સુરત : પાટીદારની શિક્ષિત દીકરીએ લગ્નમાં ખોટો ખર્ચ અટકાવ્યો, સંસ્થાઓની સાથે ગરીબ વિદ્યાર્થીઓને કરે છે મદદ

ઉર્વશી ધોરાજીયા માસ્ટર ઓફ ઈકોનોનમિક્સ, એમએસડબ્લ્યુ કર્યા બાદ પીએચડીનો અભ્યાસ કરી રહ્યા છે. સાથે જ પોલીસ, સામાજિક સંસ્થાઓ સાથે મળીને કાઉન્સેલિંગનું કામ પણ કરે છે

New Update
  • લોકો દેખાદેખીમાં લગ્નપ્રસંગમાં કરે છે મોટા ખર્ચાઓ

  • પાટીદાર સમાજની શિક્ષિત દીકરીનો ઉચ્ચ વિચાર

  • પોતાના લગ્નમાં ખોટો ખર્ચ અટકાવી રકમ બચાવી

  • સંસ્થાઓની સાથે ગરીબ વિદ્યાર્થીઓની કરે છે મદદ

  • સગા સંબંધીઓ સહિત લોકોએ લગ્નની નોંધ લીધી

આજકાલ લોકો દેખાદેખીમાં લગ્નમાં ભારે ખર્ચા કરતાં હોય છેત્યારે સુરતમાં રહેતી પાટીદાર સમાજની શિક્ષિત દીકરીએ સાદુ જીવનઉચ્ચ વિચારને સાર્થક કરી પોતાના લગ્નમાં ખોટો ખર્ચ અટકાવ્યો હતો. જુઓ કનેક્ટ ગુજરાતનો વિશેષ અહેવાલ...

મૂળ સૌરાષ્ટ્રના વતની એવા ઉર્વશી ધોરાજીયા માસ્ટર ઓફ ઈકોનોનમિક્સએમએસડબ્લ્યુ કર્યા બાદ પીએચડીનો અભ્યાસ કરી રહ્યા છે. સાથે જ પોલીસસામાજિક સંસ્થાઓ સાથે મળીને કાઉન્સેલિંગનું કામ પણ કરે છે. તેમના લગ્ન પોલીસ કમિશનર કચેરીમાં એકાઉન્ટ રાઈટર તરીકે ફરજ બજાવતા મહેશ હપાણી સાથે થયા હતા. ગત તા. 10મી મેના રોજ યોજાયેલા આ લગ્નમાં પ્રભુતામાં પગલાં પાડનાર આ દંપતીએ અગાઉથી નિર્ધારિત કર્યા પ્રમાણે ખોટા ખર્ચ અટકાવી સમાજમાં એક અલગ જ સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો હતો.

ઉર્વશી ધોરાજીયાએ જણાવ્યુ હતું કેહું કાઉન્સેલિંગ કામ કરુ છું. જે દીકરીઓ ભાગીને લગ્ન કરે છેતેમને સમજાવે છે કેજેથી તેઓ માતા-પિતાને જાણ કરીને આ પ્રકારના પગલાં ભરે. એવી દીકરીઓનું કાઉન્સેલિંગ કરુ છુંજે આંતરધર્મમાં જઈને લગ્ન કરતી હોય છેત્યારે મેં મારા લગ્ન વખતે મારા પિતાનો વિચાર અનુસર્યો હતો.

મારા પપ્પા કહેતા કેરૂપિયા બચાવીને રાખવા. જેથી ખરાબ સમયમાં કામ આવે. કોઈ રૂપિયા કોઈ પાસેથી લઈને પ્રસંગ ન ઉજવવા. જેથી મેં પોલીસમાં ફરજ બજાવતા મારા પતિ સમક્ષ વિચાર મુક્યો. તેમણે પણ આ વિચારને વધાવી લીધો અને અમે 3 લાખથી વધુની રકમ લગ્નમાંથી બચાવીને ગૌશાળા અને 3 બાળકોની ફી ભરવામાં આ રકમ વાપરીશું. લગ્નમાં પ્રતિજ્ઞા વૃદ્ધસેવા ચેરિટેબલ ટ્રસ્ટના સ્વયંસેવકોને પીરસવા માટે બોલાવવામાં આવ્યા હતા. જેથી કેટરર્સની જગ્યાએ સંસ્થાને આડકતરી રીતે મદદ થઈ શકેત્યારે સમગ્ર લગ્નની સગા સંબંધીઓ સહિતના લોકોમાં ચર્ચાની સાથે અલગ નોંધ પણ લેવામાં આવી હતી.

Read the Next Article

સુરત : રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાના યોગ દિવસની ઉજવણી કરાય...

21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

New Update
  • સરસાણા ડોમ ખાતે 11મા વિશ્વ યોગ દિવસની ઉજવણી

  • રાજ્યના વન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિ

  • જિલ્લાકક્ષાની ઉજવણીમાં મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા

  • સાંસદધારાસભ્યો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા

  • આજરોજ અંદાજે 4.50 લાખથી નાગરિકો યોગમય બન્યા 

સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત 11મા વિશ્વ યોગ દિવસની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આજે તા. 21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સુરત જિલ્લાકક્ષાની ઉજવણીમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાતની થીમ પર કેન્દ્રિત રહી હતીજેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો હતો.

આ ઉજવણીમાં શહેરની સામાજિક સંસ્થાઓશાળા-કોલેજના વિદ્યાર્થીઓઅને પાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. સુરત જિલ્લામાં યોગ દિવસની ઉજવણીમાં 3200થી વધુ સ્થળોએ અંદાજે 4.50 લાખથી વધુ નાગરિકો યોગમય બન્યા હતા. આ વિશાળ જનભાગીદારી યોગ પ્રત્યે લોકોમાં વધતી જાગૃતિ અને તેને દૈનિક જીવનનો ભાગ બનાવવાની ઈચ્છા દર્શાવે છે.

સામૂહિક યોગાભ્યાસ દ્વારા સમાજમાં સ્વાસ્થ્ય અને સુખાકારીનો સંદેશ ફેલાવવામાં આવ્યોજે એક પૃથ્વી એક શ્વાસના વૈશ્વિક સંદેશને મૂર્તિમંત કરે છે. સામૂહિક યોગાભ્યાસ કાર્યક્રમ સુરતના નાગરિકોની એકતા અને સ્વાસ્થ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બન્યો હતો. આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલધારાસભ્યોકલેકટરપાલિકા કમિશ્નરપોલીસ કમિશનર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.