઓ દ્વારા કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. પોલીસે અગાઉ સમીર માંડવાની લાલગેટ વિસ્તારમાં આવેલી ગેરકાયદે મિલકત પર બૂલડોઝર ચલાવ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબહાલની ફાયરિંગની ઘટનાનું કારણ સમીર માંડવાની જૂની અદાવત હોઈ શકે છે. હાલ આરોપીઓ હજુ સુધી પકડાયા નથીપરંતુ પોલીસે દાવો કર્યો છે કે શંકાસ્પદ ઈસમોને ઓળખી લેવાયા છે અને ટૂંક સમયમાં ઝડપાય જશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

Advertisment