સુરત : પાટીદારની શિક્ષિત દીકરીએ લગ્નમાં ખોટો ખર્ચ અટકાવ્યો, સંસ્થાઓની સાથે ગરીબ વિદ્યાર્થીઓને કરે છે મદદ

ઉર્વશી ધોરાજીયા માસ્ટર ઓફ ઈકોનોનમિક્સ, એમએસડબ્લ્યુ કર્યા બાદ પીએચડીનો અભ્યાસ કરી રહ્યા છે. સાથે જ પોલીસ, સામાજિક સંસ્થાઓ સાથે મળીને કાઉન્સેલિંગનું કામ પણ કરે છે

New Update
  • લોકો દેખાદેખીમાં લગ્નપ્રસંગમાં કરે છે મોટા ખર્ચાઓ

  • પાટીદાર સમાજની શિક્ષિત દીકરીનો ઉચ્ચ વિચાર

  • પોતાના લગ્નમાં ખોટો ખર્ચ અટકાવી રકમ બચાવી

  • સંસ્થાઓની સાથે ગરીબ વિદ્યાર્થીઓની કરે છે મદદ

  • સગા સંબંધીઓ સહિત લોકોએ લગ્નની નોંધ લીધી

આજકાલ લોકો દેખાદેખીમાં લગ્નમાં ભારે ખર્ચા કરતાં હોય છેત્યારે સુરતમાં રહેતી પાટીદાર સમાજની શિક્ષિત દીકરીએ સાદુ જીવનઉચ્ચ વિચારને સાર્થક કરી પોતાના લગ્નમાં ખોટો ખર્ચ અટકાવ્યો હતો. જુઓ કનેક્ટ ગુજરાતનો વિશેષ અહેવાલ...

મૂળ સૌરાષ્ટ્રના વતની એવા ઉર્વશી ધોરાજીયા માસ્ટર ઓફ ઈકોનોનમિક્સએમએસડબ્લ્યુ કર્યા બાદ પીએચડીનો અભ્યાસ કરી રહ્યા છે. સાથે જ પોલીસસામાજિક સંસ્થાઓ સાથે મળીને કાઉન્સેલિંગનું કામ પણ કરે છે. તેમના લગ્ન પોલીસ કમિશનર કચેરીમાં એકાઉન્ટ રાઈટર તરીકે ફરજ બજાવતા મહેશ હપાણી સાથે થયા હતા. ગત તા. 10મી મેના રોજ યોજાયેલા આ લગ્નમાં પ્રભુતામાં પગલાં પાડનાર આ દંપતીએ અગાઉથી નિર્ધારિત કર્યા પ્રમાણે ખોટા ખર્ચ અટકાવી સમાજમાં એક અલગ જ સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો હતો.

ઉર્વશી ધોરાજીયાએ જણાવ્યુ હતું કેહું કાઉન્સેલિંગ કામ કરુ છું. જે દીકરીઓ ભાગીને લગ્ન કરે છેતેમને સમજાવે છે કેજેથી તેઓ માતા-પિતાને જાણ કરીને આ પ્રકારના પગલાં ભરે. એવી દીકરીઓનું કાઉન્સેલિંગ કરુ છુંજે આંતરધર્મમાં જઈને લગ્ન કરતી હોય છેત્યારે મેં મારા લગ્ન વખતે મારા પિતાનો વિચાર અનુસર્યો હતો.

મારા પપ્પા કહેતા કેરૂપિયા બચાવીને રાખવા. જેથી ખરાબ સમયમાં કામ આવે. કોઈ રૂપિયા કોઈ પાસેથી લઈને પ્રસંગ ન ઉજવવા. જેથી મેં પોલીસમાં ફરજ બજાવતા મારા પતિ સમક્ષ વિચાર મુક્યો. તેમણે પણ આ વિચારને વધાવી લીધો અને અમે 3 લાખથી વધુની રકમ લગ્નમાંથી બચાવીને ગૌશાળા અને 3 બાળકોની ફી ભરવામાં આ રકમ વાપરીશું. લગ્નમાં પ્રતિજ્ઞા વૃદ્ધસેવા ચેરિટેબલ ટ્રસ્ટના સ્વયંસેવકોને પીરસવા માટે બોલાવવામાં આવ્યા હતા. જેથી કેટરર્સની જગ્યાએ સંસ્થાને આડકતરી રીતે મદદ થઈ શકેત્યારે સમગ્ર લગ્નની સગા સંબંધીઓ સહિતના લોકોમાં ચર્ચાની સાથે અલગ નોંધ પણ લેવામાં આવી હતી.

Read the Next Article

સુરત કરોડોની હીરાની ચોરીના કેસમાં ફરિયાદી જ નીકળ્યો આરોપી

સુરતના કાપોદ્રામાં ડી.કે. એન્ડ સન્સ નામની હીરાનો વેપાર કરતી કંપનીના માલિક દેવેન્દ્રકુમાર ચૌધરીએ કરોડોના હીરા ચોરીનું આખુ ષડયંત્ર રચ્યું હતું.

New Update
diamond theft case

સુરતના કાપોદ્રામાં રૂપિયા 32 કરોડના હીરાની ચોરીના કેસમાં હવે ચોંકાવનારો વળાંક આવ્યો છે. ક્રાઇમ બ્રાંચ અને કાપોદ્રા પોલીસે મળીને કેસની ઊંડાણપૂર્વક તપાસ કરતાં આ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે..આ ઘટનામાં માલિક પોતેજ આરોપી નીકળ્યો છે. એટલે કે જે વ્યક્તિએ હીરા ચોરીની ફરિયાદ નોંધાવી હતી, એ જ આરોપી નીકળ્યો.

મળતી માહિતી અનુસાર, ડી.કે. એન્ડ સન્સ નામની હીરાનો વેપાર કરતી કંપનીના માલિક દેવેન્દ્રકુમાર ચૌધરીએ કરોડોના હીરા ચોરીનું આખુ ષડયંત્ર રચ્યું હતું. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે કંપનીમાંથી કોઈ પણ પ્રકારની હીરાની ચોરી થઈ જ નહોતી. સમગ્ર ઘટનાનું તરકટ ફરિયાદી દ્વારા પોતે જ ઘડાયું હતું. પોલીસે જ્યારે ઉલટ તપાસ હાથ ધરી ત્યારે દેવેન્દ્રકુમાર ચૌધરી વિરુદ્ધ પુરાવા મળતા તેમને આરોપી તરીકે ઓળખી કાર્યવાહી શરૂ કરી.