સુરત: ભારતીય બંધારણનાં ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ નગાસેન નગર બુદ્ધ વિહાર નિશુલ્ક શૈક્ષણિક ક્લાસમાં ડો.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે માન વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

New Update
  • પાંડેસરામાં મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી

  • ડો.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે યોજાયો કાર્યક્રમ

  • ડો.બાબાસાહેબને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

  • ડો.બાબાસાહેબના સંસ્મરણોને યાદ કરીને રેલી પણ યોજાઈ

  • આ પ્રસંગે લોકોએ વ્યસન મુક્તિના લીધા સંકલ્પ 

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ નગાસેન નગર બુદ્ધ વિહાર નિશુલ્ક શૈક્ષણિક ક્લાસમાં ડો.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે માન વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.આ પ્રસંગે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી રમાબાઈ ચોક સુધી રેલી યોજી હતી. વિદ્યાર્થીઓયુવાનો મહિલાઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકોએ વ્યસન મુક્ત રહેવાનો સંકલ્પ કર્યો હતો.

ભારતીય બંધારણનાં ઘડવૈયા ડો.ભીમરાવ રામજી આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે 6 ડિસેમ્બરને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.આંબેડકર સ્વતંત્ર ભારતની પ્રથમ કેબિનેટમાં જાણીતા ન્યાયશાસ્ત્રી,સમાજ સુધારક અને કાયદા અને કાયદા પ્રધાન હતા. શોષિત,વંચિતદલિત પીડિત લોકો માટે જ નહિ દેશના તમામ લોકોને સમતાસ્વતંત્રતા,બંધુત્વતાનો અધિકાર આપ્યો છે.આજે દેશભરમાં તેમના મહાપરી નિર્માણ દિવસે તેમને યાદ કરવામાં આવી રહ્યા છે.

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ નાગસેન નગર બુદ્ધ વિહાર નિશુલ્ક શૈક્ષણિક ક્લાસમાં બાબાસાહેબ આંબેડકરજીના માન વંદના આપવામાં આવી હતી.વિદ્યાર્થીઓ યુવાનો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ કાર્યક્રમમાં જોડાયા હતા.બાબાસાહેબ આંબેડકરજીના વિચારો ને યાદ કરી તમામ લોકોએ વ્યસન મુક્ત રહેવાનો સંકલ્પ કર્યો હતો.

Read the Next Article

સુરત : રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાના યોગ દિવસની ઉજવણી કરાય...

21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

New Update
  • સરસાણા ડોમ ખાતે 11મા વિશ્વ યોગ દિવસની ઉજવણી

  • રાજ્યના વન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિ

  • જિલ્લાકક્ષાની ઉજવણીમાં મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા

  • સાંસદધારાસભ્યો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા

  • આજરોજ અંદાજે 4.50 લાખથી નાગરિકો યોગમય બન્યા 

સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત 11મા વિશ્વ યોગ દિવસની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આજે તા. 21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સુરત જિલ્લાકક્ષાની ઉજવણીમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાતની થીમ પર કેન્દ્રિત રહી હતીજેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો હતો.

આ ઉજવણીમાં શહેરની સામાજિક સંસ્થાઓશાળા-કોલેજના વિદ્યાર્થીઓઅને પાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. સુરત જિલ્લામાં યોગ દિવસની ઉજવણીમાં 3200થી વધુ સ્થળોએ અંદાજે 4.50 લાખથી વધુ નાગરિકો યોગમય બન્યા હતા. આ વિશાળ જનભાગીદારી યોગ પ્રત્યે લોકોમાં વધતી જાગૃતિ અને તેને દૈનિક જીવનનો ભાગ બનાવવાની ઈચ્છા દર્શાવે છે.

સામૂહિક યોગાભ્યાસ દ્વારા સમાજમાં સ્વાસ્થ્ય અને સુખાકારીનો સંદેશ ફેલાવવામાં આવ્યોજે એક પૃથ્વી એક શ્વાસના વૈશ્વિક સંદેશને મૂર્તિમંત કરે છે. સામૂહિક યોગાભ્યાસ કાર્યક્રમ સુરતના નાગરિકોની એકતા અને સ્વાસ્થ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બન્યો હતો. આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલધારાસભ્યોકલેકટરપાલિકા કમિશ્નરપોલીસ કમિશનર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.