સુરત : લાકડાનો દરવાજા નીચે દબાઈ જતાં દોઢ વર્ષીય બાળકનું મોત, પરિવાર શોકમાં ગરકાવ...

સુરત શહેરના ઉન વિસ્તારમાંથી કરુણ ઘટના સામે આવી છે. જેમાં એક શ્રમિક પરિવારના 2 બાળકો રમી રહ્યા હતા.

New Update
સુરત : લાકડાનો દરવાજા નીચે દબાઈ જતાં દોઢ વર્ષીય બાળકનું મોત, પરિવાર શોકમાં ગરકાવ...

સુરત શહેરના ઉન વિસ્તારમાંથી કરુણ ઘટના સામે આવી છે. જેમાં એક શ્રમિક પરિવારના 2 બાળકો રમી રહ્યા હતા. આ દરમ્યાન 5 વર્ષીય બહેને લાકડાનો દરવાજો ખેચતા દરવાજો દોઢ વર્ષના ભાઈ પર પડ્યો હતો. જેમાં દોઢ વર્ષીય બાળકને ગંભીર ઈજાઓ થતા તેનું મોત નીપજ્યું હતું.

Advertisment

મૂળ મધ્યપ્રદેશના જાંબવાના વતની અને હાલ સુરતના ભેસ્તાન રેલવે સ્ટેશન પાસે રહેતા બલસિંઘ કતારા ઉન પાટિયા ખાતે રાહત કોલોનીમાં ચાલતા બાંધકામ સ્થળે પત્ની સાથે કામ કરે છે. બલસિંઘ ગત રવિવારે સવારે તેની પત્ની અને 5 વર્ષીય પુત્રી પુનમ તથા દોઢ વર્ષીય પુત્ર કાર્તિકને સાથે લઈ ઉનપાટિયા ખાતે રાહત કોલોનીમાં ચાલતી બાંધકામ સાઈટ પર ગયો હતો, જ્યાં બપોરના સમયે બાંધકામ સાઈટ પર બલસીંગ અને તેની પત્ની જમવા બેઠા હતા. તે સમયે પુનમ અને કાર્તિક રમી રહ્યા હતા. આ દરમિયાન રમતા-રમતા પુનમે બાંધકામ સાઈટ પર મુકેલો લાકડાનો દરવાજો ખેંચ્યો હતો. જે તેણીની સાથે રમી રહેલા તેના ભાઈ કાર્તિક પર પડતા તેને માથા અને પીઠના ભાગે ગંભીર ઇજા થઈ હતી. તો બીજી તરફ, કાર્તિકને ગંભીર હાલતમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. બાળકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. આ મામલે સચિન જીઆઈડીસી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisment