સુરત : અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાત્વના પાઠવી...

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોતને ભેટેલા સુરતના મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનોએ સાત્વના પાઠવી હતી.

New Update
  • અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 250થી વધુ લોકોના મોત

  • રાંદેર વિસ્તારમાં રહેતા ડોક્ટર દંપતીનું પણ ઘટનામાં મોત

  • મૃતકના પરિવારને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પાઠવી સાત્વના

  • ડો. હિતેશ શાહે ઘણા વર્ષો સુધી લોકસેવા કરી : હર્ષ સંઘવી

  • મૃતકના પરિવારને શક્તિ આપે તેવી ભગવાનને પ્રાર્થના કરી

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોતને ભેટેલા સુરતના મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનોએ સાત્વના પાઠવી હતી.

ગત તા. 12મી જૂન-2025ના રોજ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સુરત શહેર અને જિલ્લામાં રહેતા 14 જેટલા લોકોમાંથી અત્યાર સુધીમાં 9 લોકોના DNA મેચ થઇ ગયા બાદ રાંદેર ખાતે રહેતા મૃતક ડોક્ટર દંપતી ડો. હિતેશ શાહ અને પત્ની અમિતા શાહના મૃતદેહ સુરત લવાયા હતા. ત્યારબાદ પરિવારજનો દ્વારા ડોક્ટર દંપતીના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતાત્યારે આજરોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીવન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અને સુરત શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલ રાંદેર ખાતે મૃતક ડોક્ટર દંપતીના નિવાસ્થાને તેમના પરિવારને મળવા પહોંચ્યા હતાજ્યાં શાહ પરિવારના સભ્યોને સાત્વના પાઠવવામાં આવી હતી.

હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કેસુરતમાં ગરીબોના મસીહા તરીકે ઓળખાતા ડોક્ટર હિતેશ શાહએ ઘણા વર્ષોથી આ ક્ષેત્રમાં લોકોની સેવા કરી છે. તેઓ ખૂબ સારા સર્જન હતાઅને તે પોતાના ધર્મપત્ની સાથે અમદાવાદથી યુકે તેમની બહેનને મળવા જતા હતાઅને પ્લેન ક્રેશની દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું છે. આ દુખદ ઘટનામાં ભગવાન મૃતક ડોક્ટર દંપતીના પરિવારને શક્તિ આપે તેવી પણ હર્ષ સંઘવીએ પ્રાર્થના કરી હતી.

Read the Next Article

સુરત : પુણામાં કાપડના વેપારી પર ચપ્પુથી હુમલો કરનાર શખ્સની ધરપકડ, પોલીસ ઘટનાનું કર્યું રિકંસ્ટ્રક્શન

ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો વધુ ગંભીર બન્યો હતો. ઉશ્કેરાયને હિતેશે કમરના ભાગે છુપાવેલું ચપ્પુ કાઢી ઉદય પટગીર પર ઉપરાછાપરી ઘા મારી દીધા હતા..

New Update
  • પુણામાં કાપડના વેપારી પર હુમલાનો મામલો 

  • યુવકે ચપ્પુથી કર્યો હતો જીવલેણ હુમલો 

  • વેપારી યુવકની પત્નીને કરતો હતો મેસેજ 

  • પોલીસે હુમલાખોર યુવકની કરી ધરપકડ 

  • આરોપીનું સરઘસ કાઢીને રિકંસ્ટ્રક્શન કરાયું 

સુરતના પુણા વિસ્તારમાં આવેલી મુક્તિધામ સોસાયટીમાં બે દિવસ પહેલા એક યુવકે કાપડના વેપારીને ચપ્પુના ઘા માર્યા હતા. આ સમગ્ર ઘટના સીસીવટીવીમાં કેદ થઈ જવા પામી હતી.આ મામલે પુણા પોલીસમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપી યુવકની ધરપકડ કરી હતી. આ સાથે યુવકને સાથે રાખી ઘટનાસ્થળે રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું.

સુરતના પુણામાં વિક્રમનગર સોસાયટીમાં રહેતા ઉદય મનુભાઈ પટગીર બોમ્બે માર્કેટ-પુણા રોડ ખાતે આવેલા અનુપમ પ્લાઝામાં રૂદ્ર ક્રિએશનના નામે લેલપટ્ટી-કુર્તી બનાવવાનું કારખાનું ચલાવે છે. ગત 18 જુલાઈના રોજ ઉદય પટગીર દુકાનેથી ઓળખીતા લાભુબેનના ઘરે મુક્તિધામ સોસાયટી-પુણા લેસપટ્ટીનો માલ લેવા ગયો હતો. જ્યાંથી માલ લઇ મોપેડ પર જવા નીકળતા હિતેશ નકુમે ધસી જઈ ગાળાગાળી શરૂ કરી દીધી હતી.

રસ્તા પર જ ઉદય અને હિતેશ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો વધુ ગંભીર બન્યો હતો. ઉશ્કેરાયને હિતેશે કમરના ભાગે છુપાવેલું ચપ્પુ કાઢી ઉદય પટગીર પર ઉપરાછાપરી ઘા મારી દીધા હતા. રસ્તા પર ભારે હંગામો મચી જતા લોકો એકત્ર થઈ ગયા હતા. જેમાં મહિલાઓએ હિતેશને પકડી લેતા ઉદયનો બચાવ થયો હતોપણ ગંભીર ઇજા પહોંચી હતી.લોહીલુહાણ ઉદયને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.

પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આરોપીને મોબાઈલ જપ્ત કરી તેમાં કરેલા મેસેજની વિગતો મેળવવાની કવાયત શરૂ કરી છે. જ્યારે આરોપી હિતેશને સાથે રાખીને મુક્તિધામ સોસાયટીમાં ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા રિકન્ટ્રક્શનની કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં સોસાયટીના લોકો એકઠા થઈ ગયા હતા.કાપડ વેપારી હિતેશની પત્નીને મોબાઇલમા મેસેજ કરતો હોવાની રીસ રાખીને હિતેશે હુમલો કર્યો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું.