સુરત : કમોસમી વરસાદમાં ડાંગરના પાકને થયું નુકશાન,ખેડૂત આગેવાને સીએમને પત્ર લખી ખેડૂતોને આર્થિક સહાય આપવા કરી માંગ

સુરતમાં વરસેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની માઠી દશા બેઠી છે.ખાસ કરીને ડાંગર પકવતા ખેડૂતોએ આર્થિક નુકસાન સહન કરવાનો વખત આવ્યો છે

New Update
  • કમોસમી વરસાદથી ડાંગરના પાકને નુકસાન

  • ખેડૂત આગેવાને સીએમને લખ્યો પત્ર

  • ડાંગરને બોનસ આપી મદદરૂપ થવા અંગે લખ્યો પત્ર

  • 100 કિલો દીઠ રૂપિયા 500 બોનસ આપવા કરી માંગ

  • ટેકાના ભાવ કરતા પણ મળી રહ્યો છે ઓછો ભાવ

સુરતમાં કમોસમી વરસાદ વરસ્યા બાદ ખેતીના પાકમાં નુકશાન પહોંચ્યું છે.ખેડૂત આગેવાન જયેશ પટેલ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ડાંગરના પાકમાં થયેલા નુકસાન સંદર્ભે પત્ર લખીને ડાંગરમાં 100 કિલો દીઠ રૂપિયા 500 બોનસની માંગ કરી છે.

સુરતમાં વરસેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની માઠી દશા બેઠી છે.ખાસ કરીને ડાંગર પકવતા ખેડૂતોએ આર્થિક નુકસાન સહન કરવાનો વખત આવ્યો છે,ખેડૂતોની આ મુશ્કેલીને વાચા આપવા માટે ખેડૂત અગ્રણી જયેશ પટેલ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને એક પત્ર લખવામાં આવ્યો છે.જેમાં તેઓએ ખેડૂતોને ડાંગરના 100 કિલો દીઠ રૂપિયા 500 બોનસ આપીને આર્થિક મદદરૂપ થવા માટે રજૂઆત કરવામાં આવી છે.જાણવા મળ્યા મુજબ હાલમાં દક્ષિણ ગુજરાતની સહકારી મંડળીમાં 15 લાખ ડાંગરની ગુણીની આવક થઇ છે. પરંતુ ડાંગરના ટેકાના ભાવથી ખૂબ જ નીચા ભાવ મળી રહ્યા છે.અને હાલ બજારમાં વેપારી તરફથી 380થી 400 રૂપીયામાં ખરીદી કરવામાં આવી રહી છે.આ ભાવ ટેકાનાં ભાવથી પણ ખૂબ જ ઓછા હોવાનું જાણવા મળ્યું છે,ત્યારે ખેડૂત અગ્રણી દ્વારા ખેડૂતોને આર્થિક સહાય મળી રહે તે માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

 

Read the Next Article

“તેરા તુજકો અર્પણ” : રૂ. 5.45 લાખના મોબાઈલ શોધી કાઢી મૂળ માલીકોને પરત કરતી સુરતની કાપોદ્રા પોલીસ...

સુરતની કાપોદ્રા પોલીસે ચોરી અથવા ગુમ થયેલ રૂ. 5.45 લાખના મોબાઈલ ફોન શોધી કાઢી સુપ્રત કરવામાં આવતા મૂળ માલીકોએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

New Update
  • પોલીસ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ” અભિયાન

  • ચોરી અને ગુમ થયેલ મોબાઈલ શોધી લેવામાં આવ્યા

  • કાપોદ્રા પોલીસ દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરાય

  • રૂ. 5.45 લાખના મોબાઈલ શોધી મૂળ માલીકોને સુપ્રત

  • લોકોએ પોલીસ વિભાગનો વિશેષ આભાર વ્યક્ત કર્યો

સુરતની કાપોદ્રા પોલીસે ચોરી અથવા ગુમ થયેલ રૂ. 5.45 લાખના મોબાઈલ ફોન શોધી કાઢી સુપ્રત કરવામાં આવતા મૂળ માલીકોએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાત રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં અરજદારોને તેઓનો મુદ્દામાલ પરત મળે તે હેતુથી પોલીસ વિભાગ દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ” અંતર્ગત વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છેત્યારે સુરત શહેરના કાપોદ્રા પોલીસ મથકના PI એમ.આર.સોલંકીના માર્ગદર્શન હેઠળ "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ચોરી અથવા ગુમ થયેલ રૂ. 5.45 લાખના મોબાઈલ ફોન CEIR પોર્ટલ થકી શોધી કાઢી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કેમૂળ માલિકોએ ગુમ અથવા ચોરી થયેલ મોબાઇલ ફોન પરત મળતા આભાર માની કાપોદ્રા પોલીસની કામગીરીને બિરદાવી હતી.