-
કમોસમી વરસાદથી ડાંગરના પાકને નુકસાન
-
ખેડૂત આગેવાને સીએમને લખ્યો પત્ર
-
ડાંગરને બોનસ આપી મદદરૂપ થવા અંગે લખ્યો પત્ર
-
100 કિલો દીઠ રૂપિયા 500 બોનસ આપવા કરી માંગ
-
ટેકાના ભાવ કરતા પણ મળી રહ્યો છે ઓછો ભાવ
સુરતમાં કમોસમી વરસાદ વરસ્યા બાદ ખેતીના પાકમાં નુકશાન પહોંચ્યું છે.ખેડૂત આગેવાન જયેશ પટેલ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ડાંગરના પાકમાં થયેલા નુકસાન સંદર્ભે પત્ર લખીને ડાંગરમાં 100 કિલો દીઠ રૂપિયા 500 બોનસની માંગ કરી છે.
સુરતમાં વરસેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની માઠી દશા બેઠી છે.ખાસ કરીને ડાંગર પકવતા ખેડૂતોએ આર્થિક નુકસાન સહન કરવાનો વખત આવ્યો છે,ખેડૂતોની આ મુશ્કેલીને વાચા આપવા માટે ખેડૂત અગ્રણી જયેશ પટેલ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને એક પત્ર લખવામાં આવ્યો છે.જેમાં તેઓએ ખેડૂતોને ડાંગરના 100 કિલો દીઠ રૂપિયા 500 બોનસ આપીને આર્થિક મદદરૂપ થવા માટે રજૂઆત કરવામાં આવી છે.જાણવા મળ્યા મુજબ હાલમાં દક્ષિણ ગુજરાતની સહકારી મંડળીમાં 15 લાખ ડાંગરની ગુણીની આવક થઇ છે. પરંતુ ડાંગરના ટેકાના ભાવથી ખૂબ જ નીચા ભાવ મળી રહ્યા છે.અને હાલ બજારમાં વેપારી તરફથી 380થી 400 રૂપીયામાં ખરીદી કરવામાં આવી રહી છે.આ ભાવ ટેકાનાં ભાવથી પણ ખૂબ જ ઓછા હોવાનું જાણવા મળ્યું છે,ત્યારે ખેડૂત અગ્રણી દ્વારા ખેડૂતોને આર્થિક સહાય મળી રહે તે માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.